રણવીર સિંહ પોતાની એક્ટિંગની સાથે સાથે એમની ફેશન સેન્સ માટે પણ જાણીતા છે. તો એમનો ચુલ્બલો અંદાજ દરેકનું દિલ જીતી લે સીબે. એકટર રણવીર સિંહના લાખો ફેન્સ છે, એ જે પણ કરે છે એમના ફેન્સ એમને ફોલો કરે છે. પણ અતરંગી કપડાં પહેરનાર રણવીર સિંહે એકવાર કરીના કપૂરને લઈને એક એવી અતરંગી વાત કરી દીધી હતી કે એ પછી એક્ટરે માફી પણ માંગવી પડી હતી.
રણવીર સિંહને ઘણીવાર એમનો મસ્તી મજાક એમના માટે જ મુસીબત બની જાય છે. વાત જાણે એમ છે કે ઘણા વર્ષો પહેલા રણવીર સિંહ જ્યારે અનુષ્કા શર્મા સાથે કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણમાં પહોચ્યા હતા ત્યારે એમને કરીના કપૂર વિશે એવું કંઈક કહી દીધું હતું કે જેને સાંભળ્યા પછી બધા જ ચકિત થઈ ગયા હતા. આ ચેટ શોમાં રણવીર સિંહ કહ્યું હતું કે કરીના કપૂરને સ્વિમિંગ કરતા જોવા માટે એ એક કલબમાં જતા હતા.
રણવીર સિંહે આગળ કહ્યું કે એ કરીના કપૂરને તરતા જોઈને બાળકમાંથી યુવાન બની ગયા હતા. એ પછી આ ટિપ્પણીને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ જ બબાલ પણ થઈ હતી એ પછી રણવીર સિંહે પોતાની વાત પર માફી પણ માંગી હતી.
તમને જણાવી દઈએ કે રણવીર સિંહ વર્ષ વર્ષ 2018માં પોતાની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ અને બોલીવુડની સુપરહિટ અભિનેત્રી દીપિકા પાદુકોણ સાથે લગ્ન કર્યા છે.બન્નેના અફેરની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી. પણ બન્નેમાંથી કોઈ તે સમયે મગનું નામ મરી પાડવા તૈયાર નહોતું.. જ્યારે કરીના કપૂરે બોલિવુડના નવાબ સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા છે અને સૈફ અલી ખાન અને કરીના કપૂરને બે દીકરા પણ છે જેમાંથી એકનું નામ તૈમુર અલી ખાન છે જયારે બીજા દીકરાનું નામ હજી સુધી કરીના કપૂર કે સૈફ અલી ખાને જાહેર નથી કર્યું.
વાત કરીએ રણવીર સિંહ અને કરીના કપૂર ખાનના વર્કફ્રન્ટની તો જલ્દી જ કરીના કપૂર ખાન લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મમાં દેખાશે. તો રણવીર સિંહ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ 83માં દેખાશે. આ ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવનું પાત્ર ભજવી રહ્યા છે. એ સિવાય રણવીર સિંહ પાસે કરણ જોહરની મલ્ટીસ્ટારર ફિલ્મ તખ્ત પણ છે, આ ફિલ્મમાં રણવીર સિંહ સાથે કરીના કપૂર, આલિયા ભટ્ટ. અનિલ કપૂર અને વિકી કૌશલ પણ દેખાશે, આ સિવાય રણવીર સિંહ પાસે જયેશભાઇ જોરદાર અને સર્કસ જેવી મોટી ફિલ્મો પણ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong