વાવાઝોડા બાદ રાજ્યમાં હવામાનને લઈને આવ્યા મોટા સમાચાર

રાજ્યમાં એક તરફ કોરોનાનો કહેર ચાલી રહ્યો છે તો બીજી તરફ તાઉ તે વાવાઝોડાને કારણે મોટી ખુવારી થઈ છે. અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને લોકોને કરોડોનું નુકશાન પણ થયું છે. તો બીજી તરફ રાજ્યમાં આવનારા દિવસોમાં ગરમી પ્રકોપ જોવા મળે છે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે, નોંધનિય છે કે હાલમાં વાવાઝોડાને કારણે ખાબકેલા વરસાદની વાતાવરણમાં ઠંડક બાદ આવી છે પરંતુ ફરી લોકોને આકરી ગરમી સહન કરવી પડશે.

image source

આ અંગે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 21 મે થી રાજ્યમાં આકરી ગરમીનું પ્રમાણ વધી શકે છે, અને તાપમાનમાં ભારે વધારો થઈ શકે છે, નોંધનિય છે કે, વાવાઝોડાની અસરને પગલે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો હતો જેને લઈને રાજ્યમાં અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેના કારણે સમગ્ર રાજ્યમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. રાજ્યમાં કેટલાક વિસ્તારમાં 9 ઈંચ જેટલો વરસાદ થયો હતો અને ઘણી નદીઓમાં પૂર આવ્યું હતું.

image source

તમને જણાવી દઈએ કે, તૌકતે વાવાઝોડું હવે ડીપ ડિપ્રેશનમાંથી ડિપ્રેશનમાં ફેરવાયું છે અને ગુજરાતમાં થયેલા વાવાઝોડાને કારણે થયેલા નુક્સાનનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે, જો કે ગઈ કાલે પીએમ મોદીએ રાજ્યમાં થયેવા નુકશાનને પગલે 1 હજાર કરોડની સહાયની જાહેરાત કરી છે.

image source

તો બીજી તરફ રાજ્યમાં હવે વાતાવરણમાં ઘણો સુધારો જોવા મળી રહ્યો છે, શુક્રવારથી રાજ્યના તમામ જિલ્લાઓમાં તાપમાનમાં વધારો થઈ શકે હવામાન વિભાગ અનુસાર તાપમાનમાં ચારથી પાંચ ડિગ્રીનો વધારો થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. નોંધનિય છે કે, સોમવારે રાત્રે દીવ અને ગીર સોમનાથ વચ્ચે થયેલા વાવઝોડાના લૅન્ડફોલ બાદ મંગળવારે વાવાઝોડું ગુજરાતના વિવિધ ભાગોમાંથી પસાર થયું હતું. ત્યાર બાદ વાવાઝોડું ઉત્તર તરફ આગળ વધ્યું હતું. આ વાવાઝોડાએ રાજ્યનાં અનેક વિસ્તારોમાં તબાહી સર્જી છે. જેની સામે પીએમ મોદીએ આકાશી નિરિક્ષણ કરીને રાજ્યને એક હજાર કરોડની સહાય કરી હતી.

image source

તો બીજી તરફ હવામાન વિભાગનાં જણાવ્યાં પ્રમાણે, જ્યારે આજે એટલે 20મી તારીખે, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, વડોદરા, નર્મદા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી અને કચ્છમાં હળવાથી મધ્ય પ્રકારનો વરસાદ પડી શકે છે આ ઉપરાંત પ્રતિ કલાકે 30થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. નોંધનિય છે કે, ગુજરાત પરથી ભલે તૌકતે વાવાઝોડાનું સંકટ ટળ્યું હોય પરંતુ હવે રાજ્યનાં વાતાવરણમાં બદલાવ આવશે અને કાળઝાળ ગરમી ફરીથી શરૂ થશે.

image source

તો બીજી તરફ વાવાઝોડાની અસરને કારણે આજે પણ સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતનાં કેટલાક સ્થળોએ ભારે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો બીજી તરફ 21મી તારીખે એટલે કે શુક્રવારે રાજ્યભરમાં શુષ્ક વાતાવરણનો અનુભવ થશે અને તાપમાનમાં વધારો નોંધાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!