ના રહી શકી દિપીકા ચૂપ, અને કહી દીધુ રણબીર-આલિયાના લગ્ન વિશે કંઇક આવુ

અનુપમા ચોપરાના શો પર દીપિકાએ આલિયા-રનબીરના લગ્નની કરી દીધી જાહેરાત ! આલિયા થઈ ગઈ હક્કાબક્કા !

તાજેતરમાં અનુપમા ચોપરા દ્વારા છેલ્લા દસ વર્ષના સારા પર્ફોમન્સ કરનાર કલાકારોનો ઇન્ટર્વ્યુ લેવામાં આવી રહ્યો હતો આ પ્રસંગે ભારતની ફિલ્મ ઇન્ડિસ્ટ્રીના દિગ્ગજ કલાકારો હાજર રહ્યા હતા, જેમાં દિપીકા પદુકોણ, આલિયા ભટ્ટ, અર્જુન રેડ્ડી ફેમ વિજય દેવરકોંડા, મનોજ બાજપાઈ, વિજય સેથુ અને પાર્વતીનો ઇન્ચટર્વ્યુ લેવામાં આવી રહ્યો હતો.

image source

આ ચેટ શો દરમિયાન અર્જુન રેડ્ડી ફેમ સાઉથ ઇન્ડિયન ફિલ્મ એક્ટર વિજય દેવરકોંડાએ જણાવ્યું કે તેમને એ કહેતાં કોઈ જ સંકોચ નથી થતો કે તેમને દીપીકા અને આલિયા પર ક્રશ રહ્યો છે પણ દીપીકાના લગ્ન થઈ ગયા છે પણ… અને તે જ વાક્યના રિએક્શનમાં દીપીકાના મોઢામાંથી શબ્દો નીકળી ગયા કે અને તેના (આલિયાના) લગ્ન થવા જઈ રહ્યા છે.

image source

જેના જવાબમાં વિજયે સામો પ્રશ્ન કર્યો, “આલિયા લગ્ન કરી રહી છે ?” દીપીકાની આ જાહેરાત સાંભળતાં જ આલિયા હક્કાબક્કા થઈ ગઈ અને તરત જ તેણીએ દીપીકાને કહ્યું કે તે કેમ આ જાહેરાત કરી રહી છે ? ત્યારે દીપીકાએ વાત પર પરદો નાખતાં જણાવ્યું કે તેણીએ આ વાત એટલા માટે કહી કારણ કે તેણી વિજયનું રિએક્શન જોવા માગતી હતી.

image source

તમને જણાવી દઈએ કે આ વાત ચાલી રહી છે ત્યારે હજુ આગલા દિવસે જ રનબીર અને આલિયાએ રનબીરના ફઈના દીકરા અરમાન જૈનના બર્થડેમાં હાજરી આપી હતી. જેની તસ્વીર રનબીરની કઝીન સીસ્ટર કરીશ્મા કપૂરે પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરી હતી.

image source

અરમાન જૈનની બર્થડે પાર્ટીમાં તેના નજીકના સગા તેમજ મિત્રો જ હાજર રહ્યા હતા. આ નાનકડી બર્થડે પાર્ટીમાં રનબીર-આલિયા સાથે કિયારા અડવાણી, કરિશ્મા કપૂર અને અનિસા મલ્હોત્રા પણ હાજર રહ્યા હતા. તસ્વીરોમાં આલિયા રનબીરના ફેમિલિની ઘણી નજીક હોય તેવું જણાઈ રહ્યું છે. તેણી આ પહેલાં પણ રનબીરની માતા નિતું સિંહ સાથે ઘણીવાર જોવામાં આવી છે.

image source

એમ પણ છેલ્લા ઘણા વખતથી આલિયા અને રનબીરના લગ્નની વાતો ઉડી રહી છે અને આલિયા પણ રનબીરના કુટુંબના સભ્યો સાથે સમય પસાર કરવાનો એક અવસર પણ નથી ચુકતી ત્યારે દિપીકાની વાતમાં ઘણું સાતત્ય છે તેવુ કહી શકાય.

image source

હાલ રનબીર અને આલિયા બ્રહ્માશ્ત્રના શુટિંગ માટે મનાલીમાં છે અને ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે બ્રહ્માશ્ત્રમાં મુખ્ય ભુમિકામાં રનબીર, આલિયા અને અમિતાભ બચ્ચન છે શાહરુખ પણ તેમાં કેમિયો કરવાનો છે અને મૌની રોય પણ તેમાં નેગેટિવ પાત્રમાં જોવા મળશે અને એક અહેવાલ પ્રમાણે ફિલ્મમાં નાગાર્જુન પણ મહત્ત્વની ભુમિકા ભજવી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ