ગંગા દશેરા નિમિત્તે વારાણસીમાં વહેલી સવારથી જ ગંગા ઘાટ ખાતે પવિત્ર નદીમાં ભક્તોએ ડુબકી લગાવી હતી. આ દરમિયાન લોકોને COVID પ્રોટોકોલનું પાલન કરવાનું કહેવામાં આવે છે. આ સાથે વહીવટી તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે બધા લોકોએ પૂજા કર્યા પછી તરત જ તેમના ઘરે જવું જોઈએ. આ દિવસે ભગવાન શિવની જટા દ્વારા માતા ગંગા પૃથ્વી પર ઉતર્યા હતા. રાજા ભગીરથની કઠોર તપસ્યા પછી, મા ગંગા જેઠ મહિનાના શુક્લ પક્ષની દસમી તિથિ પૃથ્વી પર આવ્યા હતા. જેથી કપિલમુનિના ક્રોધથી ભસ્મ થઈ ગયેલા રાજા ભગીરથના પૂર્વજોની આત્માઓને શાંતિ મળે.
ગંગા દશેરા પર શુભ મૂહુર્ત અને વિધિ
ગંગા દશેરા પર માતા ગંગાની પૂજા કરવા માટે 5 મુહૂર્ત છે. આ દરમિયાન મા ગંગાના મંત્રોનો જાપ કરો. 10 દીવા પ્રગટાવો અને દાન કરો. આ ઉપરાંત આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. તેથી ચોક્કસપણે શિવ મંદિરની મુલાકાત લો.
Varanasi: Devotees take holy dip and offer prayers at Ganga Ghat on the occasion of Ganga Dussehra.
Announcements being made at the Ghat for people to adhere to COVID protocols and proceed to their homes after offering prayers. pic.twitter.com/PCfY7hoeot
— ANI UP (@ANINewsUP) June 20, 2021
બ્રહ્મ મુહૂર્ત – સવારે 04:03 મિનિટ થી 04:44 મિનિટ સુધી
અભિજિત મુહૂર્ત – સવારે 11:55 થી બપોરના 12.51 સુધી
વિજય મુહૂર્ત – બપોરે 02:42 થી 03:38 સુધી
ગોધૂલી મુહૂર્ત – સાંજે 07:08 થી 07.32 સુધી
અમૃત કાળ – રાત્રે 12:52 થી 02: 21 સુધી
માં ગંગાની ઉપાસના માટે આ મંત્રનો જાપ કરો
ॐ नमो भगवती हिलि हिलि मिलि मिलि गंगे माँ पावय पावय स्वाहा नमो भगवत्यै दशपापहरायै गंगायै नारायण्यै रेवत्यै। शिवायै अमृतायै विश्वरूपिण्यै नन्दिन्यै ते नमो नमः।।
પૈસા, પ્રગતિ અને ભાગ્ય માટે આ ઉપાય કરો
– ગંગા દશેરાના દિવસે મા ગંગાની સ્તુતિ કરો જેનાથી સમૃદ્ધિ મળશે અને મિત્રો સાથેના સંબંધો મજબૂત થશે. આ માટે ‘बृहत्यै ते नमस्तेSस्तु लोकधात्र्यै नमोSस्तु ते. नमस्ते विश्व मित्रायै नन्दिन्यै ते नमो नमः॥’ નો જાપ કરો.
ગંગા દશેરાના દિવસે માટીનું વાસણ લો અને તેના ગળા સુધી પાણી ભરો. ત્યારબાદ તેમાં ગંગાજળનાં થોડા ટીપાં નાંખો અને વાસણને ઢાંકી દો અને તેના ઉપર થોડી દક્ષિણા રાખો. આ પછી કોઈ પણ શિવ મંદિરમાં આ વાસણનું દાન કરવાથી બધી સમસ્યાઓ દૂર થાય છે.
– અખંડ સૌભાગ્ય માટે, મહિલાઓએ માતા-ગંગાની આરતી કરવી જોઈએ. ત્યારબાદ માતાને કપડાં અને શ્રૃંગારની વસ્તુઓ અર્પણ કરો અને તેના માટે અખંડ સૌભાગ્યની પ્રાર્થના કરો. આ પછી અર્પણ કરેલી સામગ્રી કોઈ સૌભાગ્યવતી મહિલાને દાનમાં આપો.
કોવિડ રોગચાળાના યુગમાં લોકો તેમના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ ચિંતિત છે. આવી સ્થિતિમાં, લાંબું જીવન અને સારી તંદુરસ્તી માટે, ગંગા દશેરા સ્તોત્રમાં આપવામાં આવેલી આ લાઇનોનો પાંચ વખત પાઠ કરવી. આ પંક્તિઓ છે – ‘संसार विष नाशिन्यै, जीवनायै नमोऽस्तु ते. ताप त्रय संहन्त्र्यै, प्राणेश्यै ते नमो नमः॥’ આ સાથે, શિવનો અભિષેક કર્યા પછી અમૃત મૃત્યુજયનો જાપ કરો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong