ફણગાવેલા કઠોળ ખાવાથી દૂર થાય છે અનેક બીમારીઓ, જાણો અને રોજ ખાઓ તમે પણ

ફણગાવેલા કઠોળના ફાયદા

ફણગાવેલા કઠોળનો આહાર એ તમારા સ્વાસ્થ્ય માટે ઉત્તમ આહાર છે. તમે ઇચ્છો તો તમારા રોજના અનાજનો પ્રકાર બદલી શકો છો.

તેનાથી તમને વેરાયટી પણ મળતી રહેશે અને નાશ્તાનો એક સારો વિકલ્પ પણ મળશે.

image source

સામાન્ય રીતે લોકો મગની દાળ અને ચણાને ફણગાવી ખાય છે પણ તમે ઇચ્છો તો કોઈ દિવસ સોયાબીન, કાબુલી ચણા, મગફળી, જુવાર, બાજરીને ફણગાવીને પણ ખાઈ શકો છો. દરેક અનાજ પ્રોટિન અને અન્ય પોષક તત્ત્વોથી ભરપુર હોય છે.

ફણગાવેલા અનાજના ફાયદા જાણીએ

image source

1. ફણગાવેલું અનાજ પાચનતંત્રને મજબુત બનાવી સક્રિય બનાવવામાં મદદ કરે છે. તેમાં ફાઈબર ખાસા પ્રમાણમાં હોય છે જે પાચન ક્રિયાને સામાન્ય બનાવી રાખે છે.

2. ફણગાવેલા અનાજમાં કેટલાએ પ્રકારના પોષક તત્ત્વો હોય છે. તે એન્ટિ-ઓક્સીડેન્ટ અને વિટામિન એ,બી,સી તેમજ ઇથી ભરપૂર હોય છે. એન્ટિ ઓક્સિડન્ટના કારણે તે તમારી રોગપ્રતિકારક શક્તિને સુધારે છે, તેમજ તેમાં રહેલો ક્ષાર શરીરની બીજી જરૂરિયાતોને પણ પૂરી કરે છે.

image source

તેમાં ફોસ્ફરસ, આયર્ન, કેલ્શિયમ, ઝિંક અને મેગ્નેશિયમ જેવા મુખ્ય ક્ષાર હોય છે.

3. ફણગાવેલા અનાજમાં કેટલાએ પ્રકારનું પ્રોટિન હોય છે જેના કારણે શરીરને શક્તિ મળે છે અને માંસપેશીઓ પણ મજબુત બને છે.

4. ફણગાવેલા અનાજમાં પુષ્કળ પ્રમાણમાં કેલરી હોય છે. માટે જે લોકો ઇચ્છતા ન હોય કે તેમનું વજન વધે તે અંકુરીત અનાજને પોતાના ડાયેટમાં સમાવી શકે છે.

ફણગાવેલા ચણા

image source

યુવાનીમાં ફણગાવેલા ચણાનું સેવન કરવાથી વૃદ્ધત્વ મોડું આવે છે અને વૃદ્ધાવસ્થામાં સેવન કરવાથી શરીરના અંગ પ્રત્યંગો સ્વસ્થ તેમજ બળવાન રહે છે.

ફણગાવેલા ચણા સુપાચ્ય તેમજ પૌષ્ટિક હોય છે. તેમાં કેલ્શિયમ, સોડિયમ, પોટેશિયમ, આયર્ન જેવા ખનિજ તત્ત્વો પુષ્કળ પ્રમાણમાં હોય છે.

image source

અંકુરિત ચણામાં પ્રોટીન ખુબ હોય છે. માટે જ ચણાને અમૃત અન્ન કહેવામાં આવે છે.

ફણગાવેલી મેથી

image source

ફણગાવેલી મેથી કડવી, પૌષ્ટિક, જ્વર તેમજ કૃમિ નાશક હોય છે. તે ભુખ વધારે છે અને હૃદયને અપાર શક્તિ આપે છે.

નિયમિત રીતે અંકુરિત મેથી ખાવાથી વાળ ખરવા બંધ થઈ જાય છે. ચાનો સ્વાદ વધારવા માટે પણ ફણગાવેલી મેથીનો ઉપયોગ કરવામાં આવે છે.

image source

આ ચા પીવાથી ઉધરસ અને બ્રોંકાઇટિસ વિગેરે શ્વસનતંત્રને લગતી તકલીફો દૂર થાય છે. તેનાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આ ખુબ જ લાભદાયક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ