જ્યોતિષશાસ્ત્ર મુજબ આ રીતે જાણો ક્યારે, ક્યાં અને કોની સાથે થશે તમારા લગ્ન? સાથે જાણો લવ અફેર વિશે પણ

જો કોઈ પુરુષના ડાબા હાથમાં બે લગ્ન રેખાઓ હોય અને જમણા હાથમાં એક લગ્નની રેખા હોય તો આવા લોકોની પત્ની ખૂબ પ્રેમાળ હોય છે. લગ્ન રેખાએ લગ્નની ઉંમરથી લઈને તમારા પ્રેમ સંબંધ સુધીના રહસ્યોને જાહેર કરે છે.આજે જ જાણો.

image source

લગ્નના કિસ્સાની બાબતોમાં લોકો કુંડળી બતાવવાનું વધુ પસંદ કરે છે, પરંતુ તમે તમારી રીતે પણ લગ્ન સંબંધિત ઘણી માહિતી મેળવી શકો છો. દરેકના હાથમાં લગ્નની રેખા હોય છે, જે હાથની નાની આંગળીના નીચેના ભાગ અને હૃદયરેખાની વચ્ચે હોય છે. આ આડી રેખાઓ તમને તમારા લગ્નની ઉંમરથી લઈ તમારા પ્રેમ સંબંધ વિશે માહિતી આપે છે. તો જાણો કેવી રીતે લગ્ન રેખા જોઈ શકાય.

કેટલા પ્રેમ-સંબંધો રહેશે ?

image source

હાથમાં એક લગ્ન રેખા હોય તો તેનો અર્થ એ છે, કે તમારી લવ લાઇફમાં ફક્ત એક જ વ્યક્તિ આવશે. જો એક કરતાં વધુ રેખા હોય તો તે તમારા ઘણા પ્રેમ સંબંધોને પ્રતિબિંબિત કરે છે પરંતુ, તેનો અર્થ એ નથી કે લગ્નની રેખાઓ જેટલી વધુ હશે, તેટલા વધુ તમે લગ્ન કરશો.

image source

પરંતુ, સામાન્ય રીતે લગ્નની રેખાઓ સાથે ઘણી નાની અને મોટી હળવી રેખાઓ હોય છે અને તેમાંથી એક સૌથી સ્પષ્ટ હોય છે. હળવી રેખાઓ તમારા પ્રેમ સંબંધને પ્રતિબિંબિત કરે છે, જ્યારે સ્પષ્ટ અને લાંબી રેખા તમને તમારા લગ્નની સ્થિતિ બતાવે છે.

ક્યા ઉંમરે થશે લગ્ન ?

image source

લગ્ન રેખા અને હૃદય રેખા વચ્ચેનું અંતર જ વ્યક્તિના લગ્નની ઉંમર નક્કી કરે છે. જો કોઈના હાથમાં રહેલી લગ્ન રેખા હાર્ટ લાઇનની નજીક હોય તો આવી વ્યક્તિના લગ્ન પચીસ વર્ષની ઉંમર સુધીમાં થાય છે. બીજી તરફ જો લગ્ન રેખા કનિષ્ક આંગળીની નજીક હશે તો આવી વ્યક્તિના લગ્ન તેટલા મોડા થશે. જો લગ્નની રેખા બરાબર નાની આંગળી અને હૃદયરેખા વચ્ચે હોય તો આવા લોકો ત્રીસ થી બત્રીસ વર્ષના ઉંમરે તેના લગ્ન થાય છે.

આ લગ્નરેખા રહે છે પીડાદાયક ?

image source

જો કોઈ વ્યક્તિની બંને હાથમાં લગ્ન રેખાની શરૂઆતમાં બે શાખાઓ હોય તો આવી વ્યક્તિના લગ્ન તૂટી જાય તેવો ડર રહે છે. જો કોઈ વ્યક્તિ લગ્નની રેખાને હાથમાં નીચેની તરફ ઝૂકેલી જુએ છે, તો આવી વ્યક્તિ ભાગ્યે જ લગ્ન જીવનનો આનંદ માણે છે. બુધ પર્વત પરથી કોઈ રેખા આવે અને લગ્ન રેખા કાપી નાખે તો આવી વ્યક્તિને તેના લગ્નજીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

image source

જો વચ્ચે લગ્ન રેખા તૂટી ગઈ હોય તો તેને લગ્ન તૂટવા માટેની નિશાની માનવામાં આવે છે. જો કોઈના હાથમાં રહેલી મેરેજ લાઇન ઉપર જઈને નાની આંગળી તરફ વળે તો આવી વ્યક્તિને લગ્ન પછી ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

આ લગ્નરેખા શુભ હોય છે :

image source

જો કોઈ વ્યક્તિની હથેળીમાં લગ્ન રેખા સૂર્ય પર્વત સુધી પહોંચવાની તૈયારીમાં હોય તો આવી વ્યક્તિના લગ્ન સંપન અને સમૃદ્ધ વ્યક્તિ સાથે થાય છે. લગ્ન રેખાના અંતે જો ત્રિશૂળ જેવું ચિહ્ન દેખાય તો આવી વ્યક્તિના જીવનસાથી અત્યંત પ્રેમાળ હોય છે. જો કોઈ પુરુષના ડાબા હાથમાં બે લગ્ન રેખાઓ હોય અને જમણા હાથમાં એક લગ્નની રેખા હોય તો આવા લોકોની પત્ની ખૂબ પ્રેમાળ હોય છે. જો બંને હાથમાં લગ્ન રેખા એક સરખી હોય તો લગ્ન જીવન સુખદ રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!