ભોગીલાલ પાસેથી જેઠાલાલના પૈસા કેવી રીતે કઢાવવા એનું પ્લાનિંગ કરવા માટે ગોકુલધામવાસી જેઠાલાલના ઘરે ભેગા થયા છે.
ભોગીલાલ ગોકુલધામ સોસાયટીમાં જેઠાલાલના ઘરે આવે છે અને જેઠાલાલની જમીન ખરીદીને તેને પૈસા આપવાનો છે પણ તેને જાણતો નથી કે તે જેઠાલાલનું ઘર છે અને ચંપક ચાચા જેઠાલાલના પિતા છે. આ સમગ્ર ગોઠવણમાં સુંદરલાલ જેઠાલાલની મદદ કરી રહ્યા છે.
બાઘાએ કસમયે મારી એન્ટ્રી.
ચંપક ચાચા , સુંદરલાલ અને તારક મહેતા ભોગીલાલ સાથે વાત કરી રહ્યાં હતા ત્યારે અચાનક બાઘા જેઠાલાલના ઘરે પહોંચી જાય છે. બાઘાને તો ભોગીલાલ ઓળખે છે એટલે ભોગીલાલને ખ્યાલ આવી જાય છે કે આ ઘર જેઠાલાલનું છે અને એ ત્યાંથી ભાગી જાય છે. હવે એ જોવાનું છે કે જેઠાલાલ ભોગીલાલ પાસેથી પોતાના પૈસા કઢાવી શકશે કે નહીં.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલ બધાના ઘરે પરિવાર સાથે જોવાતી સિરીયલ છે. તમને ખબર છે એમ આ શોના કેટલાક પાત્ર બદલાઇ ચૂક્યા છે તેમ છતાં તેની છાપ હતી એવી ને એવી જ છે.
View this post on Instagram
પણ વર્ષોથી તારક મહેતા સાથે જોડાયેલા કલાકારો શો છોડી રહ્યાં છે. તેની પાછળના કારણને લઈને ચર્ચા થઈ રહી છે.એ અંગે જુદી જુદી અટકળો સામે આવી રહી છે.
દર્શકોનો મનગમતો કોમેડી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા લાંબા સમયથી લોકોને મનોરંજન પૂરું પાડી રહ્યો છે. જો ટીઆરપીની વાત કરીએ તો એ બાબતમાં પણ શો હમેશાં ટોપમાં રહે છે.
દરેકનું મનોરંજન કરતો આ શો ઘણી વખત વિવાદોમાં પણ રહે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ શો ખૂબ જ ચર્ચામાં રહ્યો છે. જેની પાછળનું કારણ તો લોકો સામે નથી આવી રહ્યું પરંતુ એવું કહેવામાં આવે છે કે સીરિયલના નિર્માતા અસિત કુમાર મોદીના વ્યવહારને કારણે પણ વિવાદ સર્જાય છે.
તમને જણાવી દઈએ કે તારક મેહતા શોથી અંજલીનું પાત્ર ભજવી રહેલી નેહા મેહતા દૂર થઈ ગઈ છે. એ પછી સોઢીનું પાત્ર ભજવી રહેલાં કલાકાર ગુરૂચરણ સિંહે પણ શો છોડી દીધો છે.
એવામાં હવે સવાલ એ થઈ રહ્યાં છે કે આટલા જુના કલાકારો કેમ શો છોડી રહ્યાં છે ? હવે આ તમામ સવાલો ઉપર તારક મેહતાની નવી અંજલી મેહતા બનેલી સુનૈના ફૌજદારે જવાબ આપ્યો છે. સુનૈના માને છે કે અસિતકુમાર મોદી ખુબ જ સામાન્ય માણસ છે અને કલાકારોને ક્યારેય પણ તેમના તરફથી કોઈ જ પ્રોબ્લેમ આવ્યો નથી.
આ વિશે તેમને વધુમાં જણાવ્યું હતું કે, આ અફવાઓ કોણ ફેલાવી રહ્યું છે મને ખ્યાલ નથી. પરંતુ હું હેરાન છું કે હું પોતે અસિત સરના કારણે તારક મેહતાનો ભાગ બની શકી છું. તેમણે હંમેશા મને એક બાળકની જેમ ટ્રીટ કરી છે. એ સેટ ઉપર ક્યારેક જ આવે છે. પરંતુ તે હંમેશા મને પૂછે છે કે હું ઠીક છું અને મારે કોઈ વસ્તુની જરૂરીયાત નથી ને ?
સુનૈનાએ આ વિશે વધુ જણાવતા કહ્યું કે અસિતકુમાર મોદી ક્યારેય પણ રાજનીતિમાં ફસાતા નથી. તે હંમેશા પોતાને તમામ વિવાદોથી દૂર રાખે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
———–આપના સહકારની આશા સહ,