ઈલાયચીના ફાયદા જાણો અને બાજારૂ માઉથ ફ્રેશનરની જગ્યાએ માણો ઈલાયચીનો સ્વાદ.ઇલાયચી એટલે ખુશ્બૂનો ખજાનો. દરેક ઘરના રસોડામાં મસાલા સ્વરૂપે ઉપયોગમાં લેવાતી નાની ઇલાયચી સ્વાસ્થ્યથી ભરપૂર હોય છે. ઇલાયચીનું સેવન તમારા માટે ફાયદાકારક રહે છે. મોટાભાગના લોકો તેનો ઉપયોગ સ્વાદિષ્ટ મસાલા સ્વરૂપે જ કરે છે અને તેના સેવનથી સ્વાસ્થ્યને થતાં ફાયદાઓ વિશે અજાણ રહે છે.
ઈલાયચીમાં એક ખાસ પ્રકારનું પોષક તત્વ હોય છે. જે ઠંડીમાં તમારા શરીરને ગરમ અને ગરમીમાં તમારા શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે છે. આ સાથે જ તે ચેતાતંતુઓના ડિસઓર્ડરને ઠીક કરવામાં પણ મદદગાર થાય છે. આ જ કારણે મગજ પણ શાંત રહે છે. મગજમાં શાંતિ અને લવલાઇફને સીધો જ સંબંધ હોય છે. જ્યારે મગજ શાંત હોય છે તો વ્યક્તિનું મગજ સારી રીતે કામ કરે છે.જાણો, ઇલાયચીથી થતાં ફાયદાઓ વિશે…
મોંઢાની દૂર્ગંધને દૂર કરે છે
નાની ઇલાયચી સ્વાદ વધારવાની સાથે જ માઉથ ફ્રેશનરનું પણ કામ કરે છે. તેને ખાવાથી મોંઢામાંથી આવતી દૂર્ગંધની સમસ્યાથી રાહત મળે છે. જો તમારા મોંઢામાંથી સખત દુર્ગંધ આવે છે અને લોકો પોતાની વાત કરવામાં સંકોચ કરે છે તો તમે એક ઇલાયચી પોતાના મોંઢામાં રાખી શકો છો.
કબજિયાતથી રાહત અપાવે છે ઇલાયચી
કબજિયાત એટલે બીમારીને આમંત્રણ. એટલા માટે દરેકનો પ્રયત્ન રહે છે કે તેમને કબજિયાતની સમસ્યા ન રહે. જો તમને કબજિયાત હોય તો નાની ઇલાયચીનું સેવન અથવા નાની ઇલાયચીને પકાવીને તૈયાર કરવામાં આવેલ પાણીનું સેવન તમને લાભ અપાવી શકે છે. આ તમારી પાચન ક્રિયાને તંદુરસ્ત રાખીને કબજિયાતથી રાહત અપાવે છે.
બેચેની
જો ગાડીમાં કે બસમાં બેસતા બેચેની થતી હોય કે ચક્કર આવતા હોય તો તુરંત તમારા મોઢામાં નાની ઇલાયચી નાંખી દો. રાહત મળશે.
શ્વાસની દુર્ગંધ
જો તમારા મોઢામાંથી વાસ આવે છે તો ભોજન કર્યા બાદ ઇલાયચી ચાવવાની રાખો.
સોજો
જો ગળામાં સોજો આવી ગયો છે તો મૂળીના પાણીમાં નાની ઇલાયટી વાટીને તેનું સેવન કરવાથી લાભ થાય છે.
ખાંસી
શરદી-ખાંસી અને છીંક આવતા નાની ઇલાયચી, એક ટૂકડો આદું, લવિંગ તથા પાંચ તુલસીનાપાંદડા એક સાથે પાનમાં મૂકી ખાઇ જાઓ.
ઉલ્ટીની સમસ્યામાં રાહત
શું તમને પણ થોડીક મુસાફરી કરતાં ઉલ્ટી થવાની સમસ્યા રહે છે? જો હા તો મુસાફરી શરૂ કરતાં પહેલા ઇલાયચીનું સેવન તમને આ સમસ્યાથી રાહત અપાવશે. જો તમને લાગી રહ્યુ છે કે મુસાફરી દરમિયાન સતત ઉલ્ટીની સમસ્યા થઇ શકે છે તો તમે આખી મુસાફરી દરમિયાન નાની ઇલાયચી મોંઢામાં મુકી રાખો.
એસિડિટીથી રાહત અપાવે છે
કદાચ જ તમે જાણતા હશો કે ઇલાયચીમાં તેલ પણ હોય છે. ઇલાયચીમાં રહેલ એસેન્શિયલ ઑઇલ પેટની અંદરની લાઇનિંગને મજબૂત કરે છે. એસિડિટીની સમસ્યામાં પેટમાં એસિડ જમા થઇ જાય છે. ઇલાયચીના સેવનથી તે ધીમે-ધીમે દૂર થઇ જાય છે.
અસ્થમામાં અસરકારક
ઇલાયચી શ્વાસની બીમારીમાં પણ ઘણી ફાયદાકારક હોય છે. કારણ કે ઇલાયચીની તાસીર ગરમ હોય છે. એટલા માટે શિયાળાના દિવસોમાં એક અથવા બેવાર ચાવીને અથવા ભોજનમાં મિક્સ કરીને તેનું સેવન કરવું જોઇએ. ફેફસાંને સંકોચન અને અસ્થમામાં પણ અસરકારક સાબિત થઇ શકે છે ઇલાયચી.
વજન ઘટાડવામાં મદદ કરે
જો તમે વધતા વજન અને મોટાપાથી પરેશાન છો તો એવામાં પોતાના ડાયેટમાં ઇલાયચીને જરૂર સામેલ કરો. ઇલાયચીમાં રહેલા પોષક તત્ત્વ ઝડપથી ઘટાડવામાં મદદ કરે છે.
તણાવ મુક્ત રાખે છે
જો તમે મોટાભાગે તણાવમાં રહો છો તો ઇલાયચીનું સેવન તમારા માટે ગુણકારી સાબિત થશે. ઘણીવાર થાય છે કે તમે એકલા છો અને વધારે તણાવથી પસાર થઇ રહ્યા છો તો એવામાં બે ઇલાયચી મોંઢામાં નાંખીને ચબાઓ. ઇલાયચી ચાવવાથી હૉર્મોનમાં તરત ફેરફાર થાય છે અને તમે તણાવથી મુક્ત થઇ જાઓ છો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ