દરેક વ્યક્તિ હંમેશા એ ઇચ્છતી હોય છે કે તેના જીવનમાં તેના કુટુંબમાં ક્યારેય ધનની કમી ન આવે. તેમાં કોઈ શંકા નથી હોતી કે વ્યક્તિ પૈસા કમાવા માટે ખૂબ મહેનત કરે છે પણ તેમ છતાં એવું બનતું હોય છે કે તેની મહેનત પ્રમાણે તેને રૂપિયા નથી મળતા અને જીવનમાં તેને પૈસાની ખોટ રહ્યા જ કરે છે. જો તમને પણ સતત ધનની ખોટ રહેતી હોય તો અને તમે પણ પૈસાનો પ્રવાહ એકધારો રાખવા માગતા હોવ તો તમારા માટે એક ખુબ જ સરળ ઉપાય લઈને આવ્યા છીએ. આજે અમે તમને 10 એવા નમસ્કાર મંત્રો વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેને રોજ સવારે ઉઠીને તમારે જપવાના છે અને તેમ કરવાથી તમારા જીવનમાં ક્યારેય ધન-સંપત્તિની ખોટ નહીં રહે. તો ચાલો જાણીલો આ મંત્રો વિષે.
લક્ષ્મી નારાયણ નમઃ
ધનાય નમો નમઃ
લક્ષ્મી નમો નમઃ
લક્ષ્મી નારાયણ નમો નમઃ
નારાયણ નમઃ
પ્રાપ્તાય નમો નમઃ
લક્ષ્મી નમઃ
પ્રાપ્તાય નમઃ
નારાયણ નમો નમઃ
ઓમ ધનાય નમઃ
આ મંત્રોનું છે અત્યંત મહત્ત્વ
ઉપર જણાવેલા દરેક મંત્રને ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે. મંત્ર જપની માહિતી બધા જ હિન્દુ ગ્રંથોમાં મળે છે. હિન્દુ ધાર્મિક માન્યતાઓ પ્રમાણે આવી કોઈ મુશ્કેલી કે આપત્તિ કે પછી કોઈ આર્થિક પીડા આવી ચડે ત્યારે તમારે તેનું નિવારણ આ મંત્રો દ્વારા થઈ શકે છે. એવો કોઈ જ લાભ નથી જે તમને મંત્રો દ્વારા પ્રાપ્ત ન થઈ શકે.
મંત્ર જાપથી માનસિક એકાગ્રતા વધે છે. મંત્રનો વારંવાર જાપ કરવાથી તમારા મનમાં સારા વિચાર આવે છે, મનુષ્યને નૈતિક બળ મળે છે. આ જ માનસિક શક્તિ અને નૈતિક બળ તેને મોટા મોટા લક્ષ્યો પ્રાપ્ત કરવામાં મદદ કરે છે.,
કહેવાય છે જ્યારે માણસ નિરાસ હતાશ થઈ જાય અને તેને કોઈ જ આશા ન દેખાય ત્યારે તેને માત્ર એક જ આશા રહે છે અને તે ભગવાનની આશા છે. જ્યારે આપણા હાથમાં કશું જ નથી હોતું ત્યારે ભગવાન પર બધું છોડી દેવાની લોકો સલાહ આપતા હોય છે. અને આપણે એ પણ સારી રીતે માનીએ છીએ કે આપણા કરતાં ભગવાન આપણું વધારે સારું ઇચ્છે છે. માટે જો તમે આર્થિક રીતે નિરાશ થઈ ગયા હોવ તો આજથી જ રોજ સવારે ધનપ્રાપ્તિના આ મંત્રોમાંથી કોઈ એકનો જાપ શરૂ કરી દો. અને ભગવાન પરની શ્રદ્ધાને ક્યારેય ડગવા ન દો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
———–આપના સહકારની આશા સહ,