જ્યોતિષમાં કહેવાયું છે કે એક ઝાડના મૂળની આ સમસ્યાથી ધનની મુશ્કેલીને દૂર કરી શકાય છે. આ સાથે અન્ય અનેક નાની મોટી મુશ્કેલીઓથી પણ બચી શકાય છે. ઘરની સમૃદ્ધિ અને આર્થિક સ્થિતિને સુધારવા માટે તમે પણ આ અસરકારક ઉપાય કરી લો તે જરૂરી છે.
જો ઘરની બરકત અટકી ગઈ છે અને તમારા દરેક કામ બગડી રહ્યા છે તો સફેદ આકની જડને ગણેશજીની સામે રાખો. હવે તેને પૂજા બાદ તિજોરીમાં રાખી લો. તેનાથી તમારી ધન સંબંધી મુશ્કેલીઓ દૂર થશે.
બાળકોને નજર લાગી હોય તો તેનાથી બચાવવા માટે ગણેશજીની પાસે સફેદ આકની જડ રાખો અને સાથે ઓમ ગં ગણપતયૈ નમઃ મંત્રથી જડને અભિમંત્રિત કરી લો. હવે તેને તાવીજમાં ભરીને લીલા રંગના દોરથી બાંધો અને ગળામાં પહેરાવી લો, આમ કરવાથી ક્યારેય નજર લાગતી નથી.
જો બાળક વારે ઘડી બીમાર રહે છે તો બુધવારે આ આકની જડને બાળકના માથા પરથી 7 વાર ફેરવી લો અને કોઈ નદીમાં આ જડને પ્રવાહિત કરી આવો. આમ કરવાથી તેની બીમારી જલ્દી દૂર થશે અને તેને પીડામાંથી રાહત મળશે.
જો તમે કોઈને તમારી તરફ આકર્ષિત કરવા ઈચ્છો છઓ તો તમે ગુરુ પુષ્પ નક્ષત્રમાં સવારના સમયે આકની જડની સાફ કરો અને તેને પાણી સાથે પીસી લો. પછી આ પેસ્ટને રૂની સાથે મિક્સ કરીને દિવેટ બનાવો. અને તેનાથી દીવો કરો. હવે તેની કાજળ તૈયાર થશે. તેને ગણપતિજીના મૂળ મંત્ર સાથે પોતાની આંખ પર લગાવો. આમ કરવાથી તમારું આકર્ષણ વધે છે.
જો તમારી પાસે રૂપિયા ટકતા નથી અને સાથે રૂપિયાની ખામી રહે છે તો તેનાથી બચવા માટે ઘરના મુખ્ય દરવાજા પર આકની જડને કાળા કપડામાં બાંધીને લગાવો અને તેને ટિંગાવી દો. આમ કરવાથી નકારાત્મક શક્તિનો પ્રભાવ ઘટશે અને સુખ સમૃદ્ધિ ઘરમાં આવશે.
જો કોઈ ભૂત પ્રેત કે બાધા છે તો તમે સફેદ આકની જડ બાંધો. તેને ધારણ કરતા પહેલાં બજરંગબલીના ચરણોમાં રાખો અને સાથે કોઈ પણ સિદ્ધ મંત્રનો જાપ કરીને તેને પવિત્ર કરો. આમ કરવાથી પ્રેત બાધાઓ તમને અડી પણ શકશે નહીં.
જો ખરાબ નજરના કારણે તબિયત હંમેશા ખરાબ રહે છે તો તમે રવિ પુષ્પ નક્ષત્ર કે ગુરુ પુષ્પ નક્ષત્રના દિવસે શ્વેત આકના 11 ફૂલોની માળા બનાવીને દર્દીને પહેરાવી દો. તેનાથી તબિયતમાં જલ્દી સુધારો આવે છે.
જ્યોતિષના અનુસાર આકની જડ નજર દોષ માટે સૌથી કારગર ઉપાય સાબિત થાય છે. તે એટલી પ્રભાવશાળી છે કે તેનો ઉપયોગ તંત્ર વિદ્યામાં કરાય છએ.
આકનો આ ઉપાય હેલ્થ માટે લાભદાયી છે. જે લોકોનું શરીર નબળું રહે છે તેઓએ આકની જડનો રસ પીવો. તેનાથી તેમને લાભ મળે છે.
આ સિવાય જો તમને કાનમાં સતત દર્દ રહે છે કે પછી તાવ આવતો રહે છે તો તમે સફેદ આકની જડને પીસીને તેનો રસ પીઓ. તેનાથી તે સારું થાય છે અને સાથે તેનો લેપ કાન પાસે રાખવાથી દર્દથી રાહત મળે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
———–આપના સહકારની આશા સહ,