ઘરની આ દિશાની દીવાલ પર ક્યારેય ન લગાડવી ઘડિયાળ, નહીં તો સહન કરવી પડશે પૈસાની તંગી
વર્તમાન સમયમાં નવી જનરેશન વાસ્તુશાસ્ત્ર પર ધ્યાન દેતી નથી. જેના કારણે તેમને અનેક સમસ્યાઓનો કરવો પડે છે.
આજે તમને વાસ્તુશાસ્ત્રની કેટલીક વિશેષ જાણકારી આપવામાં આવી છે. આ જાણકારી તમારા જીવનમાંથી ધનનો અભાવ દૂર કરી શકે છે.
એવું કોઈ નહીં હોય જેના ઘરમાં ઘડિયાળ ન રાખેલી હોય. લોકોના ઘરના દરેક રુમમાં ઘડિયાળ રાખેલી હોય છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દીવાલ પર ઘડિયાળ લગાવવાની નક્કી દિશા હોય છે. સાથે જ ઘરના ખાસ સ્થાન પર ઘડિયાળ લગાવવાની મનાઈ હોય છે.
જો વાસ્તુ અનુસાર ઘડિયાળ લગાવશો તો સમય સારો આવશે જ્યારે તેના નિયમોનું પાલન નહીં કરો તો સમય અનેક સમસ્યાઓ અને દરિદ્રતાઓ લઈને આવશે.
દક્ષિણ દિશામાં ઘડિયાળ
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘડિયાળ જો ઘરની દક્ષિણ દિશામાં લગાવેલી હોય તો તુરંત તેને હટાવો.
કારણ કે તેનાથી તમારે અને તમારા પરીવારના સભ્યોને આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.
વાસ્તુશાસ્ત્રના નિષ્ણાંતો અનુસાર દક્ષિણ દિશાને ઠહેરાવની દિશા કહેવાય છે, આ દિશામાં ઘડિયાળ હશે તો તમારા પરીવારના સભ્યો પર તેની ખરાબ અસર પડી શકે છે.
દરવાજા ઉપર ઘડિયાળ
નિષ્ણાંતો જણાવે છે કે ઘરમાં દરવાજા ઉપર પણ ઘડિયાળ રાખવી નહીં. તમારા ઘરમાં કોઈ દરવાજા પર ઘડિયાળ લગાવેલી હોય તો તેને તુરંત દૂર કરો.
કારણ કે તે વાસ્તુશાસ્ત્રના નિયમ વિરુદ્ધ છે. તેના કારણે તમારા ઘરમાં આર્થિક સમસ્યાઓ આવતી જ રહેશે.
પૂર્વ દિશામાં રાખો ઘડિયાળ
વાસ્તુના નિષ્ણાંતો જણાવે છે કે જો તમારી ઈચ્છા હોય કે તમારા ઘરમાં ધનની ખામી ન રહે તો ઘડિયાળને પૂર્વ દિશાની દિવાલ પર લગાવો. આ દિશામાં રાખેલી ઘડિયાળ સમૃદ્ધિ લાવશે.
કેવી ઘડિયાળ શુભ હોય છે?
વાસ્તુ નિષ્ણાંતો અનુસાર ઘરમાં પેન્ડુલમવાળી ઘડિયાળ રાખવી શુભ ગણાય છે. આવી ઘડિયાળ પરીવારના દરેક સભ્ય માટે શુભ સાબિત થાય છે. તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જા વધે છે.
બંધ ઘડિયાળ
ઘરમાં બંધ ઘડિયાળ રાખેલી હોય તે દિવાલ પર લટકતી હોય તો તેને પણ તુરંત દૂર કરો અથવા તેને રીપેર કરાવી લો.
બંધ ઘડિયાળ તમારી પ્રગતિમાં બાધા ઊભી કરે છે અને પ્રગતિ અટકાવે છે. ઘરમાં જો ઝાંખા કાચવાળી અને વારંવાર બગડી જતી ઘડિયાળ લગાવેલી હશે તો તે ઘરના સભ્યોની સફળતામાં બાધા બની શકે છે.
દરવાજાની ઉપરના ભાગે લગાવેલી ઘડિયાળ સુખ-શાંતિ માટે બાધારૂપ બને છે.
સમય કરતાં વહેલી ઘડિયાળ
મોટા ભાગના લોકો કેટલીક ઘડિયાળને સમય કરતાં વહેલી રાખે છે. તેના કારણે ઘરની અન્ય ઘડિયાળોમાં એકસરખો સમય રહેતો નથી.
આમ કરવાથી પણ નકારાત્મક ઊર્જા વધે છે અને ઘરના સભ્યોની પ્રગતિ પણ અટકી જાય છે.
ઓફિસ કે દુકાનમાં પણ બંધ ઘડિયાળ ક્યારેય રાખવી નહીં. બંધ ઘડિયાળ આવકને પણ અટકાવી દે છે. ઘડિયાળ પર ધૂળ પણ ન જામે તેનું ખાસ ધ્યાન રાખવું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ