Health Tips: આ રીતે કરો તકમરિયાનો ઉપયોગ, જે ઘટાડશે સડસડાટ વજન અને સાથે આ ફાયદાઓ પણ આપશે

આપણે સૌએ તકમરિયા નું નામ સંભાળ્યું જ હશે. તે નાના અને કાળા દાણામાં આવે છે તેમાં ઘણા પોષક તત્વો રહેલા હોય છે. તેમાં પ્રોટીન અને એન્ટી ઓક્સિડંટ જેવા ગુણો રહેલા છે. આ સિવાય આમાં વિટામિન એ અને કે, લ્યુટિન, કેલ્શિયમ, કોપર, પોટેશિયમ, આયર્ન જેવા ઘણા તત્વો રહેલા છે. આ એક ગ્લાસ પાણીમાં નાખીને તેને સાકર સાથે લેવાથી આપણને એસિડિટી જેવી ઘણી સમસ્યાથી રાહત મળી શકે છે. તેનાથી બળદ શુગરને પણ નિયંત્રણમાં રાખી શકીએ છીએ. તેનાથી જે લોકોને ડાયાબિટીસ છે તેવા લોકોને ઘણી મદદ મળે છે. આનાથી કબજિયાત, ગેસ જેવી પેટને લગતી ઘણી સમસ્યા દૂર થઈ શકે છે. તેથી આનું નિયમિત સેવન કરવું જોઈએ તેનાથી ત્વચા અને વાળ પણ સ્વસ્થ રહી શકે છે.

એનીમિયા જેવી સમસ્યાથી બચાવે છે :

image source

આ તકલીફ વધારે પડતી ગર્ભવતી મહિલાને વધારે થાય છે. આવી સ્થિતિમાં લોહીની કમી થાય ત્યારે ત્યારે આને નિવારવી જોઈએ. તેનાથી લોહીની કમી રહેતી નથી તેના માટે આપણે આપના રોજિંદા આહારમાં ધ્યાન આપવું પડે છે. આપની ખરાબ ખવાપીવાની આદતને કારણે આપણને આ સમસ્યા થવા લાગે છે તેનાથી બચવા માટે તમારે અવધારે આયર્ન હોય તેવી વસ્તુઓ ખાવી જોઈએ. તેના માટે આ ખૂબ જરૂરી છે આમાં ભરપૂર માત્રામાં આયર્ન રહેલું હોય છે. તેથી આનું સેવન કરવાથી આપણને રક્તની કમી રહેતી નથી.

હાડકાં મજબૂત કરે છે :

image source

આમાં કેલ્શિયમ વધારે માત્રામાં હોવાથી તે આપના શરીરના હાડકાને મજબૂત બનાવે છે તેની સાથે દૂધ ભેળવીને લેવાથી લબહ થાય છે તેનાથી હાડકાનો દુખાવો થતો નથી.

પ્રોટીનની કમી દૂર કરે છે :

image source

જે લોકો જિમમાં કસરત કરે છે તે લોકોને સૌથી વધારે પ્રોટીની જરૂરી હોય છે. ત્યારે આ સૌથી ઉત્તમ ગણાય છે. તે પ્રોટીનનો સૌથી શ્રેષ્ઠ સ્ત્રોત માનવમાં આવે છે. તેનાથી પ્રોટીનની કમી રહેતી નથી. તેનાથી મસલ્સ બની શકે છે. તેથી આનો ખોરાકમાં ઉપયોગ કરવો જોઈએ.

ત્વચાને લગતી તકલીફ દૂર કરે છે :

image source

આમાં કેલ્શિયમ, વિટામિન, એન્ટી ઓક્સિડંટ, એન્ટી એંજિગ જેવા ગુણ રહેલા છે. તેનાથી ત્વચાને લગતી બીમારી થવાથી પણ દૂર રાખે છે. તેનાથી ત્વચાને પોષણ મળે છે અને તેની સાથે ત્વચાને ચમકદાર અને તાજગી આપે છે.

યાદશક્તિમાં વધારો કરે છે :

image source

લોકોને યાદશક્તિ નબડી પડવાની સમસ્યામાં થતી હોય છે. ઘણા લોકો ધૂમ્રપાન અને દારૂનું સેવન કરવાથી આપણે જે ખોરાક લઈએ છીએ તેના પોષક તત્વો આપણને મળતા નથી અને આપના મગજને નબડું પાડી દે છે. તેનાથી યાદશક્તિ નબડી પાડવા લાગે છે. તેના માટે આનું સેવન કરવું જોઈએ. તેનાથી યાદશક્તિમાં વધારો થશે.

વજન ઘટાડવામાં ઉપયોગી :

image source

ઘણા લોકો તેના વજન વધારાની સમસ્યાને કારણે ચિંતા કરતાં હોય છે તેને આનું સેવન રોજે કરવું જોઈએ. આનાથી આપણને ઓછી ભૂખ લાગે છે. તેનાથી વજન વધતું નથી અને આનું નિયમિત સેવન કરવાથી ડાયાબિટીસનો થવાનો ખતરો ઓછો રહે છે.

પાચનતંત્ર સારી બને છે :

image source

આનું સેવન કરવાથી પાચન ને લગતી સમસ્યા દૂર થાય છે. તેમાં ફાઈબર વધારે માત્રામાં રહેલું હોય છે. તેનાથી પાચનને લગતી સમસ્યા થતી નથી. તે પેટને હમેશા તંદુરસ્ત રાખે છે. તેનાથી પેટને લગતી તકલી થતી નથી.

વાળ માટે લાભદાયી :

image source

સ્વાસ્થ્યની સાથે આ આપના વાળને પણ ઘણા ફાયદા કરે છે. તેમાં વિટામિન બી રહેલું હોવાથી તે વાળને પોષણ આપે છે તેનાથી વાળ લાંબા, ઘાટા, કાળા અને મુલાયમ બને છે. તેનાથી વાળને લગતી સમસ્યા દૂર થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત