આપણા જ્ઞાન બહારની બાબતોએ હંમેશા આપણું ધ્યાન આકર્ષિત કર્યું. છે પછી તે કોઈ આધ્યાત્મની વાત હોય કોઈ નવા સંશોધનની વાત હોય કે પછી બ્રહ્માંડમાં ફરતા તારાઓની વાત હોય. આપણને હંમેશા આવી કોઈ બાબત વિષે જાણવા મળે એટલે આપણી આંખો હંમેશા કુતુહલથી ચમકી ઉઠે છે. તેવું જ બિહારના મધુબની જિલ્લામાં બન્યું છે.
View this post on Instagram
વાત છે બિહાર રાજ્યના મધુબની જિલ્લાના એક નાનકડા ગામની. આ ગામના એક ખેતરમાં એક વિચિત્ર પથ્થર અકાશમાંથી પડ્યો છે. આ પથ્થરનો દેખાવ સામાન્ય પથ્થર કરતાં ઘણો અલગ છે. અને તેની આ વિચિત્રતાથી સ્થાનીક લોકોમાં ખુબ જ જિજ્ઞાસા જાગી છે.
આ પથ્થરનું વજન લગભગ 15 કી.ગ્રામ છે. હાલ જિલ્લા પ્રશાસને આ પથ્થર પોતાના કબજામાં લઈ લીધો છે. આ માટે જિલ્લા અધિકારી કપીલ અશોકે એક પ્રેસ કોન્ફરન્સ પણ બોલાવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે પથ્થરના ફિઝિકલ પરિક્ષણ માટે તેને લેબોરેટરી મોકલી દેવામાં આવ્યો છે.
આ ઘટના સોમવારે સવારે બની હતી. તે સમયે ખેતરમાં કેટલાક ખેડૂતો કામ કરી રહ્યા હતા. તે દરમિયાન એક ધમાકા સાથે આ પથ્થર ખેતર પર આવીને પડ્યો. જ્યાં આ પથ્થર પડ્યો ત્યાં લગભગ 4 ફૂટ ઉંડો ખાડો પડી ગયો હતો. તે વખતે ઝરમર વરસાદ પડી રહ્યો હતો. પણ લોકોનું એવું કહેવું છે કે જ્યારે આ પથ્થર પડ્યો ત્યારે તે ગરમ હતો.
मेरा गृह ज़िला मधुबनी अलौकिकता से भरा है। एक उदाहरण मैं हूँ और दूसरा ये पत्थर जो आसमान से गिरा है। इस पर चुंबक भी चिपक रहा है। प्रशासन ने इसे कोषागार में रखा है। फ़ोरेंसिक जाँच को भेजा जाएगा।
इस पर विज्ञान से लेकर भक्ति तक के आधे आधे घंटे का प्रोग्राम बन सकता है। संपर्क करें। 😜 pic.twitter.com/sVTsudpVtX
— Umashankar Singh (@umashankarsingh) July 23, 2019
પણ તે વરસાદના કારણે ખેતરમાં જમા થયેલા પાણીમાં પડતાં તેમાંથી વરાળ નીકળવા લાગી હતી. હાલ તો આ પથ્થરમાં કઈ ધાતુ છે તે ખબર પડી નથી પણ એટલું ચોક્કસ ખબર પડી છે કે તેમાં ચુંબકીય શક્તિ ચોક્કસ છે કારણ કે જ્યારે તેના પર ચુંબક મુકવામાં આવ્યું ત્યારે તે તરત જ તેને ચોંટી ગયું હતું. આકાશમાંથી પડેલા આ વિચિત્ર પથ્થરના સમાચાર વાયુવેગે સમગ્ર ગામમાં ફેલાઈ ગયા અને આખું ગામ તેને જોવા ભેગુ થઈ ગયું જોકે પછી સ્થાનિક પોલીસને તેની ખબર આપવામાં આવી હતી.
જો કે ગામના લોકો વચ્ચે તરત જ આ પથ્થર વિષે વિવિધ જાતની વાતો ફેલાવા લાગી. કોઈકે ભગવાનનો ચમત્કાર ગણ્યો તો કોઈએ તેની સાથે પરગ્રવાસીને જોડી દીધો. અને ત્યાર બાદ તો કેટલાક લોકોએ આ પથ્થરને ભગવાનનું રૂપ માનીને તેને પીપળાના જાડ નીચે મુકીને તેને પુજવાનો પણ શરૂ કરી દીધો.
જો કે વૈજ્ઞાનિકોનું એવું કહેવું છે આ એક ઉલ્કાપિંડ છે. આકાશમાં ચાર્જના કારણે વિજળી થાય છે અને તેના કારણે પથ્થ મેગ્નેટિક પ્રોપર્ટીમાં ફેરવાઈ જાય છે. જો કે આ પથ્થર ક્યાંથી આવ્યો તેમાં કંઈ કઈ ધાતુઓ સમાયેલી છે તેનું શું બંધારણ છે તે બધી જ માહિતી તેની ઉંડી તપાસ બાદ જ ખ્યાલ આવશે.
જો તમને ઉલ્કા વર્ષા વિષે જાણવાની ઇચ્છા હોય તો અમે તમને જણાવી દઈએ કે ઉલ્કા પિંડની શરૂઆત પુરાણકાળથી થઈ છે અને કદાચ તેથી પણ વધારે સમય પહેલાથી. જોકે ઇતિહાસના ગ્રંથોમાં આ પથ્થરોનો ચમત્કારી અથવા તો પવિત્ર પથ્થરો તરીકે ઉલ્લેખ કરવામાં આવતો હતો જેને આપણે વૈજ્ઞાનિક ભાષામાં ઉલ્કા પીંડ કહીએ છીએ. પુરાણ કાળમાં અવકાશમાંથી પડતા આવા પથ્થરોની પુજા કરવામાં આવતી હતી. એપોલોના એક મંદીરમાં આવા જ એક આકાશમાંથી આવેલા પથ્થરની પુજા કરવામાં આવે છે.
View this post on Instagram
1492માં ફ્રાન્સના એક ગામડામાં 280 પાઉન્ડનો એટલે કે લગભગ ડોઢસો કી.ગ્રામનો એક ઉલ્કા પીંડ અવકાશમાંથી પડ્યો હતો. એક નાનકડા છોકરાએ તે ઉલ્કાને જમીન પર પડેલી જોઈ હતી અને તે ગામના લોકોને ત્યાં દોરી ગયો હતો. જો કે તે વખતે પણ લોકોને વિજ્ઞાનમાં નહીં પણ અલૌકિક શક્તિઓ પર વધારે વિશ્વાસ હોવાથી આ પથ્થરને પણ કોઈ દૈવી વસ્તુ જ માની લેવામાં આવી હતી.
View this post on Instagram
પણ આવા ઉલ્કા પીંડ પૃથ્વી પર અવારનવાર પડતા રહે છે. અને દર વખતે લોકો તેનાથી અચરજ પામે છે. જો આપણી નજર સમક્ષ આવો કોઈ ઉલ્કાપીંડ આકાશમાંથી નીચે ધરતી પર પડે તો તે દૃશ્ય આપણા માટે તો આજીવન યાદગાર રહી જાય.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ