હત્યારએ પોતાની પત્ની અને 5 બાળકોને પગથી કાપી નાખ્યા હતા, જેમાં એક દીકરી સહિત ચાર બાળકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
બિહારમાં ગુનેગારોની હિંમત જાણે સાતમા આસમાને છે. સતત વધી રહેલા હત્યા, અને લૂંટના કેસ પરથી લાગે છે કે બિહાર હવે ગુનેગારો માટે સલામત ક્ષેત્ર બની ગયું છે. આવો જ એક તાજો બનેલો કિસ્સો સિવાનનો છે જ્યાં એક સનકી માણસે તેની પત્ની અને 5 બાળકોને પગથી કાપી નાખ્યા. આટલું જ નહીં, આરોપીનું કહેવું છે કે કોઈ ભૂત મારા શરીરમાં પ્રવેશી ગયું હતું અને મને લાગતું હતું કે જે સામે આવે એ વ્યક્તિને મારી નાખવો છે.
આ ઘટના સિવાન જિલ્લાના ભગવાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બલ્હા અલી મરદાનપુરની છે, જ્યાં એક સનકી પિતાએ તેની પોતાની પત્ની અને 5 બાળકોને પગથી કાપી નાખ્યા હતા. આરોપીને 2 પુત્રી અને 3 પુત્ર હતા. પિતાના આ હુમલામાં ઘટનાસ્થળે એક પુત્રી સહિત ચાર બાળકોનું મોત નીપજ્યું હતું.
આ સાથે જ પત્ની અને એક બાળકને ગંભીર હાલત હોવાના કારણે એમને પટના મોકલી દેવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ આરોપીનું નામ અવધેશ ચૌધરી છે. તે બલ્હા ગામનો રહેવાસી છે. આ ઘટના અંગે કહેવામાં આવી રહ્યું છે કે અવધેશ ચૌધરીની પત્ની સાથે કોઈ બાબતે રકઝક થઈ હતી. અને આ રકઝક દરમિયાન જ પતિએ તેના પરિવાર પર પગ વડે હુમલો કર્યો હતો.
તો આ વિશે આરોપી અવધેશ ચૌધરીનું કહેવું છે કે, હું ગેટ ખોલીને બહાર ગયો હતો અને જ્યારે હું આવ્યો ત્યારે મારા શરીર ઉપર એક ભૂત આવ્યો અને મને લાગ્યું કે જે સામે આવે એને મારી નાખવાનો છે ,ત્યારબાદ તેનો પોતાનો પરિવાર સામે આવ્યો, તો તેણે તેના પગ પર હુમલો કર્યો
આ સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી હતી. સૂચના મળતાની સાથે જ પોલીસે આ સનકી પિતાની ધરપકડ કરી હતી. આરોપીએ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. એએસઆઈ શશીભુષણ કુમાર કહે છે કે પ્રાથમિક તપાસમાં આરોપી માનસિક રીતે સ્થિર નથી અને હાલમાં તેની શોધખોળ હાથ ધરી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ