કોવિડ વેક્સિન કોવિડશિલ્ડની એક શીશીમાં ૧૦ ડોઝ હોય છે અને એક વાર ખુલી ગયાના ચાર કલાકોમાં તેને ઉપયોગ કરવાની રહેશે. વરિષ્ઠ ડોક્ટર્સ દ્વારા મંગળવારના રોજ એની જાણકારી આપવામાં આવે.
-વેક્સિનની શીશીને લઈને મહત્વની જાણકારી.
-એક શીશીમાં ૧૦ ડોઝ.
-શીશી ખોલ્યાના કેટલાક કલાકો સુધીમાં જ થઈ શકે છે ઉપયોગ.
કોવિડ- 19 મહામારી માટે દેશમાં વેક્સિનેશન શરુ થઈ ગયું છે. આની સાથે જ વેક્સિનને લઈને રોજ નવી અપડેટ્સ આવતી રહે છે. વેક્સિનને લઈને જે એક ચિંતા હતી, તે આ હતી કે, વેક્સિનની એક શીશીમાં કેટલા ડોઝ હોય છે, અને એક શીશી ખુલી ગયા બાદ એનો ક્યાં સુધી ઉપયોગ કરી શકાય છે. એના જવાબમાં વરિષ્ઠ ડોક્ટર્સ દ્વારા મંગળવારના રોજ જણાવ્યું છે કે, કોવિડ- 19 વેક્સિનની શીશી એકવાર વેક્સિનેશન માટે ખોલ્યા બાદ તેને ચાર કલાકની અંદર જ પૂરી રીતે ઉપયોગ કરવાનો રહેશે. નહિતર શીશીમાં રહેલ બાકીનો ડોઝ બેકાર થઈ જશે અને તેને નષ્ટ કરવાની રહેશે.
ઓક્સફોર્ડની કોવિડ- 19 વેક્સિન કોવિડશિલ્ડની પહેલી ખેપ તા. ૧૨ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ (RGSSH) માં પહોચી હતી. ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવેલ કોવેક્સિન રસીની ખેપ અહિયાં આગલા દિવસે પહોચી હતી જેનો ઉપયોગ એમ્સ અને આરએમએલ હોસ્પિટલ સહિત અન્ય છ જગ્યાઓ પર કરવામાં આવી રહ્યું છે. RGSSH ને ૭૫ જગ્યાઓમાં સામેલ છે જ્યાં ડોક્ટર્સ, નર્સીસ અને અન્ય લાભાર્થીઓને કોવિશિલ્ડ વેક્સિન લગાવવામાં આવી રહી છે.
હોસ્પિટલના પ્રવક્તા છવિ ગુપ્તાએ પોતાના ભાષણમાં કહ્યું છે કે, વેક્સિનની પાંચ એમએલની દરેક શીશીમાં કુલ ૧૦ ડોઝ આવે છે. આ શીશીને એક વાર ખોલ્યા બાદ ચાર કલાકની અંદર ઉપયોગ કરી લેવાનો રહે છે નહિતર બાકી રહી ગયેલ ડોઝ બેકાર ચાલ્યો જશે.
આપને જણાવી દઈએ કે, ભારત દેશમાં તા. ૧૬ જાન્યુઆરી, ૨૦૨૧ ના રોજથી કોરોના વાયરસ સંક્રમણની વિરુદ્ધ વેક્સિનેશન શરુ કરી દેવામાં આવ્યું છે. ભારત સરકારનું કહેવું છે કે, ભારત દેશમાં વેક્સિનેશનનું સ્તર દુનિયામાં સૌથી મોટું છે.
દેશમાં બે વેક્સિન ભારત બાયોટેક દ્વારા નિર્મિત કોવિશિલ્ડ અને સીરમ ઇન્સ્ટીટયુટ દ્વારા નિર્મિત કોવેક્સિનને ઈમરજન્સી ઉપયોગ કરવાની મંજુરી આપવામાં આવી છે. જેને પહેલા સ્વાસ્થ્ય કેર વર્કર્સને વેક્સિન લગાવવામાં આવી રહી છે. આમ ભારતમાં દુનિયાના સૌથી મોટા વેક્સિનેશન અભિયાનની શરુઆત કરી દેવામાં આવી છે જેમાં સૌથી પહેલા ડોક્ટર્સ અને હેલ્થ કેર વર્કર્સને વેક્સિન આપવામાં આવશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
———–આપના સહકારની આશા સહ,