રાત્રિ કરફ્યૂને લઈને સરકારે કરી મોટી જાહેરાત, જાણો ક્યાં ક્યાં શહેરોને મળી છૂટ

રાજ્યમાં કોરોનાની બીજી લહેર હવે ખતમ થવાના આરે છે. જેને લઈને રાજ્ય સરકાર હવે લગાવેલા પ્રતિબંધો ધીમે ધીમે હટાવી રહી છે. ગઈ કાલે રાજ્ય સરકારે ગણા પ્રતિબંધો કરવાની જાહેરાત કરી હતી. નોંધનિય છે સીએમ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, હવે આ નિર્ણયો અનુસાર રાજ્યમાં હવે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર એ આઠ મહાનગરોમાં જ રાત્રિ કર્ફ્યૂનો અમલમાં રહેશે જ્યારે અન્ય 10 શહેરને રાત્રિ કર્ફ્યૂમાંથી મુક્તિ આપવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, આ 8 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ 10 જુલાઇની રાત્રિએ 10 કલાકથી 20 જુલાઇના સવારે 6 કલાક સુધી અમલમાં રહેશે. તો બીજી તરફ ભૂજ, મોરબી, પાટણ, મહેસાણા, ભરૂચ, નવસારી, વલસાડ, અંકલેશ્વર, ગાંધીધામ અને વાપી જેવા શહેરોને રાત્રિ કર્ફ્યૂમાંથી મુક્તિ આપવામાં આવી છે.

આ ઉપરંતા રાજ્યમાં હવે ધંધાકીય એકમો સાથે સંકળાયેલા તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓએ 31 જુલાઈ સુધીમાં રસીનો પહેલો ડોઝ લેવો ફરજિયાત કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે જો વેક્સિનનો પહેલો ડોઝ નહીં લીધો હોય તો જે તે ધંધાકીય કે વાણિજ્યિક અથવા મનોરંજક એકમો ચાલુ રાખી શકાશે નહીં.

તો બીજી તરફ નવી ગાઈડલાઈન પ્રમાણે રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે તેવા શહેરોમાં તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટિંગ યાર્ડ, ગુજરી બજાર/બજાર/હાટ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ રાતના 9 કલાક સુધી ખુલ્લા રાખવાની છૂટ આપવામાં આવી છે. તો બીજી તરફ રેસ્ટોરેન્ટ્સ રાત્રિના 9 કલાક સુધી બેસવાની ક્ષમતાના મહત્તમ 60% ક્ષમતા સાથે ખુલ્લુ રાખવાની છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત રેસ્ટોરેન્ટ્સ હોમ ડિલિવરીની સુવિધા રાત્રિના 12 કલાક સુધી ચાલુ રાખી શકશે.

તો બીજી તરફ લોકડાઉનમાં લાંબા સમયથી બંધ જિમ સંચાલકોને પણ રાહત આપવામાં આવી છે. હવે 60% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે જીમ ચાલુ રાખી શકાશે. એટલુ જ નહીં જાહેર બાગ-બગીચાઓ રાત્રિના 9 કલાક સુધી જાહેર જનતા માટે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને અનુસરને ખુલ્લા રાખવાની સરકારે છૂટ આપી છે. આ ઉપરાંચ આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ 150 વ્યક્તિઓની મંજૂરી આપવામાં આવી છે. ચો બીજી તરફ લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત રાખવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે અંતિમક્રિયા/દફનવિધિ માટે મહત્તમ 40 વ્યક્તિઓની મંજૂરી રહેશે. આ ઉપરાંત તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમોમાં તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન, ખુલ્લામાં મહત્તમ 200 વ્યકિતઓ ભેગા થઈ શકશે. જો કે બંધ સ્થળોએ, જગ્યાની ક્ષમતાના 50 ટકા (મહત્તમ 200 વ્યક્તિઓની મર્યાદામાં) વ્યકિતઓ ભેગા થઇ શકશે. જો નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો કાર્યવાહી કરવામાં આવશે.

આ ઉપરાંત ધોરણ 9 થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચિંગ/ટ્યુશન ક્લાસિસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ 50 % વિદ્યાર્થીઓ સાથે ખુલ્લા રાખવાની મંજૂરી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ દરમિયાન તેમણે કોરોનાના તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે. એટલુ જ નહીં શાળા, કોલેજ, અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇનનું પાલન કરીને યોજી શકાશે. આ ઉપરાંત લાઈબ્રેરી 60% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતેચાલુ રાખી શકાશે.

તો બીજી તરફ પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ 75% પેસેન્‍જર કેપેસિટીમાં ચાલુ રહેશે. તમને જણાવી દઈએ કે, પબ્લિક બસ ટ્રાન્‍સપોર્ટને કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવી છે. જો કે શરત એ છે કે તમામ ડ્રાઇવર અને કંડક્ટર એ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધેલ હોય તે જરૂરી છે. આ ઉપરાંત પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ/સ્પોર્ટ્સ સ્ટેડીયમ/સંકુલમાં રમતગમત ચાલુ રાખવાની પણ સરકારે છૂટ આપી છે. જો કે શરત એ છે આ પ્રવૃતિમાં ભાગ લેનારે રસીનો પ્રથમ ડોઝ લીધેલો હોય તે જરૂરી છે. આ ઉપરાંત સિનેમા હોલ, ઓડિટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો મહત્તમ 60 % ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. જો કે આ દરમિયાન કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong