જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ હાથની રેખાઓ વ્યક્તિના નસીબ અને ભાગ્ય વિષે જણાવે છે. જોબ સિક્યોરીટીના કારણે આજે મોટાભાગના લોકો સરકારી નોકરી મેળવવાની ઈચ્છા ધરાવે છે. જેમાંથી કેટલીક વ્યક્તિઓ તો એવી હોય છે જેમને ઓછા પ્રયત્નોમાં જ સરકારી નોકરી મળી જાય છે, પરંતુ કેટલાક એવા લોકો પણ હોય છે જેમને સરકારી નોકરી મેળવવા માટે લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. પરંતુ શું આપ જાણો છો કે, આપને સરકારી નોકરી મળશે કે પછી નહી, એનું રહસ્ય આપની હથેળીઓમાં જ છુપાયેલું હોય છે. ચાલો જાણીશું કે, જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ હાથની હથેળીમાં કઈ રેખા હોય છે જેનાથી સરકારી નોકરી વિષે જાણી શકાય છે ચાલો જાણીશું….
હાથની હથેળીમાં ત્રણ મુખ્ય રેખાઓ હોય છે.: હાર્ટ લાઈન, હેડ લાઈન અને લાઈફ લાઈન હોય છે. જો આ રેખાઓને કોઈ અન્ય રેખા નથી કાપી રહી છે કે પછી ભાગ્ય રેખા શનિ પર્વતની તરફથી બૃહસ્પતિ પર્વતની તરફ વધી રહી છે અને સૂર્ય પર્વત પર સૂર્ય રેખા ઉભરી આવેલ હોય છે ત્યારે વ્યક્તિને પ્રસાશનિક પદ મળવાની સંભાવના રહે છે.
જો કોઈ વ્યક્તિની ભાગ્ય રેખા નીકળીને કોઈ રેખા બૃહસ્પતિ પર્વત તરફ જઈ રહી હોય અને તે વ્યક્તિ સરકારી નોકરી મેળવવા માટે પ્રયત્નો કરી રહી છે તો આવી વ્યક્તિઓને સંભાવનાઓ પ્રબળ થઈ જાય છે.
સરકારી નોકરીમાં કાર્યરત વ્યક્તિઓના હાથમાં એક સામાન્ય રેખા હોય છે તે છે લાઈફલાઈનથી નીકળી ગયેલ રેખા જે આગળ જઈને બૃહસ્પતિ પર્વત જઈને મળે છે અને તે પણ અન્ય કોઈ બીજી રેખાને કાપે છે. જો આવી જ રેખા આપની હથેળીમાં જોવા મળે છે તો આપે માની લેવું જોઈએ કે, સરકારી નોકરી મળવાની વધારે સંભાવના રહે છે. જો હાથમાં રહેલ ભાગ્ય રેખા બૃહસ્પતિ પર્વતની તરફ ઘૂમતી જોવા મળી રહી છે તો આવી વ્યક્તિઓ જીવનમાં ઉંચાઈઓ ને સ્પર્શ કરે છે. એના સિવાય જો બૃહસ્પતિ પર્વત પર ઉભી રેખાઓ હોય છે તો આવી વ્યક્તિને સરકારી નોકરીમાં સારું પદ પ્રાપ્ત થાય છે.
જે જાતકોની હથેળીમાં સૂર્ય પર્વત ઉભરેલ હોય છે અને આ પર્વત પર સીધી રેખા કોઈ અડચણ વિના આવી રહી છે તો આવા લોકોને પણ સરકારી નોકરી મળવાની વધારે ઉમ્મીદ રહે છે. હસ્તરેખા વિજ્ઞાનમાં જણાવ્યા મુજબ જો બુધ પર્વત પર કોઈ ત્રિભુજની આકૃતિ બનેલ છે તો તે વ્યક્તિને સરકારી નોકરી મળવાની વધારે તક રહે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,