દરેક ભારતીય રસોડામાં આદુ જોવા મળે જ છે,આદુ ઔષધીય ગુણધર્મોનો ખજાનો છે.તમારે દરરોજ તમારા આહારમાં કોઈક રૂપમાં આદુનો ઉપયોગ કરવો જ જોઇએ.લગભગ તો દરેક લોકો દરરોજ આદુનું સેવન કરે જ છે,પણ જો તમે અત્યાર સુધી તમે આદુનું સેવન નથી કર્યું,તો પછી આજથી જ આદુનો ઉપયોગ શરૂ કરો.આદુ તમારા ખોરાકનો સ્વાદ તો વધારે જ છે,પણ સાથે તે તમારા શરીરમાંથી અનેક રોગ દૂર કરે છે.આદુ એક આયુર્વેદિક ઔષધિ જ માનવામાં આવે છે.
આદુ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.આદુનું સેવન દરરોજ ખોરાકમાં કરવાથી તે તમારા શરીર માટે ખુબ ફાયદાકારક રહેશે.આદુમાં અનેક વિટામિન રહેલા છે,તેમજ આદુમાં મેંગેનીઝ અને કોપર પણ રહેલા છે,જે શરીરને સ્વસ્થ રાખવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.આજના ચાલતા કોરોના સમયગાળામાં આદુનું મહત્વ ખુબ જ વધ્યું છે.આદુ આપણી રોગપ્રતિકારક શક્તિને વધારે છે,તેથી કોરોનાના સમયમાં નિષ્ણાંતો પણ આદુનું સેવન કરવાની સલાહ આપે છે.આ સિવાય પણ આદુ અનેક રોગને આપણા શરીરમાંથી દૂર કરે છે.તો ચાલો જાણીએ આદુને અઢળક ફાયદાઓ વિશે.
ઠંડી અને શરદીમાં ફાયદાકારક
શરદીની સમસ્યા દૂર કરવા માટે આદુ સૌથી અસરકારક માનવામાં આવે છે.આદુ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને શરદી પેદા કરતા જીવાણુઓને પણ મારી નાખે છે.આદુમાં એન્ટિહિસ્ટેમાઈન ગુણધર્મો હોય છે,જે હવામાન સંબંધિત એલર્જીની સમસ્યાને દૂર કરવામાં મદદગાર છે.
ડાયાબિટીઝના દર્દીઓ માટે ફાયદાકારક
ડાયાબિટીઝના દર્દીઓ માટે આદુનું સેવન ખૂબ ફાયદાકારક છે.ડાયાબિટીઝના દર્દીઓએ આહારમાં આદુનો સમાવેશ કરવો જ જોઇએ.ડાયાબિટીઝના દર્દીઓએ ખોરાક અને આહારની વિશેષ કાળજી લેવી જોઈએ અને તેથી જ તેમને તેમના આહારમાં આદુનો સમાવેશ કરવો જોઇએ,આદુનું સેવન કરવાથી ડાયાબિટીઝના દર્દીઓનું બ્લડ સુગરનું સ્તર નિયંત્રિત થાય છે.
વજન ઘટાડવામાં મદદરૂપ છે
આદુ વજન ઘટાડવામાં મદદરૂપ માનવામાં આવે છે.આદુનું સેવન કરવાથી તમારી વધારાની ચરબી બર્ન થાય છે,જે તમારા વધેલા વજનને દૂર કરે છે.
હૃદયના દર્દીઓ માટે ફાયદાકારક
હૃદયના દર્દીઓએ તેમના આહારમાં આદુનો સમાવેશ કરવો જ જોઇએ.આદુનું સેવન હૃદયના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે.હૃદય સંબંધિત રોગોથી સુરક્ષિત રહેવા માટે આદુનું સેવન કરવું જોઈએ.આદુના સેવનથી કોલેસ્ટરોલનું સ્તર નિયંત્રણમાં રહે છે.તેથી હૃદયની સમસ્યા દૂર થાય છે.
મગજ માટે ફાયદાકારક
આદુનું સેવન મગજ માટે પણ ખૂબ ફાયદાકારક છે.આદુમાં બળતરા વિરોધી ગુણધર્મો રહેલા છે જે મગજનું કાર્ય વધારવામાં મદદ કરે છે.
સ્ત્રીઓને પીરિયડ્સના સમયમાં થતો દુખાવો દૂર થાય છે
બધી સ્ત્રીઓ પીરિયડ્સના સમયમાં ખુબ જ પીડા થતી હોય છે.એવું કહેવામાં આવે છે કે આદુ પાવડર પીરિયસમાં થતો દુખાવો ઘટાડી શકે છે.તમારા પીરિયડ્સના સમય દરમિયાન દરરોજ એક ગ્રામ આદુનો પાવડર પાણી સાથે પીવાથી તમારી સમસ્યા દૂર થાય છે.
અસ્થિવાની સમસ્યા દૂર કરે છે
અસ્થિવા એક એવો રોગ છે,કે જે સાંધાનો દુખાવો અને જક્ડતાનું કારણ બને છે .જોકે આ રોગની સારવાર યોગ્ય રીતે કરવામાં આવતી નથી,પરંતુ થોડા સમય પેહલા જ એક સંશોધન કરવામાં આવ્યું હતું,આ સંશોધન એવા લોકો પર કરવામાં આવ્યું હતું જે લોકોને અસ્થિવાની સમસ્યા ઘણા સમયથી હતી.આ લોકોને દરરોજ આદુનો અર્ક આપવામાં આવ્યો હતો અને થોડા સમય પછી આ સંશોધનનું પરિણામ એ આવ્યું કે તે દરેક લોકોએ અસ્થિવાની પીડાથી રાહત મેળવી.એવું પણ કહેવામાં આવે છે કે આદુ,રાઈ,તજ અને તલનું તેલ લગાવવાથી અસ્થિવાનાં દુખાવામાં રાહત મળે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ