૧ એપ્રિલ ૨૦૨૧ના રોજ નવું નાણાકીય વર્ષ શરૂ થવાનું છે. તેથી તનારે ૩૧ માર્ચ પહેલા બધા મહત્વના કામ યાદ કરે લેવા નહીં તો તમને થઈ શકે છે મોટું નુકશાન જાણો તેના વિષે. નહીં તો તમારે વધારે હેરાન થવું પડી શકે છે. તમારે નાણાકીય વર્ષ પહેલાથી જાણવું જોઈએ કે પીએનબી, પીએમ કિસાન અને યોજનના લગતી ઘણી બધી મહત્વની બાબતો તમારે જાણવી જોઈએ આજે આપણે તેના વિષે જાણીએ.
વિશ્વાસ યોજનાની છેલ્લી તારીખ ૩૧ માર્ચ રહેશે :
કેન્દ્ર સરકારે વિશ્વાસ યોજના હેઠળ ચુકવણી કરવાની છેલ્લી તારીખ ૩૧ માર્ચ કરી છે. આ યોજના દ્વારા સરકાર બાકીના વેરા વિવાડોનું સમાધાન કરી શકે તેવી શક્યતા છે. આ યોજના પ્રમાણે કરદાતાઓએ ખાલી વિવાદિત કારની રકમ ચૂકવવાની રહેશે અને તેમણે તે રકમના વ્યાજ અને દંડ પર સંપૂર્ણ છૂટ મળી શકે છે.
પીએનબીએ તેના ગ્રાહકોને ચેતવ્યા :
ઓરીએંટલ બેન્ક ઓફ કોમર્સ અને યુનાઈટેડ બેન્ક ઓફ ઈંડિયાનું પીએનબીમાં મરજાત બાદ ગ્રાહકોના જૂના ifsc કોડ ૩૧ માર્ચથી કામ નહીં કરે. આ સાથે બેન્કે વધારે એમ જણાવ્યુ છે કે ઓબીબી, યુનાઈટેડ બેન્ક ઓફ ઇન્ડિયાની હાલની ચેકબુક પણ ફક્ત ૩૧ માર્ચ સુધી માન્ય ગણવામાં આવશે. ૧લી એપ્રિલથી ગ્રાહકોને નવી ચેકબુકનો ઉપયોગ કરવાનો રહેશે.
કેસીસી માટે અરજી કરવાની સરળ તક :
કેન્દ્ર સરકારે અને પ્રોત્સાહન આપવા માટે અને દિઝિટલાઇઝેશનને આગળ વધારવા માટે ૩૧ માર્ચ ઊધી અભિયાન ચલાવીને કિસાન ક્રીડિત કાર્ડ બનાવી આપવામાં આવી રહ્યા છે. તમારે પણ આ યોજનનાઓ લાભ લેવો હોય તો તમારે નજીકની બેંકમાં જઈને સંપર્ક કરવાનો રહેશે ત્યાં ફોર્મ ભર્યા પછી તમને ખાલી ૧૫ દિવસમાં કિસાન ક્રેડિટ કાર્ડ મળી શકે છે.
સસ્તી હોમ લોનનો ફાયદો :
આ ઉપરાંત દેશની ઘણી સરકાર અને ખાનગી બેન્ક ૩૧ માર્ચ સુધી જ ગ્રાહકોને સસ્તી હોમ લોન આપી રહી છે. કોટક મહિન્દ્રા બેન્કમાં હોમ લોન માટેનો વ્યાજ દર ૬ માર્ચ સુધી ૬.૨૫ ટકાથી શરૂ થશે. આ ઉપરાંત HDFC, ICICI, SBI અને કોટક મહિન્દ્રા બેન્ક પણ આમાં સામેલ છે.
વરીષ્ઠોને fd પર વધારે વ્યાજ મળી શકશે :
બેન્ક તેના સિનિયર સીટીઝન ગ્રાહકને કેટલીક પસંદ કરેલી મેચ્યોરિટી પિરિયડ સ્કીમ પર વધારનું વ્યાજ આપી રહી છે. તેમાં ગ્રાહને ૦.૦૫ ટકા સુધી વધારે વ્યાજ મળી શકે છે. આ ઓફરની છેલ્લી તારીખ અત્યારે ૩૧ માર્ચ રહેશે. તમને જણાવી દઈએ કે HDFC, ICICI, SBI અને બેન્ક ઓફ બરોડા તેના ગ્રાહકને આ સુવિધા આપી રહી છે.
જીએસટી રિટર્ન ફાઇલિંગ :
સરકારે નાણાકીય વર્ષ ૨૦૧૯ – ૨૦ માટે વાર્ષિક જેએસટી રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ ૩૧ માર્ચ વધારી દીધી છે તેથી તમારે તેને ૩૧ માર્ચ પહેલા જીએસટી રિટર્ન ફાઇલ કરી દેવી જોઈશે.
આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિન્ક કરવાની છેલ્લી તારીખ :
આ ઉપરાંત તમારે તમારા આધારને પાન સાથે લિન્ક કરવાની છેલ્લી તારીખ પણ ૩૧ માર્ચ છે. જો તમે આ તારીખ પહેલા લિન્ક નહીં કરો તો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
———–આપના સહકારની આશા સહ,