ભારતમાં અનેક પૌરાણીક મંદિરો આવેલા છે. ઘણા મંદીરો એટલા રહસ્યમયી છે કે તેમનું રહસ્ય આજે પણ અકબંધ છે. તો બીજી તરફ હિમાચલ પ્રદેશમાં દેવી-દેવતાઓના ઘણા મંદિરો છે, જેના કારણે તે દેવ ભૂમિ તરીકે પણ ઓળખાય છે. દેવભૂમિમાં ઘણા પ્રખ્યાત મંદિરો છે, જેની પોતાની વિશેષતા છે. તમને જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશના કુલ્લુ શહેરમાં બિયાસ અને પાર્વતી નદીના સંગમ નજીક ઉંચા પર્વત પર ભગવાન શંકરનું એક રહસ્યમય મંદિર છે, જેનું રહસ્ય આજ સુધી ઉકેલાયુ નથી. દર 12 વર્ષ પછી આ મંદિર પર આકાશી વીજળી પડે છે, પરંતુ આ પછી પણ, મંદિરને કોઈ પ્રકારનું નુકસાન થયું નથી. ચાલો જાણીએ આ રહસ્યમય મંદિર વિશે વિગતવાર.
આ મંદિર પર તીવ્ર આકાશી વીજળી પડે છે
પૌરાણિક માન્યતાઓ અનુસાર આ મંદિર જે ખીણ પર સ્થિત છે તે સાપ(નાગ)ના રૂપમાં છે. ભગવાન શંકરે આ સાપનો વધ કર્યો હતો. દર 12 વર્ષે એકવાર,આ મંદિર પર તીવ્ર આકાશી વીજળી પડે છે. વીજળી પડવાથી મંદિરનું શિવ લિંગ તૂટી જાય છે. આ પછી, મંદિરના પુજારી મલમ તરીકે ખંડિત શિવલિંગ પર માખણ લગાવે છે, જેથી મહાદેવને પીડાથી રાહત મળે છે.
નદીનો પ્રવાહ અટકી ગયો
આ મંદિર સાથે સંકળાયેલી દંતકથા અનુસાર, કુલાન્ત નામના રાક્ષસ રહેતો હતો. આ રાક્ષસ તેની શક્તિ દ્વારા સાપનું રૂપ લેતો હતો. એકવાર આ રાક્ષસ કુલાંત અજગરનું રૂપ લઈને મથાણ ગામની નજીકની નદીમાં કુંડલીવાળીને બેસી ગયો, જેનાથી નદીનો પ્રવાહ અટકી ગયો અને ત્યાં પાણી વધવા લાગ્યું.
તેની પાછળ તેનો ઉદ્દેશ એ હતો કે અહીં રહેતા તમામ પ્રાણીઓ પાણીમાં ડૂબીને મરી જાય. આ જોઈને મહાદેવ ગુસ્સે થયા. આ પછી મહાદેવે માયા રચી. ભગવાન શિવ રાક્ષસ પાસે ગયા અને તેમને કહ્યું કે તેની પૂંછડીમાં આગ લાગી છે.
રાક્ષસનું વિશાળ શરીર એક પર્વતમાં ફેરવાઈ ગયું
મહાદેવની વાત સાંભળીને રાક્ષસે જેવુ પાછળ જોયું કે તરત જ શિવાજીએ કુલાંતના માથા પર ત્રિશૂલ પર હુમલો કર્યો અને તે ત્યાં જ મરી ગયો. એવું કહેવામાં આવે છે કે રાક્ષસનું વિશાળ શરીર એક પર્વતમાં ફેરવાઈ ગયું, જેને આપણે આજે કુલ્લુનો પર્વત કહીએ છીએ. દંતકથા અનુસાર, ભગવાન શિવએ કુલાંતનો વધ કર્યા પછી, ઇન્દ્રને દર 12 વર્ષે ત્યાં વીજળી પાડવાનું કહ્યું. આમ કરવા માટે ભગવાન શિવએ એટલા માટે કહ્યું જેથી જન ધનની હાની ન થાય. ભગવાન પોતે વીજળીનો આંચકો સહન કરીને ભક્તોને સુરક્ષિત કરે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!