ટીવીની આ ફેમસ અભિનેત્રીએ શેર કરી દીધી રિલેશનશિપની સિક્રેટ વાત, અને જે કહ્યું એ જાણીને તમે પણ કહેશો સાવ આવું તો ના હોય યાર!

ડોલી અરમાનો કી સિરિયલ દ્વારા ઘર ઘરમાં લોકપ્રિયતા મેળવનાર સુંદર અભિનેત્રી નેહા મર્દાની પર્સનલ લાઈફ વિશે જાણવા એમના ફેન્સ હંમેશા આતુર રહે છે. નેહા ટીવીની મોસ્ટ ટેલેન્ટેડ અને સૌથી ફિટ એક્ટ્રેસ ગણાય છે. જો કે નેહા મર્દાના લગ્નને 9 વર્ષ થઈ ગયા છે અને પતિ આયુષમાન અગ્રવાલ સાથે લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપ હોવા છતાં બંને વચ્ચે ખૂબ જ પ્રેમ છે. એમની વચ્ચે કેટલો પ્રેમ છે એની ઝલક ઘણીવાર સોશિયલ મીડિયા પર એમના ફોટામાં જોઈ જ શકાય છે. એવું ખબર આવી છે કે નેહા બેબી પ્લાનિંગ કરી રહી છે. આ સાથે જ નેહાએ પતિ સાથેના લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપને મજબૂત બનાવી રાખવાના સિક્રેટ પણ જણાવ્યા છે.‘

image source

વાત જાણે એમ છે કે નેહા મર્દાએ 10 ફેબ્રુઆરી 2012માં પટનાના બિઝનેસમેન આયુષમાન અગ્રવાલ સાથે અરેન્જ મેરેજ કર્યા હતા. જો કે લગ્ન પછી પોતાના પતિ સાથે ક્વોલિ5 ટાઈમ પસાર કરવા માટે નેહાએ થોડો સમય ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી બ્રેક લીધો હતો અને લગ્ન પછી નેહાએ પોતાની જવાબદારી સારી રીતે નિભાવી.

image source

તમને જણાવી દઈએ કે લગ્નના થોડા સમય પછી જ એમને ડોલી અરમાનો કી સિરિયલથી ફરી એકવાર ટીવી પર કમબેક કર્યું હતું. આ સીરિયલમાં ઊર્મિનું પાત્ર નિભાવીને નેહા ફરી એકવાર લોકોના દિલોમા પોતાની ખાસ જગ્યા બનાવી કારણ કે આ પહેલા નેહા મર્દાએ બાલિકા વધુમાં પણ પોતાની દમદાર એક્ટિંગથી નામ કમાઈ ચુકી હતી.

image source

ટીવી સીરિયલમાં કામ કરવાને લીધે નેહા લગ્ન પછી મુંબઈમાં રહે છે જ્યારે એમના પતિ પટનામાં રહીને પોતાનો બિઝનેસ સંભાળી રહ્યા છે. એમના લગ્નને 9 વર્ષ થઈ ગયા છે અને લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપ હોવા છતાં બંને વચ્ચે અતૂટ બંધન છે.

image source

પોતાની પ્રેગ્નનસી અને બેબી પ્લાનિંગ પર નેહા મર્દાનું કહેવું છે કે એ બાળકો માટે પાગલ હતી. એકવાર જ્યારે એમને મહેસુસ થયું કે એ પ્રેગ્નેન્ટ થઈ શકે છે તો એ વિચારીને એ પરેશાન થઈ ગઈ કે એમને એક વર્ષ માટે શો સાઈન કર્યો છે અને જો એ આ દરમિયાન પ્રેગ્નેન્ટ થઈ ગઈ તો શું થશે?
નેહાનું કહેવું છે કે એ માતા બનવા માંગતી હતી પણ એમને એજ વર્ષ માટે મેકર્સને કમિટમેન્ટ આપી દીધું હતું, એટલે એમને એ દરમિયાન પ્રેગ્નનસી અવોઇડ કરી પણ હવે એ આ માટે પ્લાનિંગ કરી રહી છે. નેહા કહે છે કે એ બેબી માટે પ્લાનિંગ કરી રહી છે, જ્યારે પણ ભગવાન આ સ્ટોરી લખવા માંગશે કે લખવાનું શરૂ કરશે, તો બધાને આ વિશે ખબર પડી જશે.

image source

હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન નેહાએ પતિ આયુષમાન અગ્રવાલ સાથે પોતાના રિલેશનશિપ વિશે ખુલીને વાત કરી.એમને કહ્યું કે એ પોતાના પતિને મળવા માટે હંમેશા આતુરતાથી રાહ જોવે છે. એ હંમેશા એમનો પીછો કરતી રહેશે. નેહા કહે છે કે એ પોતાના પતિને સમજે છે અને એમના માટે પાગલ છે એટલે એ હંમેશા એમને મળવાની રાહ જોવે છે.

image source

નેહાનુ કહેવું છે કે જ્યારે એમના લગ્ન થયા હતા તો એમને ડોલી અરમાનો કી શો માટેની ઓફર મળી હતી જેના કારણે એ મુંબઈ આવી ગઈ અને દર મહિને 6- 7 દિવસની રજા લઈને પતિને મળવા માટે પટના જતી હતી.

image source

તો આયુષમાન પણ પત્ની નેહાને મળવા માટે ઘણીવાર મુંબઈ આવે છે. દૂર રહીને મળવાની આતુરતા બંનેને બેચેન કરે છે અને બીઝી શિડયુલ હોવા છતાં બન્ને એકબીજાને મળવા માટે સમય કાઢી લે છે.

image source

બાલિકા વધુ અને ડોલી અરમાનો કી સિરિયલ દ્વારા ઘર ઘરમાં ફેમસ થયેલી નેહા મર્દા હાલના દિવસોમાં ક્યોં રીશતો મેં કટ્ટી બટ્ટી નામની સીરિયલમાં કામ કરી રહી છે. નેહાની વાતો પરથી એવું લાગે છે કે એ જલ્દી જ એમના ફેન્સને ગુડ ન્યૂઝ આપી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત