કન્યાના ઘરે જાન પહોંચ્યા બાદ વરરાજાને ખબર પડી આવી વાત

સામાન્ય રીતે એવું જોવા મળે છે કે ભારતીયોના લગ્નોત્સવ કોઈપણ નાના મોટા હંગામા વિના પૂરા થઈ શકતા નથી. આ પહેલા પણ તમે લગ્નની ઘણી કહાનીઓ વિશે સાંભળ્યું જ હશે, પરંતુ આજે અમે તમને જે કહાની કહેવા જઈ રહ્યા છીએ તે જાણીને તમને આશ્ચર્ય થશે. મહોબા જિલ્લાના કાલિચરણ રાજપૂતની પુત્રી તીજાના લગ્ન નજીકના અકોણી ગામમાં રહેતા જય હિન્દ સાથે નક્કી થયાં હતાં. નક્કી કરેલા દિવસે જાન ત્યાં પહોંચી ગઈ. પછી જાનૈયા નાસ્તો કર્યા પછી એક સ્ત્રીએ વરરાજા પક્ષમાં જઈને કોઈને કહ્યું કે દુલ્હનના શરીર પર સફેદ ડાઘ છે. આવી સ્થિતિમાં વરરાજાએ જાન પાછી ઘરે લઈને જવાનો નિર્ણય કર્યો.

image soucre

તો આ બધાની વચ્ચે દુલ્હનના પિતાએ પોલીસને બોલાવી. આ પછી પોલીસે વરરાજાને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. ત્યારબાદ બંને બાજુથી મહિલાઓને લઈને દુલ્હનને એક રૂમમાં મોકલવામાં આવ્યા હતા. જો કે, આ પછી, સત્ય બહાર આવ્યું કે કન્યાના શરીર પર એક પણ ડાઘ નથી. આ પછી, જ્યારે મહિલાઓએ વરરાજાને સત્ય કહ્યું, ત્યારે તેઓને તેમની ભૂલની ખબર પડી.

image source

વરરાજાએ માફી માંગીને કહ્યું કે તેને કોઈની વાતમાં આવવું નહોતું જોઈતું. આ પછી વરરાજાએ કહ્યું કે હું મારી ભૂલ બદલ ખૂબ દિલગીર છે અને હવે હું આ છોકરી સાથે જ લગ્ન કરવા માંગુ છું. ત્યારબાદ બંને પક્ષની સંમતિથી પોલીસે બંનેના લગ્ન પોલીસ મથકના મંદિરમાં કરાવી દીધા હતા.

image soucre

પોલીસ આ ઘટના અંગે કહે છે કે વરરાજા પક્ષના લોકો કન્યાની વાત સાંભળ્યા વિના જ જાન પાછી લઈ જઈ રહ્યા હતા. જે સાવ ખોટી વાત હતી. આવી સ્થિતિમાં જો વરરાજા સહમત ન થાય તો તેની સામે કેસ થઈ શકે છે. સદભાગ્યે આવી વસ્તુ કરવાની કોઈ જરૂર ન પડી અને બધું સુખેથી સંપન્ન થયું.

image soucre

આ પહેલાં પણ એક આવી ઘટના સામે આવી હતી કે જેમાં ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં દિલ્હીથી આવેલ એક જાનને દુલ્હન વિના જ પાછું ફરવું પડ્યું. જુતા ચોરીની રસમ દરમિયાન મુઝફ્ફરનગરમાં કંઈક એવું થયું કે લગ્ન જ તૂટી ગયાં. આરોપ છે કે વરરાજાએ કન્યા પક્ષની કેટલીક મહિલાઓને અપશબ્દ કહ્યા અને એકને લાફો પણ મારી દીધો હતો. દુલ્હનને આ વાતની ખબર પડી તો તેણે તરત જ લગ્ન તોડી નાખ્યાં અને વરરાજાને એમનેમ ઘરે જવું પડ્યું હતું.

image soucre

આ વાત વિશે એવું કહેવામાં આવે છે કે ઘટના બની એ પછી જ્યારે છોકરીના પરિજનોએ વરરાજાને સમજાવવાની કોશિશ કરી તો તે ભડકી ઉઠ્યો હતો. વરરાજાએ અપશબ્દો બોલતાં એક શખ્સને લાફો પણ મારી દીધો હતો. દુલ્હનને આ વિશે માહિતી મળી કે તરત તેણે લગ્ન તોડી નાખ્યાં હતા અને જે બાદ લગ્નના માંડવે હડકંપ મચી ગયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ