સામાન ભરવા માટેની બેગના 10 રૂપિયા દુકાનદારને લેવા પડ્યા ભારે, જાણી લો તમે પણ તમારો અધિકાર

જ્યારે તમને બજારમાં દુકાનમાં કેરી બેગ માટે પૈસા માંગવામાં આવે છે, ત્યારે તમે શું કરો છો ? મોટાભાગ ના લોકો ચૂકવણી કર્યા પછી તેમનો સામાન કેરી બેગમાં પેક કરે છે. ઘણા ઓછા લોકો ફક્ત બેગ લઈ જવાના તેમના અધિકાર વિશે જાણે છે. આવો જ એક કેસ તાજેતરમાં અમદાવાદ ની ગ્રાહક અદાલતમાં નોંધાયો હતો. રિટેલર દ્વારા ગ્રાહક પાસે થી પેપર બેગ માટે દસ રૂપિયા વસૂલવા બદલ કોર્ટે એક હજાર પાંચસો રૂપિયા નો દંડ ફટકાર્યો છે.

image source

આ ઉપરાંત ગ્રાહક વિવાદ નિવારણ પંચ ના અધ્યક્ષ જે જે પંડયાએ પણ વિક્રેતા ને ફરિયાદી પાસે થી મળી આવેલા રૂ. દસ ને આઠ ટકા વ્યાજ સાથે પરત કરવા નિર્દેશ આપ્યો હતો. ઓર્ડર પસાર થયાના ત્રીસ દિવસ ની અંદર તેઓએ આ ચૂકવવું પડશે. આજે અમે તમને કેરી બેગ સાથે જોડાયેલા કેટલાક અધિકારો વિશે જણાવી રહ્યા છીએ જેથી તમારે કન્ઝ્યુમર કોર્ટમાં જવાની જરૂર ન પડે.

કેરી બેગ માટે વધારાના પૈસા વસૂલવા કાયદાકીય રીતે શિક્ષાપાત્ર છે

image source

નવો ગ્રાહક કાયદો ગયા વર્ષે જ લાગુ કરવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ કોઈ પણ ગ્રાહક દેશના કોઈ પણ ગ્રાહક પક્ષો માં ફરિયાદ નોંધાવી શકે છે. આ નિર્ણય થી દુકાનદારો પર ઘણી હદ સુધી લગામ લગાવવામાં પણ મદદ થઈ છે. આ કાયદા હેઠળ દુકાનદાર કેરી બેગ ચાર્જ કરે અને ગ્રાહક ફરિયાદ નોંધે તો કાર્યવાહી કરવામાં આવશે. નવા કાયદા હેઠળ, કેરી બેગ માટે વધારા ના પૈસા વસૂલવા ની સજા છે.

જો માલ લઈ જવામાં સમર્થ ન હોય તો દુકાનદારે કેરી બેગ આપવી પડશે

image source

આ કાયદા હેઠળ જો કોઈ ગ્રાહક માલ ની ખરીદી કર્યા પછી કેરી બેગ ની માંગ કરે છે, તો તેઓએ તેના માટે પૈસા ચૂકવવા પડશે નહીં. આ સિવાય, તમારે એ પણ જાણવું જોઈએ કે જો કોઈ ગ્રાહક સામાન હાથમાં લઇ શકશે નહીં, તો દુકાનદાર ને કેરી બેગ આપવી પડશે.

image source

હકીકતમાં, આવા કેસો ની ઘણી ફરિયાદો અગાઉ પણ ગ્રાહક અદાલતમાં આવી હતી. પરંતુ નવા કાયદામાં આ માટેની જોગવાઈ ઓ કડક બનાવવામાં આવી છે, જેથી સામાન્ય લોકો ને બેગ લઈ જવા માટે વધારે પૈસા ખર્ચ ન કરવો પડે.

ગેરમાર્ગે દોરતી જાહેરાત અંગે સેલિબ્રિટી સામે કાર્યવાહી કરવામાં આવશે

image source

કેરી બેગ માટે પાંચ રૂપિયા, દસ અથવા વીસ રૂપિયા ચાર્જ કરવા માટે દંડ ની જોગવાઈ છે, આ નવા કાયદામાં ગ્રાહકો ને કોઈ પણ ગ્રાહક અદાલતમાં કેસ નોંધવાનો અધિકાર હશે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 1986 માં આવી કોઈ જોગવાઈ નહોતી.

image soyrce

નવા કાયદા અંતર્ગત ગ્રાહકો ને ભ્રામક જાહેરાતો થી પણ મુક્તિ મળશે. જો કોઈ સેલિબ્રિટી કોઈ પણ ઉત્પાદનો ની જાહેરાતમાં આવા દાવા કરે છે, જે પૂર્ણ થઈ શકતી નથી અથવા જો દાવાથી વિરુદ્ધ ઉત્પાદમાં ખામી જોવા મળે છે, તો તેની જવાબદારી સેલિબ્રિટી પર જ નક્કી કરવામાં આવશે.