જો શરીરનું વજન વધવાનું શરૂ થાય, તો તમારે તમારા મેટાબેલિઝમની વિશેષ કાળજી લેવી જોઈએ. શરીરની ચરબી ઘટાડવા માટે અહીં જણાવેલા 5 પ્રકારનાં પીણાં પીવા જરૂરી છે, જેથી તમે તમારા પેટની ચરબી સરળતાથી ઘટાડી શકો.
જો તમારું શરીર ચરબીથી ભરપૂર હોય તો તે ક્યાંક તમારી સુંદરતાને પણ અસર કરે છે. એટલું જ નહીં, શરીરમાં વધેલું વજન તેની સાથે ઘણા બધા રોગો પણ લાવે છે. અયોગ્ય આહાર અને નબળી જીવનશૈલી એ વજન વધારવાના સૌથી મોટા કારણો છે. આપણા શરીરમાં વધુ કેલરીનું સેવન કરવાથી વજન વધી શકે છે. તેથી કેલરીના સેવનને નિયંત્રણમાં રાખવું મહત્વપૂર્ણ છે. જો તમે વજન ઓછું કરવા માંગો છો, તો તમારા ખોરાકના સેવન પર ધ્યાન કેન્દ્રિત કરવા ઉપરાંત કેટલાક સવારના પીણાઓનું સેવન કરવું જોઈએ જે તમારી કેલરી બર્ન કરે છે અને શરીરના મેટાબેલિઝમને સુધારીને વજન ઘટાડવામાં મદદ કરે છે. આજે અમે તમને એવા કેટલાક વિશેષ ડ્રિંક્સ વિશે જણાવીશું જે તમારો વજન સરળતાથી ઘટાડશે.
ગ્રીન ટી
ગ્રીન ટી ઘણા સમયથી દરેક લોકોને ખુબ પસંદ છે. ગ્રીન ટી એન્ટીઓકિસડન્ટથી ભરપૂર છે, જે મેટાબેલિઝમને સુધારવામાં મદદ કરે છે. ગ્રીન ટી પીવાથી વધુ લાભ મેળવવા માટે આ પીણામાં ખાંડ ઉમેરવાની ભૂલ ન કરો. જો તમે સ્વાદ વધારવા માંગો છો, તો તેમાં લીંબુનો રસ અને મધ ઉમેરો.
લીંબુ પાણી
આખો દિવસ કામ કર્યા પછી તમને સાંજે લીંબુ પાણીનું સેવન કરવું ખુબ ગમે છે, પરંતુ તમે તમારા દિવસની શરૂઆત એક ગ્લાસ નવશેકા લીંબુના પાણીથી કરશો તો તે તમારા સ્વાસ્થ્ય માટે સારું રહેશે. કારણ કે તે શરીરના મેટાબેલિઝમમાં વધારો કરીને જાડાપણાને ઘટાડે છે. આ પીણામાં એન્ટીઓકિસડન્ટ અને પેક્ટીન ફાઈબર હોય છે, જે પેટની ચરબી ઓગળવા માટે મદદ કરે છે. તમે લીંબુ પાણીમાં ખાંડના બદલે મધ ઉમેરીને તેનું સેવન કરી શકો છો.
અજમાનું પાણી
અજમા મેટાબેલિઝમ વધારવામાં મદદ કરે છે. આ પાચનમાં વેગ આપે છે અને પોષક તત્ત્વોના સારી રીતે શોષણમાં પણ મદદ કરે છે. અજમાનું પાણી બનાવવા માટે સૌથી પેહલા બે ચમચી અજમા શેકો, હવે તેને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો. ત્યારબાદ બીજા દિવસે સવારે આ પાણી ગાળો અને આ પીણાંનું સેવન કરો.
વરિયાળીનું પાણી
વરિયાળીનું પાણી શરીરના સોજા અને અપચાની સમસ્યા દૂર કરવા માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. વરિયાળીનાં બીજમાં મૂત્રવર્ધક ગુણધર્મો હોય છે, જે શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. વરિયાળી મેટાબેલિઝમને સુધારે છે. આ પીણું બનાવવા માટે, પાણીમાં એક ચમચી વરિયાળી નાખીને તેને આખી રાત પલાળી દો, ત્યારબાદ બીજા દિવસે સવારમાં આ પાણી ગાળો અને તેને પી લો.
જીરું પાણી
જીરું ભારતીય મસાલામાં એક મહત્વપૂર્ણ મસાલો ગણાય છે. જીરાનું પાણી એ એક કેલરી પીણું છે, જે પાચનમાં વધારો કરે છે અને પેટની ચરબી ઓગળવા માટે મદદ કરે છે. તે ભૂખને દબાવવા અને વજન ઘટાડવાની પ્રક્રિયાને ઝડપી બનાવવામાં ખુબ જ ફાયદાકારક છે. આ પીણું બનાવવા માટે, એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરું નાખીને તેને આખી રાત પલાળી દો. બીજા દિવસે સવારે આ પાણી ગાળો અને તેને ખાલી પેટ પર પી લો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ