કાલાષ્ટમીના દિવસે ભગવાન ભૈરવની પૂજા અર્ચના કરીને જીવનમાં આવનારી બાધાઓનો નાશ કરાય છે અને જાતક સુખી અને નિરોગી રહે છે. કાળ ભૈરવને પ્રસન્ન કરવા માટે તમે કવચ અને આ કામ કરી શકો છો.
આજે અને આવતીકાલે કાલાષ્ટમી છે. ઉદયા તિથિ કાલે એટલે કે 6 માર્ચે છે. એવામાં વ્રત કાલે રખાશે. કાલાષ્ટમીના દિવસે ભક્તો ભગવાન કાળ ભૈરવની પૂજા અર્ચના કરે છે અને તેમને પ્રસન્ન કરવા માટે કવચનો પાઠ કરે છે. આ સિવાય દાન પણ કરે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર કાળ ભૈરવ ભગવાન શિવના અંશ છે. માનવામાં આવે છે કે કાલાષ્ટમીના દિવસે ભગવાન ભૈરવની પૂજા અર્ચના કરીને જીવનમાં આવનારી બાધાઓનો નાશ કરાય છે અને જાતકો સુખી અને નિરોગી રહે છે. કાળભૈરવને પ્રસન્ન કરવા માટે કવચ અને આ કામ કરી શકો છો.
કાળભૈરવ કવચનો કરો પાઠ
ॐ सहस्त्रारे महाचक्रे कर्पूरधवले गुरुः ।
पातु मां बटुको देवो भैरवः सर्वकर्मसु ॥
पूर्वस्यामसितांगो मां दिशि रक्षतु सर्वदा ।
आग्नेयां च रुरुः पातु दक्षिणे चण्ड भैरवः ॥
नैॠत्यां क्रोधनः पातु उन्मत्तः पातु पश्चिमे ।
वायव्यां मां कपाली च नित्यं पायात् सुरेश्वरः ॥
भीषणो भैरवः पातु उत्तरास्यां तु सर्वदा ।
संहार भैरवः पायादीशान्यां च महेश्वरः ॥
ऊर्ध्वं पातु विधाता च पाताले नन्दको विभुः ।
सद्योजातस्तु मां पायात् सर्वतो देवसेवितः ॥
रामदेवो वनान्ते च वने घोरस्तथावतु ।
जले तत्पुरुषः पातु स्थले ईशान एव च ॥
डाकिनी पुत्रकः पातु पुत्रान् में सर्वतः प्रभुः ।
हाकिनी पुत्रकः पातु दारास्तु लाकिनी सुतः ॥
पातु शाकिनिका पुत्रः सैन्यं वै कालभैरवः ।
मालिनी पुत्रकः पातु पशूनश्वान् गंजास्तथा ॥
महाकालोऽवतु क्षेत्रं श्रियं मे सर्वतो गिरा ।
वाद्यम् वाद्यप्रियः पातु भैरवो नित्यसम्पदा ॥
આ છે કાળ ભૈરવને પ્રસન્ન કરવાના ઉપાયો જાણો
કાળ ભૈરવને પ્રસન્ન કરવા માટે કાળ ભૈરવ અષ્ટમીના દિવસે પાપડ, પૂરી, પકોડા વગેરેનો ભગવાનને ભોગ લગાવો. આ પછી અન્ય દિવસે તે તમામ ચીજોને ગરીબ કે જરૂરિયાત મંદ વ્યક્તિને આપી દો. આમ કરવાથી તમારી ઉપર ભગવાન કાળ ભૈરવની વિશેષ કૃપા બની રહેશે.
કાળ ભૈરવ અષ્ટમીના દિવસે સાધકે ભગવાન કાળ ભૈરવના મંદિરમાં તેમની આરતી કરવી. આ સાથે જ પીળા રંગના પતાકા પણ ભગવાનને અર્પિત કરવા.
કાળ ભૈરવ અષ્ટમીના દિવસે બાબા ભૈરવનાથને જલેબીનો ભોગ લગાવો. આ પછી બચેલી જલેબી કોઈ કાળા કૂતરાને ખવડાવી લો. કુતરો બાબા ભૈરવ નાથની સવારી માનવામાં આવે છે. બાબા ભૈરવનાથને કૂતરા વધારે પ્રિય હોય છે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,