કોરોના વાયરસ સંક્રમણમાં દર્દીઓ માટે એમ્બ્યુલન્સની અછતથી દરેક વ્યક્તિ જાણે છે, પરંતુ જો ઈ જ એમ્બ્યુલન્સમાં લોકો રંગરેલિયા મનાવતા પકડાઈ આવે તો એના કરતા વધારે શર્મનાક બીજું કઈ હોઈ શકે નહી. ઉત્તર પ્રદેશ રાજ્યના વારાણસી શહેરમાં આવો જ એક કેસ સામે આવ્યો છે.
ખરેખરમાં આ આખી ઘટના વારાણસીમાં આવેલ રામનગર પોલીસ સ્ટેશનના વિસ્તારની છે, અહિયાં સુજાબાદ ચોકી વિસ્તારમાં કઈક આવું જ થયું. ત્રણ યુવક અને એક યુવતીને એમ્બ્યુલન્સમાં રંગરેલિયા મનાવતા પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યા છે અને એમ્બ્યુલન્સને જપ્ત કરી લેવામાં આવી છે ચાર વ્યક્તિઓ વિરુદ્ધ કેસ નોંધીને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.
આ આખી ઘટના ત્યારે થઈ જયારે સુજાબાદ પોલીસ ચોકીની નજીક સુનસાન વસ્તારમાં બંધ એમ્બ્યુલન્સને લોકોએ હલી રહી હોય તેમ જોયું, ઘણા સમય પછી પણ જયારે એમ્બ્યુલન્સ તે જગ્યા પરથી હટી નહી, ત્યારે તે વિસ્તારના સ્થાનિક લોકોને શક થાય છે અને તેમણે પોલીસને બોલાવીને તપાસ કરાવે છે તો ચોંકાવનાર ખુલાસો થયો.
પોલીસએ બંધ એમ્બ્યુલન્સ માંથી ત્રણ યુવક અને એક યુવતીને બહાર કાઢે છે. ત્યાર બાદ રામનગર પોલીસ સ્ટેશન પર ચારેવ વ્યક્તિને લઈ જવામાં આવે છે અને એમ્બ્યુલન્સને પણ જપ્ત કરી લેવામાં આવે છે. આ ત્રણ યુવક અને યુવતીની વિરુદ્ધ સાર્વજનિક સ્થળ પર અશ્લીલ હરકતો કરવાના આરોપમાં રામનગર પોલીસ સ્ટેશનમાં કેસ રજીસ્ટર કરીને તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. આની સાથે જ એમ્બ્યુલન્સને પણ જપ્ત કરી લેવામાં આવી છે.
આ કેસ વિષે કોતવાલી સર્કલના એસીપી પ્રવીણ સિંહએ જણાવ્યું છે કે, ચારેય વ્યક્તિઓની વિરુદ્ધ સાર્વજનિક જગ્યાઓ પર અશ્લીલ હરકતો કરવાના આરોપમાં કેસ નોંધી લેવામાં આવ્યો છે અને એમ્બ્યુલન્સને પણ જપ્ત કરી લેવામાં આવી છે.
તેમણે જણાવ્યું છે કે, એમ્બ્યુલન્સ મંડુઆહીડ વિસ્તારમાં આવેલ ગંગા સેવા સદન નામની એક પ્રાઈવેટ હોસ્પિટલની છે, જેને હોસ્પિટલ વાળાઓએ એક યુવકને ભાડે ચલાવવામાં આપી દીધી હતી. એના સિવાય આ હોસ્પિટલની પહેલા પણ કેટલીક અન્ય ફરિયાદો અને અનિયમિતતાઓ મળી આવી છે જેની હજી પણ તપાસ ચાલી રહી છે.
આ પણ જણાવવામાં આવ્યું છે કે, પહેલા તો લોકો સમજી શક્યા નહી કે, આ સુનસાન વિસ્તારમાં આ એમ્બ્યુલન્સ કેમ ઉભી છે. જો કે, આ એમ્બ્યુલન્સ ઘણા સમય સુધી જયારે ઉભી રહે છે તો લોકોને શક થવાનો શરુ થઈ જાય છે કેમ કે, આ એમ્બ્યુલન્સ હલી પણ રહી હતી. ત્યાર બાદ લોકોએ તાત્કાલિક પોલીસને સુચના આપી દે છે.
આપને જણાવી દઈએ કે, આ કોરોના વાયરસની મહામારી દરમિયાન રોજબરોજ એમ્બ્યુલન્સ ચલાવનારની મનમાની સામે આવી રહી છે. દેશના તમામ ભાગો માંથી આવા કેસ સામે આવી ગયા છે જયારે લોકોની મજબુરીનો ફાયદો ઉઠાવીને એમ્બ્યુલન્સ ચલાવનારાઓ મન મુજબ પૈસા વસુલે છે અને લોકો મજબુરીમાં પૈસા આપી પણ દેતા હોય છે.
તાજેતરમાં જ દિલ્લી સરકારએ આવા એમ્બ્ય્લંસ ડ્રાઈવરની વિરુદ્ધ સખ્ત એક્શન લેવાનું કહ્યું છે, જેઓ આ મહામારીના સમયમાં પણ માનસી નથી બતાવી રહ્યા અને લોકો પાસેથી પોતાના મનમુજબ ભાડું વસુલ કરી રહ્યા છે. દિલ્લી સરકારએ આ નિર્ણય આજતકના એક સ્ટીંગ ઓપરેશન પછી લીધો છે.
દિલ્લીમાં આ સ્ટીંગ ઓપરેશન પછી દિલ્લી સરકારએ આજતકને ધન્યવાદ આપતા આવા એમ્બ્યુલન્સ ડ્રાઈવરની વિરુદ્ધ સખતમાં સખ્ત કાર્યવાહી કરવાનો ભરોસો આપ્યો છે. દિલ્લી સરકારે કહ્યું છે કે, અમે એવા વ્યક્તિઓની વિરુદ્ધ કડકમાં કડક એક્શન લેશે જે આ સંકટની પરિસ્થિતિમાં પણ નફાખોરી કરી રહ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!