રસોડામાં પડેેલી હળદરથી લઇને આ વસ્તુઓ તમારા હેલ્થ માટે છે ખૂબ ફાયદાકારક, જાણો અને તમે પણ આ રીતે કરો ઉપયોગ

મનુષ્ય ઘણા સદીઓથી ખાદ્યપદાર્થોમાં મસાલાઓનો ઉપયોગ કરે છે અને જો આપણે ભારતની વાત કરીએ તો હળદર, મરચું, જીરું અને અન્ય ગરમ મસાલા વગર અહીં વાનગીની કલ્પના જ નથી થતી. ભારતમાં આવા એક ડઝનથી વધુ મસાલા છે, જેનો ઉપયોગ રોજ ખાવા પીવામાં થાય છે. આ મસાલા એક રીતે આરોગ્ય માટે ઔષધિનું જ કાર્ય કરે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિને સુધારવામાં મદદ કરે છે. ઘણીવાર એવું કહેવામાં આવે છે કે વ્યક્તિએ વધારે પ્રમાણમાં મસાલેદાર ખોરાક ન ખાવા જોઈએ, પરંતુ કેટલીકવાર શરીર માટે સંતુલિત માત્રામાં મસાલેદાર ખોરાક લેવો ફાયદાકારક છે, અહીં જાણો કે તે આપણા શરીર માટે કેવી રીતે ફાયદાકારક છે-

લાલ મરચું ખાવાના ફાયદા આ છે

image source

મસાલાવાળા ખોરાકમાં લાલ મરચાનો સૌથી વધુ ઉપયોગ થાય છે. તેમાં કેપ્સેસીન તત્વ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. કેપ્સેસીન એવા કોષોના સંપર્કમાં આવે છે જે શરીરના તાપમાનમાં સંકલન કરે છે અને મગજને ગરમીની સૂચના આપે છે. કેટલાક સંશોધનએ એવો દાવો પણ કર્યો છે કે કેપ્સાસીન મનુષ્યને લાંબા સમય સુધી જીવંત રાખવામાં મદદગાર છે.

image source

2009 માં એક સંશોધનથી બહાર આવ્યું છે કે જે લોકો અઠવાડિયાના ચાર દિવસ લાલ મરચાંથી બનેલું ખોરાક ખાતા હોય છે, તેઓને અકાળ મૃત્યુનું જોખમ ઓછું હોય છે. 2015 માં પણ આવું જ સંશોધન કરવામાં આવ્યું હતું. સંશોધનમાંથી જાણવા મળ્યું છે કે જે લોકો દરરોજ મરચાનું સેવન કરે છે તેઓ અઠવાડિયામાં એકવાર મરચું ખાનારા લોકો કરતા વધુ જીવે છે. મરચાંના સેવનથી કેન્સર, હ્રદયરોગ અને શ્વસન રોગોનું જોખમ પણ ઓછું થાય છે.

વધારે પ્રમાણમાં મરચું ખાવાથી નુકસાન થઈ શકે છે

image source

એક યુનિવર્સીટીના પ્રોફેસરનું માનવું છે કે મરચું જાડાપણાની સમસ્યા દૂર કરી શકે છે અને સાથે સાથે તે હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકો માટે પણ ફાયદાકારક છે. મરચાંનું સેવન કરનારા લોકોનું મગજ ખૂબ જ ધીરે ચાલે છે ઉપરાંત, તે યાદશક્તિ પણ ઓછી કરે છે. જે લોકો દરરોજ 50 ગ્રામ મરચું ખાય છે, તેમના માટે મગજનું જોખમ વધારે છે.

હળદરના અસંખ્ય ગુણધર્મો શરીર માટે ફાયદાકારક છે

image source

હળદરમાં મોટા પ્રમાણમાં ક્યુરેક્યુમિન નામના તત્વ જોવા મળે છે. તેના નાના અણુઓ બળતરા, તણાવ, દુખાવો અને શરીરની અન્ય સમસ્યાઓથી રાહત મેળવવા માટે મદદગાર છે. અધ્યયન દર્શાવે છે કે કુરાક્યુમિન કેન્સર જેવા જીવલેણ રોગ સામે લડવાની ક્ષમતા ધરાવે છે. ક્યુરક્યુમિન પાણીમાં સરળતાથી ઓગળી શકતું નથી, એટલે કે જો આપણે વધારે હળદર ખાઈશું તો શરીરને તેનો પૂરો ફાયદો નથી મળતો. તેથી હળદરનું સેવન માર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ.

મસાલેદાર ખોરાક એ દવાનો વિકલ્પ નથી

image source

સંશોધનકર્તાનાં સંશોધનથી બહાર આવ્યું છે કે જ્યારે હળદર ખોરાકમાં અન્ય મસાલા સાથે મિક્સ થાય છે ત્યારે તેના રાસાયણિક ગુણધર્મોને બદલે છે. હળદરનો વધુ પડતો ઉપયોગ હાનિકારક નથી, પરંતુ તેનો ઉપયોગ દવા તરીકે થવો જોઈએ નહીં. જો કે, બીજી વાત એ છે કે હળદર અથવા અન્ય મસાલાઓ પર કરવામાં આવેલા તમામ સંશોધન લેબમાં કરવામાં આવ્યાં છે, તેથી તેના ગુણધર્મો સંપૂર્ણ રીતે જાહેર થયા નથી. તમને જણાવી દઈએ કે, જ્યારે શરીરને અનુકૂળ વાતાવરણ મળે છે ત્યારે જ આ મસાલાઓના ગુણધર્મો ફાયદાકારક છે. કેટલાક મસાલાનો ઉપયોગ હજારો વર્ષોથી ભારતમાં આયુર્વેદિક દવા તરીકે કરવામાં આવે છે, તેથી વૈજ્ઞાનિક અધ્યયન પણ સંપૂર્ણ કઈ કહી શકતા નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત