બોલિવૂડ યુગલોની યાદીમાં આલિયા અને રણબીરનું નામ પહેલા આવે છે. ચાહકો ઇચ્છે છે કે આ કપલ જલ્દીથી લગ્ન કરે. તેથી જ લોકો તેમના જીવનથી સંબંધિત દરેક અપડેટ વિશે જાણવા માંગે છે. આવી સ્થિતિમાં કમલ ખાને આ બંનેના લગ્નની ઘોષણા કરી દીધી છે અને તમને જાણીને આશ્ચર્ય થશે કે ફક્ત લગ્ન જ નહીં, કમલે છૂટાછેડાની પણ જાહેરાત કરી દીધી છે. તો આવો જાણીએ આ જાહેરાત વિશે.
કમલ રાશિદ ખાન હંમેશાં તેમના નિવેદનો અંગે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં રહે છે. કેઆરકેનું નામ તે લોકોમાંથી એક છે, જે તેની સોશિયલ મીડિયા પોસ્ટ્સને કારણે હેડલાઇન્સમાં રહે છે. આવી સ્થિતિમાં, આ વખતે કેઆરકેએ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન અંગે ટ્વીટ કર્યું છે.
Prediction 08- Ranbir Kapoor and Alia Bhatt will get married max till end of 2022. But Ranbir Kapoor will divorce her within 15 years after marriage!
— KRK (@kamaalrkhan) July 13, 2021
ખરેખર કે.આર.કે.એ ટ્વિટર પર કેટલીક ભવિષ્યવાણી પોસ્ટ કરી છે, કેઆરકેએ પોતાની ટ્વીટમાં ઘણી વસ્તુઓ લખી છે. આવી સ્થિતિમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ વચ્ચેના સંબંધો અંગે પણ કેઆરકેએ વાત કરી છે. કેઆરકેએ પોતાના ટ્વિટમાં લખ્યું કે, ‘રણબીર કપૂર અને આલિયા ભટ્ટ 2022 ના અંત સુધીમાં લગ્ન કરી લેશે. પરંતુ રણબીર કપૂર આલિયાને લગ્નના 15 વર્ષમાં જ છૂટાછેડા આપી દેશે. એટલે કે, કેઆરકે અનુસાર રણબીર 2037 પહેલા આલિયાને છૂટાછેડા આપશે.
તાજેતરમાં સલમાન ખાનની મૂવીની સમીક્ષા કર્યા બાદ કેઆરકે ફસાઈ ગયો હતો. અભિનેતાએ તેની સામે માનહાનિનો દાવો કર્યો હતો. મીકા સિંહે તે બંને વચ્ચે એન્ટ્રી લીધી હતી. મિકા સિંહે તો કેઆરકે વિરુદ્ધ એક ગીત પણ બનાવ્યું હતું. આ બંને વચ્ચેની લડત સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઇન્સ બની હતી. ત્યારે હવે ફરી એકવાર કેઆરકે ચર્ચામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે બોલિવૂડનું ચર્ચિત કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પોતાના રિલેનશિપને લઇને ચર્ચામાં રહે છે. બન્ને અપકમિંગ ફિલ્મ બ્રહ્માસ્ત્ર સાથે નજર આવના છે. ત્યારે હવે આ હોટ કપલ જલ્દી જ લગ્ન કરશે તેવી પણ ચર્ચા ચાલી રહી હતી.
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની ખૂબજ નજીક છે. કહેવામાં આવી રહ્યું હતું કે ઋષિ કપૂર ન્યૂયોર્કમાં પોતાની બિમારીની સરવાર કરાવીને જલ્દી જ ભારત પરત આવે અને આ વાતની જાણકારી તેમના પત્ની નીતૂ કપૂરે સોશિયલ મીડિયા દ્વારા આપી હોવાનું પણ કહેવામાં આવતું હતું. જો કે હવે ઋષિ કપૂર તો આપણી વચ્ચે નથી રહ્યાં અને એ બધી વાતો માત્ર એક અફવા જ નીકળી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong