મિત્રો, આપણી ધરા એ ધર્મ અને આધ્યાત્મની ધરા છે. આપણી આ પવિત્ર ધરા પર અનેકવિધ એવા મહાન સત્પુરુષો જન્મી ચુક્યા છે કે, જેમને આજે પણ તેમના કાર્યો માટે લોકો યાદ કરે છે. આ લોકોએ પોતાની વિચારસરણીથી લોકોને જીવન સાથે સંકળાયેલા અમુક વાસ્તવિક રહસ્યોથી અવગત કરાવ્યા.
આ સત્પુરુષોમાના એક છે આચાર્ય ચાણક્ય. આચાર્યએ હમેંશા પોતાનુ જીવન સાદગીપૂર્વક વિતાવ્યુ છે પરંતુ., તેમણે પોતાના અખૂટ અને દિવ્ય જ્ઞાન અને પોતાના અનુભવોના રસનો નીચોડ એક શાસ્ત્રમા જણાવ્યો છે, જેને જો કોઈ વ્યક્તિ પોતાના જીવનમા અનુસરે તો તેણે ક્યારેય પણ આર્થિક સમસ્યાઓથી પીડાવુ પડી શકશે નહિ, તો ચાલો આ અંગે વિસ્તૃત ચર્ચા કરીએ.
આચાર્યે પોતાની ચાણક્ય નીતિમા જણાવ્યુ છે કે, પૈસા એ ખરાબ સમયમા વ્યક્તિને ખુબ જ સહાયરૂપ સાબિત થાય છે. ખરાબ સમયમા તે વ્યક્તિ માટે એક સાચા મિત્રની ભૂમિકા ભજવે છે. આ કારણોસર જ દરેક વ્યક્તિએ હમેંશા પૈસાની દ્રષ્ટિએ જાગૃત અને ગંભીર હોવું જોઈએ.
તેમના મત મુજબ માતા લક્ષ્મીજી એ ધનના દેવી છે અને તેમને ખુશ રાખવા માટે વ્યક્તિએ અમુક બાબતો અંગે વિશેષ સાવચેતી રાખવી જોઈએ. ગીતાના ઉપદેશમા પ્રભુ શ્રી કૃષ્ણએ અર્જુનને જણાવ્યુ છે કે, સફળતાનું રહસ્ય ખંતથી છુપાયેલું છે. દિલથી કરવામાં આવેલા દરેક કાર્યમા તમને સફળતા અવશ્યપણે મળે છે. માણસે હંમેશા પોતાના કાર્ય માટે તૈયાર રહેવું જોઈએ.
જે વ્યક્તિ ખંતથી બચવાનો પ્રયાસ કરે છે તે સફળતાથી દૂર રહે છે. સફળ વ્યક્તિને મૂલ્ય સન્માન અને પૈસાની કોઈ કમી નથી રહેતી. પૈસાની બાબતમાં દરેક વ્યક્તિએ હમેંશા ગંભીર રહેવું જોઈએ. પૈસા મેળવવા માટે દરેક વ્યક્તિએ યોગ્ય માર્ગ અનુસરવું જોઈએ. જે લોકો શ્રેષ્ઠ કાર્ય કરે છે તેમના પર માતા લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે. જે લોકો સખત મહેનત કરે છે તેમને લક્ષ્મીજી ચોક્કસપણે તેમના આશીર્વાદ આપે છે.
માતા લક્ષ્મીજીને આળસુ વ્યક્તિ જરાપણ પસંદ નથી. જે લોકો આજના કામને આવતીકાલ પર ટાળે છે, તેમને મોડેથી સફળતા મળે છે. માતા લક્ષ્મીજી હમેંશા મહેનતુ વ્યક્તિને વધુ પ્રેમ કરે છે. જે વ્યક્તિ સખત મહેનત કરે છે તે આળસથી ઘણી દૂર રહે છે. જે વ્યક્તિ સખત મહેનત કરે છે, તે તેના લક્ષ્યોને પ્રાપ્ત કરવામા હમેંશા સફળ રહે છે અને જે વ્યક્તિ પોતાના લક્ષ્યો પ્રાપ્ત કરે છે તેને માતા લક્ષ્મીજીના આશીર્વાદ હમેંશા મળી રહે છે.
સફળ વ્યક્તિ એ હંમેશાં જરૂરિયાતમંદ વ્યક્તિઓની મદદ માટે અડીખમ ઉભો રહે છે. જે લોકો બીજાના દુઃખમા ભાગ લે છે તેમના પર માતા લક્ષ્મીજીના આશીર્વાદ હમેંશા બની રહે છે. માતા લક્ષ્મીજી તેમને પણ વિશેષ આશીર્વાદ આપે છે, જે સખત મહેનત કરે છે અને અવગુણોથી દૂર રહે છે. જે વ્યક્તિ ખોટી આદતોથી દૂર રહે છે તે બધા લોકોને પ્રિય હોય છે. આવા લોકોને સમાજમા યોગ્ય માન-સન્માન મેળવે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત