લન બનાવી રાખવામાં મદદ કરે છે. જેનાથી નકારાત્મક ઉર્જા ઘરમાં ન રહે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય. આ સિવાય દૈનિક જીવનમાં ઉપયોગમાં આવતી ચીજોને તેવી રીતે રાખવા જોઇએ જેની સાથે ભૂલ થાય તો જીવનમાંથી સુખ સમૃદ્ધનો નાશ થાય છે.
શિવલીંગ અને શાલિગ્રામ
જો તમારા ઘરમાં શીવલીંગ કે શાલિગ્રામ છે તો તેને ક્યારેય જમીન પર ન રાખવુ જોઇએ. તમારે તે વાતનુ ધ્યાન રાખવુ જોઇએ કે જો મંદિરની સાફ સફાઇ પણ થઇ રહી છે તો તેને પ્લેટ કે ઉપરના સ્થાન પર રાખો. જમીન પર રાખવાથી તમારા જીવનમાં ઘણી બધી સમસ્યાઓ આવી શકે છે.
ફૂલ-માળા, શંખ અને તુલસી
પૂજા પાઠની સાથે અન્ય શુભ વસ્તુઓ જેમ કે તુલસીના પાન, કપૂર, વેગેરેને પણ જમીન પર ન રાખવા જોઇએ. જ્યારે પણ એવી પરિસ્થિતિ સર્જાય ત્યારે તેને પૂજાની થાળી કે કોઇ ઉપરના સ્થાને રાખવુ જોઇએ જેનાથી તમે પાપના ભાગીદાર થવાથી બચશો.
કોડી અને છીપ
માતા લક્ષ્મીની પૂજામાં કોડી અને છીપનુ વિશેષ મહત્વ છે. કોડીને કુબેરનો પ્રતિનીધિ માનવામાં આવે છે અને એવી માન્યતા છે કે કોડીનો જન્મ જ માતા લક્ષ્મીની જેમ જળમાંથી થયો છે. ભૂલથી પણ કોડી કે છીપને જમીન પર રાખવા નહી.
રત્ન આભૂષણ
સોનુ, ચાંદી, હીરા, મોતી વગેરે જેવા બહુમુલ્ય ધાતુઓ અને રત્નોનો સંબંધ કોઇ ને કોઇ ગ્રહ સાથે હોય છે. માટે વાસ્તુશાસ્ત્રની જો માનવામાં આવે તો તેને સીધુ જમીન પર ના રાખવુ જોઇએ. આવુ કરવાથી તેમનુ અપમાન માનવામાં આવે છે.
વાસ્તુશાસ્ત્રમાં ટુચકાઓનું ખાસ મહત્વ રહેલું છે. જીવનમાં આવતી નાની-મોટી સમસ્યાઓના નિવારણ માટે આ ટુચકા અસરકારક સાબિત થાય છે. આ ઉપાયથી રોગ, માનસિક ચિંતા, શારીરિક પીડા દૂર થાય છે તેમજ ઘરમાં અન્ન-ધન, સુખ-શાંતિ હંમેશા રહે છે. આવો જાણીએ કેટલાક ઉપાયો દ્વારા જીવનમાં સુખ-સમૃદ્ધિ સાથે પ્રગતિ મેળવી શકાય છે.
– સૂર્યોદયના સમયે જો ઘરની છત પર કાળા તલ વિખેરી દેવામાં આવે તો ઘરમાં સુખ સમૃદ્ધિ કાયમ રહે છે.
?
– સવારે ઉઠીને મુખ્ય દરવાજાની બહારથી સફાઈ કરીને એક ગ્લાસ પાણી છાંટી દો. તેનથી ઘરમાં બરકત થાય છે. બેંક અને ખિસ્સામાં રૂપિયા ઝડપથી વધવા માંડે છે.
– આસોપાલવના મૂળમાંથી એક ટુકડો ઘરે લાવી તેને મંદિરમાં રાખી રોજ તેની પૂજા કરવાથી ધનની કમી નથી રહેતી.
– પાણીની ડોલમાં 2 ચમચી મીઠુ નાખી દો. પછી પોતું મારો. તેનાથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે.
– જો પતિ-પત્ની વચ્ચે ઝગડો થતો રહેતો હોય તો પૂજા ઘરમાં મંગળ યંત્ર મુકો. સાથે જ રોજ રસોઈ બનાવ્યા પછી ચૂલાને દૂધથી ઠંડો કરો. તેનાથી સંબંધોમાં મઘુરતા આવે છે.
– હંમેશા પૂર્વ કે દક્ષિણ દિશા તરફ માથુ રાખીને સુવો. પૂર્વની તરફ માથુ કરીને સુવાથી વિદ્યાની પ્રાપ્તિ થાય છે. દક્ષિણ દિશા તરફ મોઢુ કરીને સુવાથી ધન અને આયુષ્યમાં વધારો થાય છે.
– તુલસીના કુંડામાં બીજો કોઈ છોડ ન લગાવશો. તુલસી હંમેશા ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં લગાવો.
– ઘરમાં તુટેલું ફર્નીચર, વાસણ, કાંચ, ફાટેલા કપડા અને કચરો રહેતો હોય તો તેને ઝડપથી ઘરમાંથી બહાર નીકાળી દો.
– તિજોરીનુ લોકર હંમેશા બે બોક્સમાં મુકો. એકમાં થોડા રૂપિયા મુકીને બંધ કરો અને તેમાંથી રૂપિયા કાઢશો નહી. બીજા બોક્સમાંથી કામ માટે રૂપિયા કાઢો.