બાહુબલી ફેમ સુપરસ્ટાર પ્રભાસ અને બોલિવૂડના નવાબ સૈફ અલી ખાનની આગામી ફિલ્મ આદિપુરુષની તેમના ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. જો કે આ ફિલ્મના સેટ પર એર મોટી દુર્ઘટના બની છે. ફિલ્મનું શૂટિંગ શરુ થયાની સાથે જ આ ઘટના બનતા ચાહકોમાં પણ ચિંતા પ્રસરી છે.
જણાવી દઈએ કે આ ફિલ્મમાં સૈફ અલી ખાન લંકેશ અને પ્રભાસ ભગવાન રામની ભૂમિકામાં જોવા મળશે. તાજેતરમાં જ ફિલ્મ આદિપુરુષનું શૂટિંગ શરૂ થયું હતું અને શૂટિંગ શરુ થયાની સાથે જ સેટ પર આગ લાગ્યાનો અકસ્માત થયો હતો. આ ફિલ્મની ટીમ હાઈ ટેક્નોલોજી સાથે શુટિંગ કરી રહી હતી ત્યાં જ ફિલ્મના સેટ પર આગ લાગી હતી.
આ અંગે જાણવા મળ્યાનુસાર ફિલ્મના સેટ પર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ આગના કારણે સંપૂર્ણ ક્રોમા સેટ બળીને ખાખ થઈ ગયો છે. જો કે સમયસર આગને કાબૂમાં લેવામાં આવી હતી. જેના કારણે ડિરેક્ટર ઓમ રાઉત અને તેમની આખી ટીમ સહી સલામત છે. સૂત્રોનું જણાવવું છે કે સેટ પર આગ લાગી ત્યારે પ્રભાસ અને સૈફ શૂટિંગ પર ન હતા. આગ લાગ્યાની જાણ મિનિટોમાં જ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. ફાયરનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો અને આગને કાબૂમાં લીધી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
ઉલ્લેખનીય છે કે પ્રભાસે એક પોસ્ટ શેર કરીને ફિલ્મના શુટિંગની શરૂઆત અંગે માહિતી આપી હતી. તેણે લખ્યું હતું કે ‘આદિપુરુષ’નું શૂટિંગ શરુ થયું છે. આ ફિલ્મમાં હેવી વીએફએક્સ ઉપયોગમાં લેવાઈ રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે ફિલ્મ માટે સૈફ અલી ખાન માર્ચમાં શૂટિંગ શરૂ કરશે.
ફિલ્મ આદિપુરુષના બે એક્ટરના નામ જ હજુ સુધી સામે આવ્યા છે. આ ફિલ્મની મુખ્ય અભિનેત્રી કોણ છે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ છે કે આ ભૂમિકા માટે ક્રિતી સેનનનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
જો કે મેકર્સ તરફથી ટુંક સમયમાં મુખ્ય અભિનેત્રીના નામની જાહેરાત કરવામાં આવશે. આ ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર કરી રહ્યા છે અને આ ફિલ્મ 11 ઓગસ્ટ 2022 માં રિલીઝ થશે. જણાવી દઈએ કે આદિપુરુષ ફિલ્મની ઘોષણા થઈ ત્યાર પછીથી તે સતત ચર્ચાનો વિષય રહી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
———–આપના સહકારની આશા સહ,