કોરોના કાળમાં ભૂતકાળમાં કેટલીક ફરિયાદો આવી હતી, જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે આધાર કાર્ડના અભાવને કારણે ઘણા લોકોને હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવતી નથી. સારવાર માટે આધાર કાર્ડની માંગ કરવામાં આવી રહી છે, પરંતુ જો કેટલાક લોકો પાસે આધાર કાર્ડ નથી, તો તેઓ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. રસીકરણ અને ઓક્સિજન માટે કોઈ આધાર ન હોય એવા લોકોને લાભ મળતો નથી. આવી સ્થિતિમાં, યુઆઈડીએઆઈએ સ્પષ્ટ કર્યું છે કે આધાર ન હોવાની સ્થિતિમાં કોઈ પણ હોસ્પિટલ સારવારનો ઇનકાર કરી શકે નહીં.
યુઆઈડીએઆઈએ શનિવારે કહ્યું હતું કે જો 12-અંકનો આધાર ન હોય તો કોઈ પણ હોસ્પિટલ દર્દીને દાખલ કરવા અથવા તેની સારવાર કરવાનો ઇનકાર કરી શકે નહીં. એવું પણ કહેવામાં આવ્યું છે કે જો દવાઓ, હોસ્પિટલ સારવારની કે વેક્સિન લેવા સંબંધિત કોઈપણ કામ માટે આધાર કાર્ડ ન હોય તો પણ સુવિધા તો આપવી જ પડશે. કોઈ ના નહીં પાડી શકે. જો કોઈ હોસ્પિટલ આધાર વિના સારવાર આપવાનો ઇનકાર કરે છે, તો તેની ફરિયાદ આઈઆરડીને કરી શકાય છે. આ માટે તમે igms.irda.gov.in લિંક પર જઈ શકો છો
સત્તાવાર નિવેદન અનુસાર આધાર કાર્ડની ગેરહાજરીમાં અથવા ચકાસણી કરવામાં નહીં આવે, હોસ્પિટલો અથવા વેક્સિનેશન અને સારવારથી સંબંધિત કોઈ પણ વિભાગ આધાર અધિનિયમ 2016 ની કલમ 7 હેઠળ સેવાનો ઇનકાર કરી શકશે નહીં. એવું પણ કહેવામાં આવે છે કે કોઈપણ આવશ્યક સેવાઓ ન આપવા માટે બહાના તરીકે આધારનો દુરૂપયોગ થઈ શકશે નહીં.
કોરોના સંક્રમણની વચ્ચે વેક્સિનની અછત એ મોટી સમસ્યા છે. સવાલ એ છે કે અલગ-અલગ બીમારીઓમાં સમગ્ર વિશ્વને જરૂરિયાતની 70 ટકા વેક્સિન આપનાર ભારત શાં માટે પોતાના માટે જ પુરતી રસી બનાવી શકતુ નથી? નેશનલ કોવિડ ટાસ્ક ફોર્સના હેડ ડો.વીકે પોલે તાજેતરમાં જ કહ્યું હતું કે ભારત બાયોટેક કોવેક્સિનની ફોર્મ્યુલા બીજી કંપનીઓ સાથે શેર કરવા તૈયાર છે. ત્યારે તપાસમાં એ વાત પ્રકાશમાં આવી છે કે દેશમાં 16 એવી કંપનીઓ છે જે તાત્કાલિક વેક્સિન બનાવવાનું શરૂ કરી શકે છે. જો કેન્દ્ર સરકાર તેમને જરૂરી પરવાનગી આપે તો કંપનીઓ દર મહિને 25 કરોડ અને વર્ષે 300 કરોડ ડોઝ બનાવી શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!