રામાયણના ક્લાઇમેક્સ સીનમાં કરવામાં આવી છેડછાડ – દર્શકો નારાજ – ટ્વીટર પર ફેન્સે વર્સાવ્યો ગુસ્સો
લોકડાઉનમાં લોકોને કંટાળાથી દૂર રાખવા અને મનોરંજન પુરુ પાડવા માટે દૂરદર્શને 33 વર્ષ બાદ ફરી એકવાર રામાનંદ સાગર દ્વારા રામાયણનું પુનઃ પ્રસારણ શરું કર્યું છે જે હાલ પુર્ણ થઈ ચુક્યું છે અને હવે લવ કુશની કથા કહેતી સિરિયલ દર્શાવવામાં આવશે.
દૂર ર્દર્શનને રામાયણના પુનઃપ્રસારણ દ્વારા જે વ્યુઅરશિપ મળી તે આજ સુધીમાં ક્યારેય નહોતી મળી. રામાયણ સિરિયલે ટીઆરપીના છેલ્લા પાંચ વર્ષના રેકોર્ડ તોડ્યા છે. હાલમાં જ રામાયણનો ક્લાઇમેક્સ રજૂ કરવામાં આવ્યો હતો દર્શકોના કહેવા પ્રમાણે તેની સાથે કેટલીક છેડછાટ કરવામાં આવી છે અને તેનાથી લોકો નારાજ છે.
લોકોનું કહેવું છે કે રામાનંદ સાગરની રામાયણ તેમજ ક્રિષ્ના સિરિયલ એક કળાનો નમૂનો છે. માટે આ સિરિયલો એ સમ્માન ડિઝર્વ કરે છે કે તેને કોઈ પણ જાતની છેડછાડ વગર જ જેમ છે તેમજ રજૂ કરવામાં આવે. પણ દૂરદર્શને ક્લાઇમેક્સમાં કેટલુંક એડિટીંગ કરીને કેટલાક સિન દર્શકોને બતાવ્યા નથી. 14 વર્ષ બાદના લક્ષ્મણ અને ઉર્મિલાના મિલનના સિનને દર્શકોને બતાવવામાં જ ન આવ્યો અને તેના કારણે પણ દર્શકો નારાજ છે.
Very disappointed to see that many scenes in Ramayana are not shown by @DDNational .
Scene where LORD HANUMANA tearing – open his chest and showing picture of #SIYA_RAM within it. #Ramayana #RamayanOnDDNational https://t.co/hhWuaDNRh3
— kamini Sharma (@secret___soul) April 19, 2020
લોકોનું એવું માનવું છે કે રાવણ વધ દરમિયાનના કેટલાએ સીન્સને એડીટ કરવામાં આવ્યા હતા. અને ટ્વિટર દ્વારા લોકો પોતાનો ગુસ્સો પ્રગટ કરી રહ્યા છે. રામ તેમજ રાવણ વચ્ચેના યુદ્ધ દરમિયાનના કેટલાક અલ્ટીમેટ સીન્સને એડિટ કરીને દર્શાવવામાં આવ્યા હતા જેનાથી ફેન્સ ગુસ્સે ભરાયા છે. એક યુઝર તો એટલો ગુસ્સે ભરાયો છે કે તેણે ઉપરા ઉપરી ટ્વીટ કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેણે લક્ષ્મણ અને ઉર્મિલાના મિલનનો પણ ઉલ્લેખ કરતો સિન રજૂ ન કરવા બદલ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. અને દૂર દર્શનને રામાયણનું અનકટ વર્ઝન બતાવવાની પણ અપીલ કરી છે.
Today’s episode of #RamayanOnDDNational skips Lakshman-Urmila reunion and the key scene of Ram making Bharat forgive Kaikeyi, which is so vital to his character. DVDs have also cut it. Time to #RestoreRamayan @DDnational @shivsagarchopra @arungovil12https://t.co/y0gOGrMqJ1
— JanakiRaghunath (@siyarambhakt) April 18, 2020
તો એક યુઝરે રામ અને લક્ષ્મણના અપહરણના સીનને પણ નહીં બતાવવા માટે ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેમજ હનુમાનજીના પુત્રને પણ સિરિયલમાં નહીં બતાવવાની ફરિયાદ કરી હતી. તો વળી એક યુઝરે લખ્યુ હતું કે ભગવાન હનુમાન જ્યારે પોતાની છાતી ચીરે છે અને તેમાં રામ અને સીતાની તસ્વીર દેખાય છે તે સીન પણ સિરિયલમાંથી ગાયબ છે.
@DDNational In Ramayan number of seen cutted ,where Ram and Laxman kidnapped by Ahiravan in patallok. This seen not shown,Hanuman son makardawaj also not shown
— Amaranth (@Amarant36966520) April 18, 2020
તો એક યુઝરે ફરિયાદ કરતાં ટ્વીટ કર્યું છે કે ડીડી નેશનલે રામાયણના ઘણા બધા સીન કાપી નાખ્યા છે, એક સીનમાં રામ-લક્ષ્મણને પાતાળલોકમાં અહિરાવણ કિડનેપ કરી લે છે. તે સીન પણ નથી બતાવવામાં આવ્યો. તમે અહીં આપેલા ટ્વીટ પર એક નજર નાખી શકો છો.
Ye Sara scene to cut kr diya😑😑@LahriSunil sir this scene got tears in my eyes😢❤❤ Big fan of your🙏#RamayanOnDDNational pic.twitter.com/Ewr0AXmTZv
— Ragini Raj Malakar🇮🇳🚩 (@MalakarRagini) April 18, 2020
લોકોએ એ પણ જણાવ્યું કે રામાનંદ સાગરની રામાયણ અને ક્રીષ્ના સીરીયલ કળાનો એક નમૂનો છે માટે તેની સાથે કોઈ જ છેડછાડ ન થવી જોઈએ. બની શકે કે સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને રામાયણમાં કેટલુંક એડીટીંગ કરવામાં આવ્યું હોય. હાલ રામાયણ પૂર્ણ થઈ ગઈ છે અને હવે ઉત્તર રામાયણ શરૂ કરવામાં આવી છે. શોમાં ટુંક જ સમયમાં લવકુશને પણ બતાવવામાં આવશે. રામાયણની જેમ ઉત્તર રામાયણને જોવા માટે પણ દર્શકો તેટલા જ આતુર જણાઈ રહ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ