કોરોના રસીની A TO Z માહિતી: જાણી લો બે ડોઝ લીધા પછી પણ લોકો કેમ થઈ રહ્યા છે સંક્રમિત, જાણો આ ચોંકાવનારો ખુલાસો તમે પણ

સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ કોરોના સંક્રમણ જોખમકારક રીતે વધી રહ્યું છે. એમાંય રાજ્યના મોટા શહેરો જેવા કે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટની હાલત ખૂબ જ ખરાબ છે.રાજ્યમાં છેલ્લા છ દિવસમાં નવા કેસમાં રેકોર્ડ બ્રેકીંગ વધારો નોંધાઇ રહ્યો છે. છેલ્લા છ દિવસમાં રાજ્યમાં કોરોનાના નવા 17 ,180 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે.

image socure

તમને જણાવી દઈએ કે રાજ્યમાં મંગળવારે કોરોનાના નવા 3280 પોઝિટીવ કેસ નોંધાયા હતા. જ્યારે 121 દિવસ બાદ કોરોનાની સારવાર દરમિયાન 17 દર્દીઓના મૃત્યુ નોંધાયા હતા. અત્યાર સુધીમાં રાજ્યમાં 3, 24, 881 લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. જે પૈકી 3,02, 932 લોકો કોરોના સામેની જંગ જીતી ગયા છે. જ્યારે 4598 લોકોને કોરોના વાયરસ ભરખી ગયો છે.

image socure

જેમ જેમ કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે એની સામે સરકારે વેકસીનેશન કાર્યક્રમને પણ પુરજોશમાં આગળ ધપાવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 78, 85, 630 લોકોને કોરોમાં રસી આપવામાં આવી છે.છેલ્લા 24 કલાકમાં 60 વર્ષથી વધુ ઉંમરના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2,75 , 777 લોકોને કોરોના રસીનો પહેલો ડોઝ અપાયો જ્યારે 29, 886 લોકોને કોરોના રસીનો બીજો ડૉઝ આપવામાં આવ્યો છે.

image source

એવામાં હવે એક નવો સવાલ લોકોની સામે ખડો થઈ ગયો છે. કોરોના સામે રક્ષણ મળી રહે એ માટે લોકો રસી લઇ રહ્યાં છે પણ હવે ચિંતાનો વિષય એ છેકે, કોરોનાની રસીના બે ડોઝ લીધાં પછી પણ ઘણા લોકો કોરોનાથી સંક્રમિત થઇ રહ્યાં છે. આ અંગે ડોકટરોને ચિંતા વ્યક્ત કરી છે કે ,કાં તો આ કોરોનાના નવો સ્ટ્રેન હોય કે પછી કોરોનાની જનિનમાં બદલાવ થયો હોય. આ કારણોસર મેડિકલ કોલેજે પૂણે સિૃથત નેશનલ ઇન્સ્ટિયુટ ઓફ વાયરોલોજી માં સેમ્પલ મોકલ્યાં છે. આ સેમ્પલના જિનોમ એનાલિસિસ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.

તમને જણાવી દઈએ શહેરમાં બે ડૉક્ટરો ઉપરાંત અન્ય એક વ્યક્તિએ રસીના બંને ડોઝ લીધા પછી તેઓ કોરોનાના સંક્રમણમાં સપડાયા હતાં. કુલ મળીને ચાર સેમ્પલ પૂણે સિૃથત નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ વાયરોલોજીમાં મોકલાયાં છે.

image socure

આ સાથે જ દિવાળી પછી કેટલાંક કોરોના દર્દીઓના સેમ્પલની તપાસ કરતાં એવુ જાણવા મળ્યુ કે, કોરોનાના વાયરસમાં ત્રણ જનિન પૈકી એસ નામના જનિનની ગેરહાજરી જોવા મળી છે. આ દર્દીઓ કોરોના પોઝિટીવ હતાં. આ દર્દીઓના સેમ્પલ પણ નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ વાયરોલોજીમાં મોકલી અપાયાં છે. કોરોનાનો નવો સ્ટ્રેન છે કે, કોરોનાના જનિનની સિકવન્સમાં બદલાવ થયો છે કે કેમ તે અંગે અત્યારે કહી શકાય તેમ નથી. જિનોમ એનાલિસિસના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.

image socure

ગુજરાતમાં છેલ્લા 11 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત

  • તારીખ નોંધાયેલા કેસ. મોત
  • 6 એપ્રિલ. 3280 17
  • 5 એપ્રિલ. 3160 15
  • 4 એપ્રિલ. 2875 14
  • 3 એપ્રિલ. 2815 13
  • 2 એપ્રિલ. 2640 11
  • 1 એપ્રિલ. 2410 9
  • 31 માર્ચ. 2360 9
  • 30 માર્ચ. 2220 10
  • 29 માર્ચ. 2252 8
  • 28 માર્ચ. 2270 8
  • 27 માર્ચ. 2276 5
  • કુલ કેસ અને મોત. 28,558 અને 119

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!