ધર્મેન્દ્ર અને હેમા માલિની બોલિવુડના જાણીતા કપલ્સમાંના એક છે. બંનેની લવસ્ટોરી પણ ખૂબ જ પોપ્યુલર છે. જ્યારે બંનેને પ્રેમ થયો ત્યારે ધર્મેન્દ્ર પરણિત હતા. એવામાં પ્રેમથી લઈને હેમા સાથે લગ્ન કરવા સુધીમાં ધર્મેન્દ્રને ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો. બંને વચ્ચે શોલે ફિલ્મની શૂટિંગ દરમિયાન પ્રેમ વિકસ્યો. ધર્મેન્દ્ર સાથેના ડેટિંગના દિવસોનો એક મજેદાર કિસ્સો હેમા માલિનીએ ઇન્ડિયન આઇડલ 12ના મંચ પર શેર કર્યો છે.
ઇન્ડિયન આઇડલ 12માં મહેમાન તરીકે પહોંચેલી હેમા માલિનીએ એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો. એમને જણાવ્યું કે જ્યારે એ અને ધર્મેન્દ્ર એકબીજાને ડેટ કરી રહ્યા હતા. એ સમયે હેમા માલિનીના પિતા એમની સાથે આવતા હતા જેથી એ ધર્મેન્દ્ર સાથે એકલમાં સમય ન પસાર કરી શકે. પિતા સામે હેમા માલિની કઈ જ નહોતી કરી શકતી.
હેમા માલિનીએ એ ઘટનાને યાદ કરીને કહ્યું કે “ત્યારે હું અને ધમેન્દ્રજી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. એ દરમિયાન એક ગીતનું શૂટિંગ ચાલી રહ્યું હતું, સામાન્ય રીતે શૂટિંગ માટે મારી માતા કે મારી કાકી મારી સાથે આવતા હતા પણ એક ગીતના શૂટિંગ દરમિયાન મારા પિતા પરી સાથે હતા કારણ કે એમને એ વાતની ચિંતા હતી કે ક્યાંક હું અને ધરમજી એકલા સમય તો પસાર નથી કરી રહ્યા ને. એમને ખબર હતી કે અમે બંને ખાસ મિત્રો છે.
હેમા માલિનીએ આગળ જણાવ્યું કે મારા પિતાને એ જાણકારી હતી કે અમે બંને મિત્રો છે. મને યાદ છે જ્યારે અમે કારમાં જતા હતા, તો મારા પિતા તરત મારી બાજુ વાળી સિતમાં બેસી જતા હતા. પણ ધરમજી પણ કઈ ઓછા નહોતા, એ બીજી બાજુવાળી સીટ પર બેસી જતા હતા.
તમને જણાવી દઈએ કે ધર્મેન્દ્રએ 2 લગ્ન કર્યા છે અને એ છેલ્લા કેટલાય વર્ષોથી બંને પત્નીઓ વચ્ચે બેલેન્સ કરીને ચાલી રહ્યા છે. ધર્મેન્દ્રના પહેલા લગ્ન 19 વર્ષની ઉંમરમાં થયા હતા. 1954માં એમને પ્રકાશ કૌર સાથે લગ્ન કર્યા હતા. એ લગ્નથી એમને 4 બાળકો અજય સિંહ એટલે કે સની દેઓલ, વિજય સિંહ એટલે કે બોબી દેઓલ અને બે દીકરો વિજેતા અને અજેતા છે.
ધર્મેન્દ્રએ બીજા લગ્ન હેમા માલિની સાથે 2 મે 1980માં કર્યા હતા. એ લગ્નથી એમને બે દીકરીઓ છે. ઈશા અને આહના. ઈશા ફિલ્મોમાં કામ કરી ચુકી છે અને હાલ પોતાની ફેમીલી સાથે સમય પસાર કરી રહી છે અને ફિલ્મોથી દૂર છે. તો આહનાએ ક્યારેય ફિલ્મોમાં કામ કરવાનું વિચાર્યું જ નથી. એ એક ઉમદા ક્લાસિકલ ડાન્સર છે.
હેમા માલિની સાથે લગ્ન પછી ધર્મેન્દ્રની લાઈફમાં ઘણી બધી તકલીફો આવી. એમની પહેલી પત્ની પ્રકાશ કૌર સાથે એમનો સંબંધ પહેલા જેવો નહોતો રહ્યો. મીડિયા રિપોર્ટ અનુસાર ધર્મેન્દ્રએ હેમા માલિની સાથે લગ્ન પહેલી પત્નીને ડિવોર્સ આપ્યા વગર કર્યા હતા અને એ માટે એમને પોતાનો ધર્મ પણ બદલ્યો હતો.
થોડા મહિના પહેલા હેમા માલિનીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે લગ્ન પછી એમને અને ધર્મેન્દ્રને એકસાથે રહેવાનો ખૂબ જ ઓછો સમય મળ્યો. હેમાને જ્યારે પૂછવામાં આવ્યું કે એમની જિંદગીમાં એવું કંઈક છે જે એ બદલવા માંગતી હોય? એના પર એમને કહ્યું કે મને નથી લાગતું કે મારે કઈ પણ બદલવું છે., મને લગ્ન પછી ધરમજી સાથે વધુ સમય પસાર કરવાની તક નથી મળી પણ ઠીક છે.
હેમાએ જણાવ્યું કે જે પણ સમય અમે સાથે પસાર કેયો એ ખૂબ જ ખાસ છે અને મારા માટે કિંમતી છે. અમે જ્યારે જ્યારે સાથે રહ્યા મેં એમને ક્યારેય નથી કહ્યું કે આ કેમ ન કર્યું? તે કેમ ન કર્યું? લેટ કેમ થઈ ગયા? હું ક્યારેય મારા પ્રિયજનો સાથે બેસીને એમની ફરિયાદ નથી કરતી.
એક ઇન્ટરવ્યૂમાં હેમાએ ધર્મેન્દ્ર સાથે લગ્ન કરવાના પોતાના નિર્ણય વિશે વાત કરી હતી. એમને જણાવ્યું હતું કે એ પોતાના પ્રેમના કારણે કોઈને પણ તકલીફ આપવા નહોતી માંગતી. ધર્મેન્દ્રની પત્નીને પણ નહીં અને એટલે જ એમને ક્યારેય પણ એમના જીવનમાં દખલ નથી કર્યું. એમને ધર્મેન્દ્રને એમની પહેલી પત્ની અને બાળકોથી ક્યારેય દૂર નથી કર્યા.
લગ્ન પહેલા હેમા, પ્રકાશ કૌરને ઘણીવાર સમારોહમાં મળી હતી. પણ લગ્ન પછી બંનેના રસ્તા અલગ થઈ ગયા. હેમાએ જણાવ્યું હતું કે હું કોઈને ડિસ્ટર્બ કરવા નહોતી માંગતી. ધરમજીએ મારા અને મારી દીકરીઓ માટે જે કર્યું, હું એમાં ખુશ છું. એમને એક પિતાની ભૂમિકા ખૂબ જ સારી રીતે નિભાવી. આજે હું કામ કરૂં છું અને મારી ડિગનિટીને મેઈન્ટેન કરવામાં સક્ષમ છું. કારણ કે મેં મારી જીંદગીને આર્ટ અને કલચર સાથે જોડી લીધી છે. મને લાગે છે કે જો સ્થિતિ આના કરતાં થોડી પણ અલગ હોત તો હું આજે ત્યાં ન હોત જ્યાં હું આજે છું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,