વાસ્તુ પ્રમાણે ઘરના આ ખૂણામાં રાખો તિજોરી, થઇ જશો માલામાલ અને ક્યારે નહિં આવે આર્થિક તકલીફો

હિન્દુ ધર્મમા વાસ્તુશાસ્ત્રને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આપણે ઘર વાસ્તુના હિસાબે બનાવીએ ત્યારે આપણે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ સાથે રહી શકીએ છીએ. જો ઘરમાં કો વાસ્તુની ખામી હોય તો આપણને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. તેના માટે આપણે ઘરને બનાવતી વખતે વાસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેના માટે તમારે એ પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમારા ઘરમાં જે વસ્તુ રાખેલી છે તે પણ સાચી જગ્યાએ રાખેલી હોય.

image source

તેનાથી તમારા ઘરમાં વાસ્તુની ખામી ન રહે તે માટે તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેનાથી તમારા ઘરમાં હમેશા માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે અને તમારા જીવનમાં રહેલી અનેક સમસ્યા દૂર થાય છે. ઘરમાં અમુક વસ્તુ આપણે ખોટી જગ્યાએ રાખેલી હોય ત્યારે વાસ્તુ દોષ ઘરમાં હોય છે.

તેને દૂર કરવા માટે આપણે ઘણા ઉપાય કરવા જોઈએ અને તેના માટે આપણે સાચી દિશામાં વસ્તુઓ રાખવી જોઈએ. તેના માટે આપણે દિશા પ્રમાણે વસ્તુઓને રાખવી જોઈએ. આજે આપણે જાણીએ કે કઈ દિશામાં કઈ વસ્તુ રાખવાથી ઘરમા સુખ, શાંતિ અને સમુદ્ધિ આવે છે.

ઉત્તર દિશા :

image soucre

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરની ઉત્તર દિશામાં ભગવાન કુબેરનું સ્થાન માનવમાં આવે છે આ દિશામાં કુબેર મહારાજ વાસ કરે છે તેથી તમારે તમારા ઘરમાં આ દિશામાં તિજોરી અથવા પૈસા રાખવાનો કબાટ રાખવો જોઈએ તેનાથી આપના ઘરમાં હમેશા માટે પૈસા આવતા રહે તેનાથી આપના જીવનમાં ક્યારેય પૈસાને લગતી તંગી નહીં આવી શકે. આ સિવાની બીજી વસ્તુ તમારે આ દિશામાં ન રાખવી જોઈએ.

પૂર્વ દિશા :

image source

વાસ્તુ મુજબ આ દિશાને ભગવાન સૂર્ય અને ઇન્દ્ર દેવની દિશા માનવમાં આવે છે આ દિશામાં આ બંને ભગવાન વાસ કરે છે તેથી તમારા ઘરમાં આ જગ્યાને તમારે હમેશા માટે ખાલી રાખવી જોઈએ. તેથી જે લોકો નવું ઘર બનાવે છે તે લોકોને ખાસ ધ્યાન રાખવું કે આ દિશામાં હમેશા માટે સૂર્યના કિરણો પડતાં રહે.

દક્ષિણ દિશા :

image soucre

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરની આ દિશામાં ઘરનો જે વધારે ભારે સમાન છે તેને રાખવો જોઈએ. આ દિશાને તમારે ક્યારેય ઘરમાં ખલાઈ ન રાખવી જોઈએ. તમારે ખાસ ધ્યાન રાખવું કે આ દિશામાં બાથરૂમ કે ટોઇલેટ ન હોવા જોઈએ. આનાથી ઘરમાં સુખ અને શાંતિ રહેતી નથી અને ઘરમાં રહેતા સભ્યો વચ્ચે હમેશા મનમુતાવ રહ્યા કરે છે તેથી ખાસ ધ્યાન રાખવું.

પશ્ચિમ દિશા :

image source

વાસ્તુ શાસ્ત્ર મુજબ તમારે ઘરમાં બાથરૂમ અને ટોયલેટ બનાવવા માટે આ દિશા ઉત્તમ છે. તમારે ખાસ વાતનું ધ્યાન રાખવું કે તમારે આ દિશામાં ક્યારેય પણ રસોડુ ન રાખવું જોઈએ તેનાથી ઘણું નુકશાન થઈ શકે છે.

ઇશાન દિશા :

image source

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે આ દિશા ભગવાન શિવનું સ્થાન માનવમાં આવે છે આ દિશામાં તમારે ઘરનું મંદિર રાખવું જોઈએ અને આ દિશામાં પુજા પાઠ કરવાથી લાભ થાય છે અને આ દિશાનો માલિક ગુરુને માનવમાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ