અથાણાંનું મોટા પ્રમાણમાં સેવન કરવું પુરુષો માટે ખૂબ હાનિકારક હોય છે, તેનાથી ઘણી સમસ્યાઓ ઉભી થઈ શકે છે.
જો તમને પણ વધારે માત્રામાં અથાણું ખાવાની ટેવ હોય, તો તમારે પણ આજ થી જ તમારી આદત બદલવી જોઈએ, નહીં તો તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે.
અથાણું આપણા ભોજનનો સ્વાદ બે ગણો વધારે છે, જેના કારણે મોટાભાગના લોકો ભોજન સાથે અથાણાંનું સેવન કરવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તેના દ્વારા થતાં નુકસાન વિશે. અથાણાંના વધુ પડતા વપરાશથી પુરુષો માટે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.
ઘણીવાર લોકો અથાણાં એટલા માટે પણ ખાય છે કે, જેથી તેનો સ્વાદ ચટપટો રહે. આમ તો, તમે બધા જાણો છો કે કોઈ પણ વસ્તુની વધારે સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક હોય છે. પરંતુ અથાણાંનો અતિશય સેવન કરવું એ પુરુષો માટે એક જોખમ સમાન છે. અમે અહીં તમને અથાણાંના નુકસાન વિશે જણાવીશું.
કેરીના અથાણું નુકસાન:-
કેરીનું અથાણું સ્વાદને ખાટું બનાવવાની સાથે એને ચટપટું પણ બનાવે છે. પરંતુ શું તમે જાણો છો કે કેરીના અથાણામાં મળતા ઘટકો પુરુષોના જાતીય સ્વાસ્થ્યને પણ અસર કરે છે. આ જ કારણ છે કે કેટલાક લોકો પુરુષોને કેરીનું અથાણું ખાવાની ના પાડે છે. પરંતુ લોકો આ વાત દંતકથા અથવા અફવા લાગે છે. એક અધ્યયન મુજબ પુરુષોએ હંમેશા ખાટી વસ્તુના સેવનથી દૂર રહેવું જોઈએ.
એસ્ટામિપ્રિડની માત્રા વધુ હોય છે.
કેરીના અથાણાંમાં જોવા મળતું તત્વ અસટામિપ્રિડ હોય છે, જે આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. ચાલો તમને જણાવી દઈએ કે અસટામિપ્રિડ એક કાર્બનિક સંયોજન છે. આ ઘટકો કેરીની સુરક્ષા માટે વપરાય છે. આ અધ્યયનમાં એવું બહાર આવ્યું છે કે કેરીનું અથાણું પુરુષની જાતીય શક્તિ ઘટાડવાનું કામ કરે છે. આ સિવાય વીર્ય ઘટાડવાનું જોખમ રહે છે.
વધારે ન ખાવું જોઈએ.
જ્યારે પણ અથાણું તૈયાર કરવામાં છે ત્યારે તેને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે વધુ તેલ અને વધુ મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકર્તા હોય છે. અથાણામાં તેલ વધુ પ્રમાણમાં હોવાને કારણે અને તેમાં વપરાતા મસાલા પણ રાંધેલા હોતા નથી. જેના કારણે કોલેસ્ટરોલ અને અન્ય શારીરિક સમસ્યાઓ ઉભી થઈ શકે છે.
ગેસ્ટ્રિક કેન્સરનું જોખમ:-
આવા ઘણા સંશોધન બહાર આવ્યા છે જેમાં વધુ અથાણાં ખાવાની મનાઈ કરવામાં આવી છે. આનાથી આપણા શરીરમાં ગેસ્ટ્રિક કેન્સરનું જોખમ અનેકગણું વધી જાય છે. વળી, તેમાં મીઠાની માત્રા વધારે હોવાને કારણે બ્લડપ્રેશરના દર્દીઓ માટે તે સારું હોતું નથી. આ સિવાય, આવા લોકોએ પણ અંતર બનાવવું જોઈએ, જે લોકો હાયપરટેન્શનના દર્દીઓ છે.
અધ્યયનોએ બતાવ્યું છે કે વધારે પ્રમાણમાં મીઠું ખાવાથી હંમેશા સ્ટ્રોક અને હાર્ટ એટેક થવાનું જોખમ રહે છે. મોટાભાગના લોકો બજારમાં બનાવેલા અથાણાં ખાવાનું પસંદ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે બજારમાં બનાવવામાં આવતા અથાણાંમાં પ્રિઝર્વેટિવ્સ હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ