મલાઈકા અરોરા નહિં, પણ આ સ્ત્રી છે અર્જુન કપૂરની જિંદગીમાં સૌથી ખાસ, જેનું બનાવ્યું છે ટેટૂ પણ

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર વર્ષોથી એકબીજા સાથે રિલેશનમાં છે. બોલીવુડની ગલીઓમાં એમના પ્રેમની ચર્ચાઓ હતી. પણ અરબાઝ ખાનથી અલગ થયા પછી મલાઈકાએ અર્જુન કપૂરના જન્મદિવસે એમની સાથે એક ફોટો શેર કરીને પોતાના રિલેશનનો સ્વીકાર કર્યો હતો. અર્જુન પણ મલાઈકા સાથે એક ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરે છે અને જ્યારે પણ આ જોડીને મોકો મળે છે તો એ કવોલીટી ટાઇમ સ્પેન્ડ કરવા માટે નીકળી પડે છે. બધા જ એ વિચારે છે કે અર્જુન કપૂરની જિંદગીમાં સૌથી વધુ મહત્વપૂર્ણ એમના માટે મલાઈકા છે. પણ તમને એ જાણીને નવાઇ લાગશે કે મલાઈકાથી વધુ અર્જુનના દિલની નજીક કોઈ બીજું છે અને જેના નામનું આ અભિનેતાએ ટેટુ પણ કરાવ્યું છે.

image source

અર્જુન કપૂરે હાલમાં જ પોતાનું ટેટુ બતાવતા એક ફોટો શેર કર્યો હતો. હવે અર્જુને ટેટુ બનાવ્યો એનો એક વિડીયો પણ શેર કર્યો છે જેમાં એમને જણાવ્યું કે એમને પોતાની જિંદગીમાં સૌથી ખાસ સ્ત્રી માટે આ ટેટુ બનાવડાવ્યું છે. અર્જુને પોતાના હાથમાં A અક્ષરનું ટેટુ બનાવડાવ્યું છે. કારણ કે અર્જુનનું નામ પણ Aથી શરૂ થાય છે એવામાં ફેન્સના દિમાગમાં સૌથી પહેલા એ આવ્યું કે આ ગિફ્ટ અર્જુને પોતાને આપ્યું છે અને એમને પોતાનું નામ લખાવ્યું છે.

image source

અર્જુન કપૂર એમની માતાના ગયા પછી જો કોઈની સૌથી નજીક રહ્યા હોય તો એ છે એમની બહેન અંશુલા કપૂર. અંશુલાને અર્જુને ફક્ત મોટા ભાઈની જેમ જ નહીં પણ પિતાની જેમ સંભાળી છે. અર્જુન અંશુલા પર પોતાનો જીવ આપી દે છે એવામાં હવે પોતાની બહેનના નામનું ટેટુ પણ એમના હાથ પર બનાવડાવી લીધું છે. ફેન્સના અંદાજાને ખોટો ઠરાવતા અર્જુને વિડીયો શેર કર્યો છે અને એના પર કેપ્સનમાં લખ્યું છે કે એ મારો એક્કો છે અંશુલા અને હું. જિંદગી ભર હંમેશા માટે અને લેટર A દ્વારા જોડાઈ ગયા છે.

image source

પોતાની બહેન પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતો અર્જુનનો આ અંદાજન ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. બોલિવુડના કલાકારો પણ અર્જુન કપૂરના આ વીડિયો પર પોતાની કમેન્ટ આપી રહ્યા છે. અર્જુનની બહેન અંશુલાએ પણ પોતાની ખુશી વ્યક્ત કરતા અર્જુનની પોસ્ટ પર કમેન્ટ કરી છે લવ યુ. આયુષમાન ખુરાના, ટાઇગર શ્રોફ જેવા કલાકારોએ પણ આ વીડિયો પર ઇમોજી મોકલ્યા છે. એક ફેને કમેન્ટ કરતા લખ્યું છે કે આ ખરેખર શાનદાર છે, ખૂબ જ સરસ જેસચર.

image source

થોડા દિવસ પહેલા અંશુલાની અચાનક તબિયત બગાડવાના કારણે એમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી પણ બીજા જ દિવસે એમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળી ગયું. અર્જુન કપૂર બહેનની તબિયત બગડવાથી ઘણા પરેશાન થઈ ગયા હતા અને એ એમને જાતે હોસ્પિટલ લઈને આવ્યા હતા. રિપોર્ટ્સ અનુસાર અંશુલા કપૂરનું બ્લડપ્રેશર અને શુગર લેવલની તકલીફ થવાના કારણે એડમિટ કરવામાં આવી હતી.

image source

અર્જુન કપૂર અને અંશુલા બોની કપૂરની પહેલી પત્ની મોના કપૂરના બાળકો છે. વર્ષ 2012માં મોના કપૂરનું નિધન થઈ ગયું હતું. એ પછી અર્જુન અને અંશુલાએ એકબીજાને સંભાળ્યા અને હંમેશા એકબીજાની સાથે મજબૂતીથી ઉભા રહ્યા. અર્જુન કપૂરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એને અમેરિકામાં અભ્યાસ કર્યો, ગ્રેજ્યુએટ થઈ અને ભારત આવી, આ બધું એને મારા માટે કર્યું જેથી હું એકલો ન પડી જઉં. એ મારી જિંદગીમાં પોતાની જિંદગી માને છે. એ ઘર સંભાળે છે જેથી હું કામ કરી શકું. પોતાના માતા પિતાની ગેરહાજરીમાં જિંદગી જીવવી સરળ નથી. ઓછામાં ઓછા એક બાળકને જવાબદાર બનવું પડે છે જેથી બીજું જિંદગી સારી રીતે જીવી શકે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong