રોગણુઓના ફેલાવથી કેટલીક બિમારીઓનો ખતરો છે. આ બિમારીઓમાંથી એક બીમારી છે જોંન્ડીસ, જેને આપણે કમળાના નામથી જાણીએ છીએ.
આ બીમારીમાં વ્યક્તિની ત્વચા, આંખો, નખ અને મૂત્રનો રંગ પીળો થઈ જાય છે અને લીવર નબળું થઈ જાય છે અને યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરી ડે છે. એટલુંજ નહિ દર્દીની ભૂખ ધીરે ધીરે ઓછી થઈ જાય છે અને ઊબકા ફરિયાદ રહે છે.
કમળાના લક્ષણો કે ઓળખ:
-દર્દીને તાવ રહે છે.
-ભૂખ ઓછી લાગે છે.
-ચરબીયુક્ત ભોજનની વિપરીત.
-ઊબકા અને ક્યારેક ક્યારેક ઊલટી થવી.
-માથાનો દુખાવો.
-માથાના ડાબા ભાગમાં દુખાવો.
-આંખ અને નખનું પીળું પડી જવું.
-પીળો પેશાબ.
-વધારે પડતી નબળાઈ અને થાક જેવું લાગ્યા કરવું.
કમળાના રોગથી બચાવ અને તેને રોકવાના ઉપાયો:
કમળાના પ્રકોપથી બચવા માટે કેટલીક સરળ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.:
-જમવાનું બનાવતા પહેલા, પીરસટા પહેલા, જમવાનું જમતા પહેલા અને પછી અને શૌચ કર્યા પછી આપે આપના હાથને સાબુથી સારી રીતે ધોવા જોઈએ.
તાજુ, શુધ્ધ ગરમ ભોજન ખાવું, દૂધ અને પાણીને ઉકળવા અને તેનો ઉપયોગ કરવો.
પીવા માટે અને ઘર ઉપયોગ માટે પાણી ફક્ત નળ, હેન્ડપંપ કે કૂવાનો ઉપયોગ કરવો. મૂત્ર, કચરાખોદ અને દફન ક્રવપ જોઈએ કે યોગ્ય જગ્યાએ બાળી દેવો જોઈએ.
કમળાના રોગના ઉપાયો:
ગંદા, સડી ગયેલા, ખાટા અને કાપીને રાખી મુકેલ ફળ ખાવા જોઈએ નહિ, ધૂળ કે માખીઓ બેઠેલી મીઠાઇ પણ ખાવી નહિ.
એક ચોખ્ખા બાથરૂમનો ઉપયોગ કરો, જો આપને બાથરૂમ જવા અને બહાર જવાની જરૂર નથી તો આવાસીય પડોસથી દૂર થઈ જવું અને સ્નાન કર્યા પછી સૂઈ જવું.
બાળકોને ત્યાં સુધી સ્કૂલ કે બહાર જવાની અનુમતિ ના આપશો જયા સુધી ડૉક્ટર જણાવે નહિ કે તે બીમારી થી મુક્ત છે.
ઇન્જેકશન આપતી વખતે સિરિંજ અને સોઈને ૨૦ મિનિટ સુધી ઉકળવા દેવા , નહિ તો આ બીમારી ફેલાવા માટે ઉપયોગી બની શકે છે.
રક્ત દાતાઓની યોગ્ય તપાસથી પણ બી કમળાના વેક્ટરના પ્રકારની જાણકારી મેળવી શકાય છે.
આજની વ્યક્તિ સાથે યૌન સંપર્કથી પણ બી કમળનું કારણ બની શકે છે.
જો આપને લાગે કે આપ કમળાના શિકાર બન્યા છો તો આ બીમારીના ઉપચારના ઉપાયો અજમાવવા જોઈએ.:
– એક ગ્લાસ પાણીમાં ત્રિફલાની એક મોટી ચમચી પલાળવી. આખીરાત પલાળી રાખ્યા પછી સવારે આ પાણીને ગળી લેવું લગભગ બે અઠવાડિયા સુધી આ પ્રયોગ કરવાથી કમળાના રોગમાં ઘણી રાહત મળે છે.
– સીતાફળને એક ગ્લાસ પાણીમાં આખીરાત પલાળી રાખ્યા પછી તેને સવારે પી લેવું. રોજ આમ કરવાથી કમળો મટી જાય છે.
-એક ગ્લાસ ટામેટાના રસમાં એક ચપટી કાળી મરચી અને મીઠું નાખીને સવાર સાંજ પીવાથી કમળમાં ખૂબ લાભ થાય છે. ટામેટમાં એન્ટિઓક્સિડન્ટ હોય છે. જે બીમારી સામે લડવામાં મદદ કરે છે.
– કોબીજ અને ગાજરનો રસ કાઢી લેવો, પછી તેને એકસરખ પ્રમાણમાં ભેળવવો અને પીવાથી પણ કમળામાં ખૂબ ફાયદાકારક રહે છે. આ રસનું સેવન રોજ કરવાથી વ્યક્તિ જલ્દીજ રોગ મુક્ત થઈ જાય છે.
-લીમડાના પાનને ધોઈને તેનો રસ કાઢીને રોગીને આપવાથી પણ કમળાના રોગમાં લાભ થાય છે. એટલા માટે દિવસમાં ૧ ચમચી લીમડાના પાનનો રસ ખૂબ ફાયદાકારક હોય છે.
– કમળામાં લીંબુ, સંતરા અને વિટામિન સી થી ભરપૂર ફળોનો જ્યુસ પીવાથી ખૂબ ફાયદાકારક હોય છે. રોજ લીંબુ પાણી પીવાથી પણ આપ આ બીમારીથી છુટકારો મેળવી શકો છો.
-આ બીમારીમાં હળવો અને સુપાચ્ય ભોજન કરવાનું ખૂબ સારું હોય છે. પાતળી ખિચડી, દળિયા, બાફેલા બટાકા, શક્કરીયાં ખાવા આપના માટે ફાયદાકારક હોય શકે છે. આ ઉપરાંત આપ બ્રાઉન સુગર, મૂળ અને મઠઠાનું પણ સેવન કરી શકો છો.
– શેરડીનો રસ પીવાથી કમળાના દર્દીઓ માટે રામબાણ ઈલાજ છે. દરરોજ શેરડીનો રસ પીવાથી આ બીમારીને જડથી ખતમ કરી શકાય છે. એટલે આને પણ આપે આહારમાં સામેલ કરો.
-કાચા અને પાકા પપૈયાં, મૂળનો રસ, જવ, આમળા, તુલસી, અનાનસ, દહી વગેરેનો ઉપયોગ કરવો. આ કમળામાં મદદ કરશે. આ સિવાય ગ્લુકોઝનું સેવન કરવાનું ભૂલવું નહિ.
– આ બીમારીમાં શરીરમાં પાણીની ઉણપ રહે છે, એટળ માટે વધારે પાણી પીવું, જેથી હાનિકારક તત્વો શરીરની બહાર નીકળી શકે. પાણી ઉકાળીને પીવું, અને બહારના પાણીથી બચવું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ