આપના દેશમાં ઘણા એવા સ્થળ છે જે ઘણા સમય જૂના છે તેનું નિર્માણ રાજા મહારાજે અથવા તો ભગવાને કરેલું છે. તેવી જ રીતે ભારતમાં ઘણા એવા સ્થળ છે જેની સાથે ઘણા રહસ્ય સંકળાયેલા છે. તે રહસ્યને આજ સુધી કોઈ પણ જાની શકયું નથી. તેને લોકો ભગવાનનો મહિમા માને છે. આજે આપે એવા જ એક સ્થળ વિષે ચર્ચા કરીશું. હિમાચલ પ્રદેશમાં એવા ઘણા અદભૂત અને રહસ્યમય તીર્થ સ્થળ આવેલા છે.
તેવા જ એક મંદિર વિષે આપણે આજે જાણીએ તે મંદિર ૬ મહિના માટે પાણીની અંદર અને ૬ મહિના માટે પાણીની બહાર રહે છે. આ મંદિરનું નિર્માણ ઘણી સદી પહેલા કરવામાં આવ્યું હતું. હિમાચલ પ્રદેશમાં કાંગડાના મંડ એરિયાથી પસાર થનાર પોંગ ઝરણા પાસે આ મંદિર આવેલું છે. આ મદિરનું નિર્માણ પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન નિર્માણ કર્યું હતું. ત્યાં એક લડી પણ છે. પોંગ ઝરણા પાસે જલ્સ્ત્ર વધવાને લીધે તે ૬ મહિના પાણીમાં અને ૬ મહિના પાણીની બહાર રહે છે.
આ સ્થળ પર એક સીધી ઊંચી મિનાર આવેલી છે. હવે લોકો આ મંદિરને બાથુ કી લડીના નામથી જાણે છે. આ કારણ છે કે આ મંદિર બનાવવા માટે ઉપયોગમાં લેવાતા પત્થરોને બાથુ પથ્થર કહેવામાં આવે છે અને તે પડ્યા છે કારણ કે કુલ આઠ મંદિરો છે, જેને દૂરથી જોવામાં આવે છે ત્યારે માળામાં દોરેલા દેખાય છે. આજ્ઞાતવાસ દરમિયાન, પાંડવોએ આ સ્થાન પર સ્વર્ગમાં જવા માટે સીડી બનાવવાનું નક્કી કર્યું હતું.
જો કે, આ કાર્ય એકદમ મુશ્કેલ હતું, જેના માટે તેમણે શ્રી કૃષ્ણની મદદની વિનંતી કરી. પછી ભગવાન શ્રીકૃષ્ણએ ૬મહિનાની એક રાત કરી, પરંતુ આટલા લાંબા સમય છતાં સ્વર્ગનાં પગથિયાં તૈયાર નહોતાં. જ્યારે આ સ્થળ પાણીની બહાર રહેલું હોય ત્યારે ઘણા દૂરથી ઓકો આને જોવા માટે આવે છે. તેમાથી ઘણા લોકો આ સ્થળનો ઇતિહાસ પણ જાણે છે. એવું કહેવામા આવે છે કે પાંચ પાંડવોએ આ સ્થળનું નિર્માણ કર્યું હતું.
તેમણે સ્વર્ગ જવા માટે આ સ્થળનું નિર્માણ કર્યું હતું. તે આનું નિર્માણ કરતાં હતા ત્યારે તેલ કાઢનારની પત્ની બોલી કે મે છ મહિના માટે કામ કર્યું છે તે છતાં પણ રાતતો પૂરી જ નથી થતી. તે જ્યારે આવું બોલી તે ક્ષણે જ સીડીઓ પાડવા લાગી. તેના કારણે પાંડવો તેને અધૂરું મૂકીને ત્યાથી બહાર નીકળી ગયા. આ સ્થળ પર આની અંદર પાંડવોએ એક શ્વ મંદિરની નિર્માણ પણ કર્યું હતું ત્યાં સ્નાન માટે કૂવો પણ બનાવવામાં આવ્યો હતો.
૬ મહિના પાણીની અંદર રહેવા છતાં પણ આ સ્થળની નકસીકામમાં કોઇ પણ અસર કે નુકશાન થતું નથી. આ સ્થળને જોવા માટે આ સ્થળ પર ઘણા લોકો આવે છે. પરંતુ આ સ્થળનું સરક્ષણ કરવા માટે સરકાર કોઈ પણ સહાય કરતી નથી. દર વર્ષે પર્યટન સ્થળના વિકાસ માટે સરકાર ઘણા પૈસા ખર્ચ કરે છે પરંતુ આ સ્થળ માટે સરકારે અત્યાર સુધી એક રૂપિયો પણ ખરચ્યો નથી.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,