મિત્રો, આચાર્ય ચાણક્યએ ચાણક્ય નીતિ દ્વારા જીવનની અનેકવિધ સમસ્યાઓનુ સમાધાન જણાવ્યુ છે પરંતુ, તેમણે બળાત્કારને ઓળખવા અને જીવનમા ખુશ રહેવા માટે અનેકવિધ મુશ્કેલીઓ પણ જણાવી છે. તેમણે મુશ્કેલીમા રહેલા લોકો માટે સમસ્યાઓમાંથી બહાર નીકળવા માટે અનેકવિધ ઉપાયો જણાવ્યા છે.
આચાર્ય ચાણક્ય એ એક કુશળ રાજકારણી અને એક ચતુર રાજદ્વારી પણ હતા. તે વિશ્વના મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે જાણીતા છે. આજે પણ તેમના જણાવેલા સિદ્ધાંતો અને નીતિઓ લોકોનુ જીવન સરળ બનાવવા માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. તમારે પણ આ બાબતો જાણવી જોઈએ.
આ ચાણક્યનીતિ મુજબ જો કોઈ વ્યક્તિની પત્ની દુષ્ટ હોય અથવા તો મિત્ર જુઠ્ઠો હોય અથવા તો નોકર લૂંટારો હોય તો તે વ્યક્તિએ આ તમામ લોકો સાથેના સંબંધનો અંત લાવવો જોઈએ. આચાર્યએ આ લોકોને સાપ કરતા પણ ઝેરીલા ગણાવ્યા છે અને જણાવ્યુ છે કે, આ લોકો સાથેની સંગત આપણા માટે સાપ કરતા પણ વધુ જીવલેણ સાબિત થઇ શકે છે.
આચાર્ય જણાવે છે કે, દરેક વ્યક્તિએ જીવનમા અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને તેને પહોંચી વળવા માટે આપણે સંપત્તિ એકઠી કરવી જોઈએ પરંતુ, તેની સાથે જ તેણે સંપત્તિ છોડીને પોતાની પત્નીની રક્ષા પણ કરવી જોઈએ. ઘણા લોકો એવુ વિચારતા હોય છે કે, ધનવાન વ્યક્તિને શું મુશ્કેલી હોય? પરંતુ, જ્યારે મુસીબત આવે છે ત્યારે સંચય કરેલુ ધન પણ કામ કરતુ નથી.
આચાર્ય જણાવે છે કે, એવા દેશમા ક્યારેય પણ ના રહેવુ કે જ્યા તમને માન-સન્માન પ્રાપ્ત થતુ નથી, જ્યા તમને નોકરી નથી મળતી, જ્યા તેમની પાસે મિત્ર નથી અને જ્યા તમને કોઈ માહિતી નથી મળતી. જે દેશમા તમારુ કોઈ અસ્તિત્વ જ નથી ત્યા રહેવું એ તમારા માટે મૃત્યુ કરતા પણ વધારે કપરુ છે.
આચાર્ય જણાવે છે કે, હમેંશા નિવાસ માટે એક એવી જગ્યા શોધવી જોઈએ કે, જ્યા તમને આ પાંચ લોકો ખુબ જ સરળતાથી મળી રહે. આ પાંચ વ્યક્તિઓમાં એક ધનવાન વ્યક્તિ, એક બ્રાહ્મણ કે જે વૈદિક શાસ્ત્રોમા નિપૂણ હોય, એક રાજા જેવો વ્યક્તિ , એક નદી સમાન સ્વભાવ ધરાવતો વ્યક્તિ અને એક ડૉક્ટરનો સમાવેશ થાય છે.
આચાર્યના મત મુજબ એક નોકરની પરીક્ષા ત્યારે લો, જ્યારે તે પોતાની ફરજ બજાવતો નથી, સંબંધીઓની ચકાસણી ત્યારે કરો જ્યારે તમે મુશ્કેલીમાં હોવ, એક મિત્રની પરીક્ષા ત્યારે લો કે જ્યારે તમારી સ્થિતિ ખુબ જ નબળી હોય, એક પત્નીની પરીક્ષા ત્યારે લો કે જ્યારે તમારો સમય સારો ના હોય. જો તમે આચાર્ય દ્વારા જણાવેલી આ બાબતોનુ પાલન કરશો તો તમે સરળતાથી તમારા જીવનને સુખી અને સમૃદ્ધ બનાવી શકો છો.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,