અહીં જાણી લો કે પીરિયડ સમયમાં કોરોના વેક્સિન લેવી જોઈએ કે નહીં, નિષ્ણાંત ડોક્ટરો આપે છે કંઈક આવી સલાહો

1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને કોરોના વાયરસની રસી આપવામાં આવશે. પરંતુ આ સમાચારોની સાથે સોશિયલ મીડિયા પર પણ હાલમાં ઘણા પ્રકારની અફવાઓ ફેલાઇ રહી છે. આવી જ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મહિલાઓને 5 દિવસ પહેલા અને પિરીડના 5 દિવસ પછી રસી ન લેવી જોઈએ. પિરીયડ દરમિયાન સ્ત્રીઓની પ્રતિરક્ષા નબળી પડે છે. આવી સ્થિતિમાં, રસીકરણ હાનિકારક થઈ શકે છે. તો ચાલો જાણીએ આ દાવાની સત્યતા.

image source

વાયરલ પોસ્ટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે યુવતીઓને પીરિયડને ધ્યાનમાં રાખીને પછી જ કોરોના રસી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉલ્લેખનીય છે કે કોરોના રસીથી સંબંધિત તમામ પ્રકારની માહિતી અને માર્ગદર્શિકા ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે. પરંતુ આ માર્ગદર્શિકામાં એવી કોઈ જ માહિતી નથી કે જે આ પોસ્ટ વાયરલ થઈ રહી છે.

imag source

ગાર્ડિયન ન્યૂઝ વેબસાઇટ અનુસાર અમેરિકન નિષ્ણાતો માને છે કે રસીકરણની અસર મહિલાઓના પીરિયડ પર થતી નથી. મહિલા પીરિયડ્સ દરમિયાન રસી લઈ શકે છે. પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા પણ પુષ્ટિ મળી છે કે વાયરલ થયેલી પોસ્ટ સંપૂર્ણ નકલી છે. પીઆઈબીએ લોકોને અપીલ કરી છે કે આવી અફવાઓને અવગણવી જોઈએ. પીઆઈબીના જણાવ્યા અનુસાર 1 મેથી શરૂ થનારી રસીકરણ અભિયાનમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોએ રજીસ્ટર કરવું જોઈએ અને રસી લેવી જ જોઇએ.

image source

હાલમાં આપણા રાજ્યની વાત કરવામાં આવે તો ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે મેડિકલ કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ હોવાનો નિર્દેશ સરકારે જાહેર કરેલા રિકવરી રેટ આપી રહ્યો છે, ગુજરાતમાં છેલ્લા 56 દિવસમાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ 97.49 ટકાથી ઘટીને 75.54 ટકા સુધી પહોંચી ગયો છે, એટલે કે 22.11 ટકા રિકવરી રેટ ઘટ્યો હતો. એ જોતાં કોરોનાના દર્દીઓની સારવારમાં ઢીલાશ અને દવા, બેડ અને ઓક્સિજનની અછત હોવાનું પુરવાર થઈ રહ્યું છે.

image source

ગુજરાતમાં કોરોનાના કેસ દિન-પ્રતિદિન વધી રહ્યા છે, એની સામે રિકવરી રેટ પણ ઘટી રહ્યો છે. 31 માર્ચના રોજ ગુજરાતમાં રિકવરી રેટ 94.43 ટકા સુધી પહોંચી ગયો હતો. સમગ્ર માર્ચ મહિનામાં પણ રિકવરી રેટ વધ્યો હતો, પરંતુ 28 ફેબ્રુઆરીના રોજ તો ગુજરાતમાં કોરોનાનો રિકવરી રેટ છેક 97.49 ટકા સુધી પહોંચી ગયો હતો, ત્યાર બાદ માર્ચના 31 દિવસ અને એપ્રિલના 25 દિવસ મળી 56 દિવસમાં આ રિકવરી રેટ ઘટીને 76.38 ટકા સુધી આવી ગયો છે, એટલે કે 56 દિવસમાં કોરોનાના દર્દી સાજા થવાનો રેટ 22.11 ટકા ઘટી ગયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!