યૂરોપિયન ડ્રાઈડ પ્લમ્સને પ્રૂંસ અર્થાત્ આલૂચા(આલુબુખારા)ના નામથી ઓળખામાં આવે છે. ગુજરાતીમાં આપણે ત્યાં દેશીભાષામાં તેને રાસબરી તરીકે ઓળખીએ છીએ. મુનક્કા (પ્લમ્સ)ના નામે ઓળખાતું અને હિન્દીમાં આલૂચા તરીકે જાણીતુ ફળ બધાને આકર્ષિત કરી દે છે. શિયાળાની ઋતુમાં ઘણાં ફળો અને શાકભાજી જોવા મળે છે જે સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તેમાંથી એક રાસબરી છે. આ લાલ રંગના ફળ સ્વાદમાં ખાટા – મીઠા હોય છે. તેમાં શરીર માટે જરૂરી તમામ પોષક તત્વો પણ છે. રાસબરી વિટામિન સીથી ભરપૂર છે. રાસબરી ઓછી કેલરીને કારણે વજન ઓછું કરવામાં ફાયદાકારક છે. શિયાળામાં સ્વસ્થ રહેવું જરૂરી છે, તેથી રાસબરી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. રાસબરીમાં ખનિજ, વિટામિન્સ, ડાયેટરી ફાઇબર, સરબિટોલ, ઇસેટિન જેવા તત્વો હોય છે, જે શરીરના દરેક કર્યો માટે જરૂરી છે. વજન ઘટાડનારા લોકો માટે આ એક સારો વિકલ્પ છે કારણ કે 100 ગ્રામ રાસબરીમાં 45 કેલરી હોય છે.
રાસબરી તાજી અથવા સૂકવીને પણ ખાવામાં આવે છે. તેમાં હાજર એન્ટી-ઓક્સિડેન્ટનું પ્રમાણ ઓસ્ટિઓપોરોસિસ, હાઈ બ્લડ પ્રેશર, સ્ટ્રોક અને આંખની સમસ્યાઓ જેવી અનેક બીમારીઓ સામે રક્ષણ કરવામાં મદદ કરે છે અને તેનાથી શરીરમાં આયરનનું પ્રમાણ વધે છે. તો ચાલો આપણે જાણીએ કે રાસબરી ખાવાથી શું ફાયદા થાય છે.
કેન્સર સામે રક્ષણ કરવામાં મદદરૂપ છે
કેન્સરથી બચવા માટે રાસબરી ખૂબ ફાયદાકારક છે. રાસબરી છાલ સાથે ખાવી જોઈએ. તેમાં જોવા મળતા તત્વો ગાંઠના કોષોને વધતા અટકાવે છે. તેમજ પીરિયડ્સ દરમિયાન મહિલાઓને થતા દુખાવામાં પણ રાહત મળે છે.
ઓસ્ટીયોપોરોસિસ રોકવા માટે મદદગાર છે
સૂકી રાસબરી એ બોરાનનો સારો સ્રોત છે જે હાડકાની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે સૂકા રાસબરી ખાવાથી પૂર બોન મિનરલ ડેનસિટીના દર્દીઓમાં હાડકાના ટર્નઓવર માર્કરના સીરમનું સ્તર ઘટી ગયું છે.
દૃષ્ટિ વધારવામાં મદદગાર
આંખોના સ્વાસ્થ્ય માટે રાસબરી ખૂબ ફાયદાકારક છે. આ ફળમાં વિટામિન સી અને ઇ ભરપૂર માત્રામાં હોય છે. આંખોના પ્રકાશ માટે આ બંને પોષક તત્વો જરૂરી છે.
કબજિયાતથી રાહત આપે છે
રાસબરી એ વિટામિન અને ખનિજોનું ખજાનો છે. આ ખાવાથી, માતા અને બાળક બંનેનો વિકાસ થાય છે. ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓને ઘણીવાર કબજિયાતની સમસ્યા હોય છે, આ સમય દરમિયાન રાસબરી ખાવાથી રાહત મળે છે, સાથે તે ચેપ સામે લડવામાં મદદ કરે છે.
વજન ઓછું કરે છે
તાજેતરમાં કરવામાં આવેલા એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે વધારે વજન અને ચરબીવાળા લોકોએ 12 અઠવાડિયા સુધી દરરોજ સૂકા રાસબરી ખાવાથી લગભગ 2 કિલો વજન ઓછું કર્યું છે. રાસબરી એ ઉર્જાનો સારો સ્રોત છે. રાસબરીનું સેવન કરવાથી પેટ ઘણા સમય સુધી ભર્યું રહે છે. તે દ્રાવ્ય ફાઇબરનો સારો સ્રોત છે, જે તમારો વજન ઘટાડવામાં મદદ કરે છે.
હાયપરટેન્શનનું જોખમ ઓછું કરો
તેમાં હાજર ઉચ્ચ પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. સૂકી રાસબરીના 100 ગ્રામમાં 745 મિલિગ્રામ પોટેશિયમ જોવા મળે છે. એક અધ્યયનમાં શોધી કાઢ્યું કે સૂકી રાસબરીને પલાળીને ખાવાથી બ્લડપ્રેશર નિયંત્રિત કરી શકાય છે.
હેપેટાઇટિસની સારવાર કરવામાં મદદગાર
રાસબરીમાં વધારે પ્રમાણમાં ફાઈબર હોવાને કારણે તે લીવરના વિકારની સારવારમાં પણ મદદરૂપ થઈ શકે છે. એવા લોકો પર એક અભ્યાસ કરવામાં આવ્યો હતો જેમણે લીવરના કોષોમાં નુકસાનના કારણે લીવરના એન્ઝાઇમનું સ્તર વધાર્યું હતું. આ લોકોને આખી રાત પાણીમાં પલાળેલી ત્રણ સૂકી રાસબરી આપવામાં આવી હતી, આઠ અઠવાડિયા પછી આ લોકોને લીવરની સમસ્યામાં ઘણી રાહત મળી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત