હિંદુ ધર્મમાં પૂજા પાઠનું ખાસ મહત્વ છે. દરેક વ્યક્તિ દિવસની શરૂઆત પૂજાથી કરે છે. સનાતન ધર્મમાં સ્નાન કર્યા બાદ ભગવાન સામે માથું નમાવવાથી અનેકગણું ફળ મળે છે અને તમારા ઘરમાં ભગવાનની કૃપા પણ બની રહે છે. આજે અમે આપને પૂજા પાઠના એવા નિયમો જણાવી રહ્યા થીએ જેનું પાલન કરવાથી તમે મુશ્કેલીઓથી બચી શકો છો અને સાથે ભગવાનની કૃપા પણ પ્રાપ્ત થઈ શકે છે.
જ્યારે પણ પૂજા કરો ત્યારે ભગવાનની સામે એક હાથથી પ્રણાન ન કરો. આ સાથે પૂજા કરી લીધા બાદ ઘરના લોકોના આર્શિવાદ અચૂક લેવાનું રાખો.
ધ્યાન રાખો કે ક્યારેય વડીલો સૂતા હોય તો તેમના ચરણ સ્પર્શ કરવા નહીં.
પીજા કરતી સમયે જપ કરવાની મુદ્રા સાચી હોવી જોઈએ. જપ કરતી સમયે જીભને હલાવવી નહીં. જપ કરતી સમયે જમણા હાથને કપડાથી ઢાંકીને રાખવાનો રિવાજ છે. આ તમામ નિયમોનું પાલન કરીને પૂજા કરવામાં આવે છે તો મનોકામનાઓ પૂર્ણ થાય છે.
સાંજના સમયે હિંદુ ઘર્મમાં તુલસીના પાન ન તોડવાનો રિવાજ છે. ખાસ કરીને સંક્રાંતિ, બારસ, અમાસ, પૂનમ અને રવિવારના દિવસે તુલસીને અડવું નહીં.
પૂજા કરતી સમયે ક્યારેય પણ દીપકની મદદથી દીપક પ્રગટાવવો નહીં. આ સિવાય યજ્ઞ અને શ્રાદ્ધમાં કાળા તલનો પ્રયોગ કરવો. તે તમારી મુશ્કેલીઓનું ઝડપથી નિવારણ કરે છે.
શનિવારના દિવસે શનિ ગ્રહના દોષને દૂર કરવા માટે પીપળાના ઝાડમાં પાણી ચઢાવવું. પીપળાના ઝાડની સાત વાર પરિક્રમા કરવી, મહિલાઓ કૂમડા, નારિયેળ અને મતીરાને ન તોડે અને ન તો ચપ્પાથી કાપે. ભૂલથી પણ ભગવાનના ભોગ પ્રસાદને લાંઘવો નહીં. તે મોટું પાપ માનવામાં આવે છે.
આ સિવાય પૂજા પાઠ કરતા પહેલા જનોઈ પહેરવી, વિના જનોઈની પૂજાનું કોઈ ફળ મળતું નથી. અગિયારસ, અમાસ, પૂનમ કે શ્રાદ્ધના દિવસે દાઢી પણ ન કરાવવી
ભૂલથી પણ ભોલેનાથને કુંદ, વિષ્ણુને ધતૂરો, દેવીને આક અને સૂર્ય ભગવાનને તગરના ફૂલ ચઢાવશો નહીં. તે અશુભ માનવામાં આવે છે.
આ સિવાય માન્યતા છે કે પૂજા સમયે ઘીનો દીવો પોતાની ડાબી તરફ કરવો અને દેવી દેવતાને જમણી તરફ રાખવા. સાથે દીવાને હંમેશા ચોખાની ઉપર રાખવો.
માન્યતા છે કે કમળના ફૂલ 5 રાત સુદી વાસી થતું નથી. આ રીતે તુલસીના પાન પણ 10 રાત સુધી વાસી થતા નથી. તમે પૂજાના ફૂલનો અન્ય ઉપયોગ કરી શકો છો.
પૂજા કરતી સમયે મોઢું પૂર્વ દિશઆમાં રાખો. તમારી જમણી તરફ જળપાત્ર, શંખ અને પૂજન સામગ્રી રાખો. આ સાથે ડાબી તરફ ઘંટડી અને ધૂપ રાખો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,