આ વર્ષે હોલિકા દહન 28 માર્ચે કરવામાં આવશે. હિન્દૂ પંચાંગ અનુસાર, દર વર્ષે હોલિકા દહન ફાગણ મહિનાની પૂનમના દિવસે કરવામાં આવે છે. ધાર્મિક દ્રષ્ટિએ આ પર્વને અચ્છાઈની બુરાઈની જીતના રૂપમાં જોવામાં આવે છે. પૌરાણિક માન્યતા છે કે ભગવાન વિષ્ણુજીના પરમ ભક્ત એવા પ્રહલાદને લઈને એમના ફોઈ હોલિકા આ દિવસે બળતી ચિતામાં બેઠી હતી. પ્રહલાદના ફોઈ હોલિકાને બ્રહ્માજીએ અગ્નિમાં ન બળવાનું વરદાન આપ્યું હતું. પણ ભગવાન શ્રી વિષ્ણુના ભક્ત પ્રહલાદને અગ્નિ સળગાવી ન શકી પણ આ અગ્નિમાં ખુદ હોલિકા જ બળીને રાખ થઈ ગઈ હતી. હોલિકા દહનના આ પવિત્ર અવસર પર અમુક ખાસ ઉપાય કરીને જાતક લાભ મેળવી શકે છે. આ ઉપાય તમારા જીવનને ખુશીઓથી ભરી દેવામાં અકસીર સાબિત થઈ શકે છે.
સરસવના ઉબટનથી કરો માલિશ.
હોલિકા દહનની રાત્રે ઘરના બધા જ સભ્યોએ સરસવનું ઉબટન બનાવવું અને એનાથી આખા શરીર પર માલિશ કરવું જોઈએ. એનાથી જે પણ મેલ નીકળે એને હોળીની અગ્નિમાં નાખી દો. એવું કરવાથી જો કોઈએ તમારા પર જાદુ કર્યું હોય તો એની અસર પુરી થઈ જાય છે.
હોળીની રાખનું તાવીજ બનાવીને પહેરો.
જો કોઇના ઉપર નકરાત્મક ઉર્જા હાવી થઈ ગઈ હોય તો હોલિકાની ભસ્મને તાવીજમાં બાંધી લો અને આ તાવીજને પહેરો. આ તાવીજને કારણે તમારા પર ખરાબ આત્માઓની છાયા અને કોઈ જાદુ મંતરની અસર નથી રહેતી.
માથા પર લગાવો હોળીની ભસ્મ.
શાસ્ત્રોમાં હોળીની ભસ્મને ઘણી જ શુભ માનવામાં આવે છે. હોળીની રાખને માથા પર લગાવવાથી સારું પરિણામ મળે છે અને નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે.
ઘરના દરેક ખૂણામાં છાંટો ભસ્મ.
હોલિકા દહનની ભસ્મને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ભસ્મને ઘરમાં લાવીને ઘરના દરેક ખૂણામાં છાંટો. આવું કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાની અસર નથી રહેતી.
શિવલિંગને અર્પિત કરો ભસ્મ.
જો કોઈની કુંડળીમાં ગ્રહ દોષ છે તો હોળીની રાખને પાણીમાં ભેળવી લો અને પછી આ પાણી શિવલિંગ પર ચડાવવું જોઈએ. આવું કરવાથી ગ્રહ દોષ સમાપ્ત થઈ જાય છે.
આ ઉપરાંત
જો કોઇ કન્યાના લગ્નમાં વિઘ્ન આવતા હોય તો હોળીમાં ચપટી સિંદૂર હોમવાથી લગ્નમાં આવતા વિઘ્ન દૂર થાય છે. દામ્પત્ય જીવનમાં જો કોઇ મુશ્કેલી હોય તો પણ આ પ્રયોગ કરવાથી સમસ્યા દૂર થાય છે.
જો તમે હોલિકા દહનની રાખને ચાંદી ની ડબ્બી માં રાખો છો, તો તમારી ઘણી અવરોધો આપમેળે દૂર થઈ શકે છે.
જો તમે તમારા કાર્યને સફળ બનાવવા માંગતા હો, તો આ માટે તમે ત્રણ ગોમતી ચક્ર તમારા હાથમાં હોળીકા દહનમાં લો અને આ ગોમતી ચક્રને અગ્નિમાં 21 વાર મન માં જ બોલી ને , પછી તમે હાથ જોડો અને ત્યાંથી પાછા આવો, આ કરવાથી તમારા કાર્યો સફળ થશે અને તમારી ઇચ્છાઓ વહેલી તકે પૂરી થઈ શકે છે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,