અજબ રણબીરની ગજબ કહાની: આલિયાના કાકાએ કહ્યું, મને છોકરાવાળાએ કંઈ કહેવાની ના પાડી છે અને હું ખોટુ બોલી શકતો નથી

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર આ સમયે રાજસ્થાનમાં પરિવાર સહિત વેકેશન પર ગયા છે. દરમિયાન, બંનેની સગાઈને લઈને જબરદસ્ત ચર્ચા થઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ વેકેશનમાં પારિવારિક કામના સંબંધમાં આલિયા અને રણબીર પરિવાર સાથે રાજસ્થાન ગયા છે. એવામાં તેમની સગાઈના સમાચારો વિશે ઘણી બધી વાતો સામે આવી રહી છે. તો હવે આ રિપોર્ટ્સ અંગે રણબીરના કાકા રણધીર કપૂરે મહત્વુનું નિવેદન આપ્યું છે.

નવા વર્ષની ઉજવણી કરવા ગયા છે

image source

રણધીર કપૂરે એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં પુષ્ટિ કરી છે કે આલિયા અને રણબીર સગાઈ નથી કરી રહ્યા. તેણે કહ્યું – આ સાચું નથી. જો રણબીર અને આલિયાની આજે સગાઈ હોત તો અમારું કુટુંબ પણ તેમની સાથે હોત. આલિયા, રણબીર અને નીતુ ત્યાં રજાઓ ગાળવા અને નવા વર્ષની ઉજવણી કરવા ગયા છે. તેમની સગાઈના સમાચાર ખોટા છે. તમને જણાવી દઈએ કે રણબીર કપૂર, આલિયા ભટ્ટ, નીતુ સિંહ, રિદ્ધિમા કપૂર મંગળવાર, 29 ડિસેમ્બરના રોજ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યાં હતાં. આ તમામ જયપુર સુધી ફ્લાઈટમાં અને પછી કારમાં રણથંભોર ગયા હતા.

30 ડિસેમ્બરના રોજ સગાઈ કરવાના હોવાની વાત સામે આવી

નોંધનિય છે કે પહેલાં એવી ચર્ચા હતી કે કપૂર તથા ભટ્ટ પરિવાર નવું વર્ષ સાથે સેલિબ્રેટ કરશે. જોકે, હવે એવી ચર્ચા થઈ રહી છે કે રણબીર તથા આલિયા આજે એટલે કે 30 ડિસેમ્બરના રોજ સગાઈ કરવાના છે. બોલિવૂડ સ્ટાર્સ રણથંભોરની ફાઈવસ્ટાર હોટલ અમન વિલાસમાં રોકાયા છે. આ હોટલ વેડિંગ ડેસ્ટિનેશન માટે લોકપ્રિય છે. આલિયાના કાકા મુકેશ ભટ્ટે વાતવાતમાં સગાઈની વાતનો સ્વીકાર કરી લીધો હતો અને તેમણે કહ્યું હતું કે છોકરાવાળા (કપૂર પરિવાર)એ આ અંગે હાલમાં કંઈ પણ કહેવાની ના પાડી છે. જો કે હજુ કોઈ પણ આ વાત પર પાક્કી મહોર મારવા તૈયાર નથી.

આલિયા-રણબીર આ લોકો પણ રાજસ્થાન પહોંચ્યા છે

image source

તમને જણાવી દઈએ કે નીતુ કપૂર, રિદ્ધિમા કપૂર સાહની, તેના પતિ અને પુત્રી સાથે રણબીર કપૂર, આલિયા ભટ્ટ પણ આ વેકેશનમાં સામેલ છે. આલિયા અને રણબીર બંને રણથંભોરની પ્રખ્યાત હોટલ અમન-એ-ખાસમાં રોકાયા છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પણ આ સમયે રાજસ્થાનમાં છે. તેઓ રણથંભોરની લક્ઝુરિયસ હોટલ વન્યવિલાસમાં રોકાયા છે. રણવીર સિંહ સાથે રણબીર કપૂર અને નીતુ કપૂરની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ ઉપરાંત ફિલ્મ ડિરેક્ટર અયાન મુખર્જી પણ અહીંયા છે. આટલું જ નહીં કરન જોહર હાલ ગોવામાં છે, તે પણ રાજસ્થાન જશે, તેમ માનવામાં આવી રહ્યું છે. રાજસ્થાનમાં અચાનક રણબીર-આલિયાના નિકટના પરિવાર તથા મિત્રોને જોતા બોલિવૂડમાં એવી ચર્ચા થવા લાગી કે આ બંને અહીંયા સગાઈ કરવાના છે. પરંતુ આ વાતની સચ્ચાઈ હજુ કોઈની પાસે નથી.

આલિયાના કાકા મુકેશ ભટ્ટે આપ્યું મોટુ નિવેદન

image source

તો બીજી તકફ મળતી માહિતી પ્રમાણે રણબીર કપૂરના પરિવારના નિકટના સાથીએ એવું કહ્યું હતું, ‘સગાઈની વાત સામે આવી રહી છે. તમામ તૈયારીઓ કરન જોહરના સુપરવિઝનમાં થઈ રહી છે. બંને પરિવારના ડિસિઝન મેકિંગ મેમ્બર્સ એક સાથે અહીંયા આવ્યા નથી. કેટલાંક દિલ્હીથી રણથંભોર આવ્યા છે. કરન જોહર ત્રણથી ચાર લોકોની સાથે આવી રહ્યો છે. તો બીજી તરફ આલિયા ભટ્ટની ટીમે સગાઈની વાતનો ઈનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ માત્ર નવું વર્ષ સેલિબ્રેટ કરવાના છે. તમને જણાવી દઈએ કે આ અંગે આલિયાના કાકા મુકેશ ભટ્ટે આડકતરી રીતે આ વાત પર ખુશી પ્રગટ કરી છે. એક મીડિયા હાઉસ સાથેની વાતચિતમાં મુકેશ ભટ્ટે કહ્યું હતું, હાલમાં હું આ મુદ્દે કંઈ જ કહી શકું તેમ નથી. હું હા પણ નહીં કહું અને ના પણ નહીં કહું. હું ખોટું બોલી શકતો નથી. મારી આ જ સમસ્યા છે. મને ખોટું બોલવા માટે મજબૂર ના કરવામાં આવે અને સાચું બોલવા પર હાલ પ્રતિબંધ છે. આ પ્રતિબંધ હાલમાં છોકરા તરફથી આવ્યો છે. અત્યારે બોલવું થોડું મુશ્કેલ છે. હવે જ્યારે બધું પાક્કાપાયે થશે, તો અમે જરૂરથી કહીશું. હા આજકાલ હું મુંબઈમાં નથી અને હું ક્યાં છું, તે ના પૂછો તો સારું. આ વાત સામે આવ્યા બાદ એ ચર્ચાએ વધુ જોર પકડ્યું છે કે શું ખરેખર આલિયા અને રણબીર સગાઈ કરી રહ્યા છે.

રણવીર-દીપિકા પણ રણથંભોરમાં

image source

તો આ તરફ કરન જોહરની ધર્મા પ્રોડક્શનના 12થી વધુ ક્રૂ મેમ્બર્સ છેલ્લાં ત્રણ દિવસથી જયપુર તથા રણથંભોરમાં છે. તેઓ સગાઈની તૈયારીમાં વ્યસ્ત હોવાનું ચર્ચાઈ રહ્યું છે. રણવીર-દીપિકાને રણથંભોરમાં જોતા સગાઈની ચર્ચાને વધુ વેગ મળ્યો છે. આલિયા ભટ્ટ એક્ટર રણવીર સિંહની ઘણી જ નિકટ છે. આલિયા પોતાના જીવનના આ ખાસ પ્રસંગે રણવીર તથા દીપિકાને બોલાવવા માગતી હતી. આથી જ માનવામાં આવે છે કે આલિયાએ જ રણવીર-દીપિકાને આમંત્રણ આપીને ખાસ બોલાવ્યા છે. તો બીજી તરફ આલિયાની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ટીમને સગાઈ અંગે કંઈ જ ખબર નથી. તેમણે કહ્યું હતું, ‘ક્રિસમસની રજાઓ માટે તેઓ મુંબઈ બહાર છે. સંજય લીલા ભણસાલી ખંડાલા તથા લોનાવલા સ્થિત પૈતૃક ઘરમાં નવું વર્ષ મનાવશે. તમામ લોકો પાંચ કે સાત જાન્યુઆરીથી શૂટિંગ ફરીથી શરૂ કરશે. શૂટિંગ મુંબઈમાં જ થવાનું છે. તો

30 ડિસેમ્બરે સગાઈના સમાચાર હતા

image source

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન અને સગાઈના સમાચાર ઘણા સમયથી સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલા બંનેના બનાવટી લગ્નકાર્ડ પણ વાયરલ થયા હતા. એવા સમાચાર પણ આવ્યા હતા કે 30 ડિસેમ્બરે તેમનો સગાઈનો કાર્યક્રમ યોજાશે, જેમાં તેમના નજીકના સબંધીઓ અને મિત્રો શામેલ હશે. પરંતુ હવે રણબીરના કાકા રણધીર કપૂરે તેમની સગાઈના સમાચારો પર રોક લગાવી દીધી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ