બોલીવુડમાં ઘણી એવી લવબર્ડ્સ જોડીઓ છે જે આજે એક સાથે તો નથી પણ ફેન્સ આજે પણ એમને એક સાથે જોવાનું પસંદ કરે છે. બોલીવુડની અમુક લવબર્ડ્સ જોડીઓ તો એવી છે જેમને ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ કોન્ટ્રોવર્સી ક્રિએટ કરી જેમ કે જોન અને બિપાશા બસુ, કેટરીના કેફ અને રણબીર કપૂર, કંગના રનૌત અને ઋત્વિક રોશન, સલમાન ખાન અને ઐશ્વર્યા રાય જેવા ઘણા સેલેબ્સ છે જે લાંબા સમય સુધી એકબીજાની સાથે રિલેશનશિપમાં રહ્યા પણ કોઈને કોઈ કારણસર આ લવબર્ડ્સ અલગ થઈ ગયા પણ તેમ છતાં જ્યારે પણ ક્યારેક એ મીડિયા સમર આવે છે તો ઘણીવાર એકબીજાને ઇગ્નોર કરતા જોવા મળે છે. આજે આપણે વાત કરીશું સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની જે લાંબા સમય સુધી રિલેશનમાં રહ્યા અને પછી અલગ થઈ ગયા.
એક સમય હતો જ્યારે સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની જોડી બોલિવુડના હોટ કપલમાંથી એક હતી પણ વિવાદોના કારણે બન્નેએ પોતાના રસ્તા અલગ કરી લીધા.ઐશ્વર્યા રાયે વર્ષ 2007માં એકટર અભિષેક બચ્ચન સાથે લગ્ન કરી લીધા. આ લગ્ન બોલીવુડમાં મોંઘા લગ્નમાંથી એક હતી. જેમાં બોલીવુડની ઘણી બધી મોટી મોટી હસ્તીઓ સામેલ થઈ હતી.
પણ આ બધી વાતોથી અલગ જ્યારે અભિનેતા સલમાન ખાનને ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના લગ્નને લઈને સવાલ કરવામાં આવ્યો તો સલમાન ખાને જવાબમાં બધાનું દિલ જીતી લીધું હતું. એક ઇન્ટરવ્યૂ દરમિયાન સલમાન ખાને કહ્યું હતું કે એ આ વાતથી ખૂબ જ ખુશ છે કે એમને અભિષેક જેવા સારા માણસ સાથે લગ્ન કર્યા જે એક સારા પરિવાર સાથે સંબંધ ધરાવે છે. સલમાન ખાને કહ્યું હતું કે હું ઐશ્વર્યાની સારી જિંદગી માટે પ્રાર્થના કરું છું. તમને જણાવી દઈએ કે સલમાન ખાનની આ વાતે બધાનું દિલ જીતી લીધું હતું અને એમના ખૂબ જ વખાણ પણ થયા હતા.
તો તમને જણાવી દઈએ કે સલમાન ખાન હજી પણ સિંગલ છે જો કે ઐશ્વર્યા રાયના ગયા પછી એમની જિંદગીમાં ઘણી છોકરીઓ આવી પણ હજી સુધી એ કોઈને પોતાની હમસફર નથી બનાવી શકયા.
કરિયરની વાત કરીએ તો હાલના દિવસોમાં સલમાન ખાન એમની ફિલ્મ ટાઇગર 3ના શૂટિંગમાં બીઝી છે. આ ફિલ્મમાં એમની સાથે કેટરીના કેફ પણ છે. ફિલ્મનું શૂટિંગ દુનિયાના જુદા જુદા પાંચ દેશોમાં કરવામાં આવશે.
તો ઐશ્વર્યાના કરિયરની વાત કરીએ તો ઐશ્વર્યા રાય મનીરતન્મની ફિલ્મમાં જોવા મળશે, આ ફિલ્મ કલકી કૃષ્ણમૂર્તિના કાલ્પનિક ઐતિહાસિક ઉપન્યાસ પોનનીયન સેલવન પર આધારિત છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong