જાંબુ ખાવામાં બહુ સ્વાદિષ્ટ હોય છે. સ્વાદિસ્ટ હોવાની સાથે જ તેના ઘના ઔષધીય ગુણ પણ છે. ઘણા લોકો જાંબુ ખાવાનુ બહુ પસંદ હોય છે.જાંબુમાં એવ ઘણા તત્વ હોય છે જે અમારા શરીર માટે બહુ લાભકારી છે. જાંબુ ડાયબિટીજના દર્દીઓ માટે સૌથી સરસ છે. તેમાં કેટલાક એવા તત્વ હોય છે. જે સ્ટાર્ચને એનર્જીમાં બદલી નાખે છે.
આ અમારા શરીરને ઘણા રોગોથી બચાવે છે. તેમાં મિનરલ અને એંટીઑક્સીડેંટ ભરપૂર માત્રામાં હોય છે જાંબુ એક એવુ ફળ છે જે ન માત્ર દેખાવમાં સુંદર હોય છે, પરંતુ ખાવામાં પણ મજેદાર લાગે છે. ગરમીની સીઝનનુ ફળ સ્વાસ્થ્ય માટે અનુકૂળ હોવાનું માનવામાં આવે છે. જેમાં પ્રાકૃતિક રૂપથી એન્ટી ઓક્સીડેંટ હોય છે જે આપણા શરીરના સોજાને ખતમ કરવામાં મદદગાર સાબિત થાય છે. આ આપણને સંક્રમણ જેવી સમસ્યાથી બચાવે છે. જાંબુમાં બાયોએક્ટિવ કેમિકલ્સ હોય છે જે કેંસરથી લડકામાં મદદ કરે છે આ આંખો માટે ખૂબ જ સારું હોય છે. તેમાં વિટામિન સી હોય છે જે આંખની રોશની વધારે છે. જાંબુ ત્વચામાં રંગત લાવે છે. તેમાં આયરન હોય છે જે લોહી પ્રભાવને સમાન રાખે છે.
જાંબુમાં છે ચોંકાવનારા ફાયદા
જાંબુ વિટામિન સી અને આયરનથી ભરપૂર હોય છે. દિલ, શુગર, કોલોસ્ટ્રેલ અને બ્લડ પ્રેશરના દર્દીઓ માટે તેમાં ચોંકાવનારા ફાયદા છે. નિષ્ણાંતોના મતે જો તમારા શરીરમાં વિટામિન સી અથવા આયરનની ખામી છે તો જાંબુ ખાવુ અનુકુળ રહેશે. જેનાથી તમારા લોહીનુ સ્તર વધવામાં મદદ પણ મળશે. તે આપણા લોહીમાંથી તે બેક્ટેરિયાને દૂર કરે છે જેના કારણે ત્વચા અને પિમ્પલ્સ જેવી સમસ્યાઓ થાય છે. જાંબુના વપરાશથી શુગરના દર્દીઓ તેમના ખાંડના સ્તરને સંતુલિત કરી શકે છે. તેમાં રહેલા ફાયબરને કારણે તે પેટમાં દુખાવો, એસિડિટી, હાર્ટબર્ન અને કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે.
ઘણા રોગોમાં છે મદદગાર
હાઈ બ્લડ પ્રેશર દર્દીઓ માટે પણ જાંબુ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. જેથી જો તમે સ્વસ્થ રહેવા માગો છો તો, તેનો ઘણા પ્રકારને વપરાશ કરી શકો છો. તમે જાંબુને ઠંડા કરી સામાન્ય ફળોની જેમ જ વપરાશ કરી શકો છો. તે સિવાય જાંબુમાંથી ફ્રૂટ ચાટ અથવા સલાડ બનાવી પણ વપરાશ કરી શકાય છે. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે, જો તમારા શરીરમાં પાણીની ખામી છે તો, તેને દૂર કરવા માટે જાંબુનુ જ્યુસ બનાવીને પણ પીવુ અનુકુળ સાબિત થઈ શકે છે.તેમા ભરપૂર માત્રામાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જોવા મળે છે.લૂ લાગતા જાંબુનુ સેવન કરવુ ખૂબ લાભકારી હોય છે.તેનાથી કેંસરથી બચાવ અને મોઢાના ચાંદાથી રાહત મળે છે.આવો જાણીએ જાંબુનું સેવન આરોગ્ય માટે કેવી રીતે છે લાભકારી.
પથરીની સમસ્યા – આજકાલ પથરીની સમસ્યા થવી સામાન્ય વાત છે. દવાઓનું સેવન કરવાને બદલે જાંબુ ખાવ. જાંબુના બીજને ઝીણા વાટી લો. તેના પાવડરને પાણી કે દહી સાથે ખાવાથી પથરીની સમસ્યા દૂર થશે.
ભૂખ વધારે – જો તમને ભૂખ ન લાગતી હોય તો જાંબુનો સિરકા બનાવીને પીવો. તેનાથી ભૂખ વધશે.
ડાયાબિટીસથી છુટકારો – ડાયાબિટીસના દર્દીઓ માટે જાંબુ ખૂબ લાભકારી છે. તેના બીજનો પાવડર બનાવીને તેનુ સેવન કરો.
તેનાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે.
ઝાડા – ઝાડા થાય તો જાંબુને સંચળ સાથે ખાવ. તેનાથી ઝાડાથી જલ્દી રાહત મળશે.
દાંત માટે લાભકારી – જાંબુ દાંતને સ્વસ્થ બનાવવામાં પણ લાભકારી છે. રોજ જાંબુના પાવડરનુ મંજન કરવાથી દાંત અને મસૂઢા સાથે સંકળાયેલી સમસ્યા દૂર થાય છે
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત