જો તમે પણ કોરોના કાળમાં વિટામીન સીની ટેબલટ બહુ લેતા હોવ તો હવેથી કરી દેજો બંધ, વાંચી લો આ 5 સાઇડ ઇફેક્ટ

મિત્રો, વર્ષ ૨૦૨૦મા ઇન્ટરનેટ પર ઈમ્યુનીટી શબ્દ સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યો હતો. કોરોના વાયરસના ડરથી લોકો તેમના સ્વાસ્થ્યને લઈને ગંભીર બની ગયા હતા એટલું જ નહી પરંતુ, રોગપ્રતિકારક શક્તિ સુધારવા માટે વિવિધ પ્રકારના પ્રિસ્ક્રિપ્શન અપનાવવાનુ શરૂ કર્યુ હતુ. લોકો તમામ ફળો અને સપ્લિમેન્ટ્સ પર વિશ્વાસ કરવા લાગ્યા. આ દરમિયાન વિટામિન-સી યુક્ત ફળો અને સપ્લિમેન્ટ્સ સૌથી વધુ હેડલાઇન્સ બન્યા. નિષ્ણાતે એવો પણ દાવો કર્યો હતો કે, વિટામિન-સી એ રોગપ્રતિકારક શક્તિ વધારવામા ખુબ જ અસરકારક છે.

image source

નિષ્ણાતનો આ દાવો સાચો હોય શકે છે પરંતુ, શું તમને ખ્યાલ છે કે, વિટામિન-સીનુ વધારે પડતુ સેવન આપણા સ્વાસ્થ્ય માટે પણ ખતરનાક સાબિત થઈ શકે છે. વિટામિન-સી આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય તે વાત સામાન્ય છે પરંતુ, તેનું વધુ પડતું સેવન કરવાથી શરીરને નુકસાન થઈ શકે છે. ચાલો, આજે આ લેખમા અમે તમને જણાવીએ કે, વધુ માત્રામા વિટામિન-સી લેવાની આડઅસરો શું છે અને વિટામીન-સી કેટલા પ્રમાણમા લેવુ યોગ્ય ગણાય?

image source

નિષ્ણાતો કહે છે કે, વિટામિન-સી વધુ પ્રમાણમા લેવાથી તમે ઝાડાની સમસ્યાથી પીડાઈ શકો છો. આ ઉપરાંત તમારુ પેટ પણ ખરાબ થઇ શકે છે. આ સિવાય ઊલટી-ઝાડાની સમસ્યા પણ વધી શકે છે. આ સમસ્યાઓ તમારા શરીરને ડિહાઇડ્રેટ પણ કરી શકે છે. આ ઉપરાંત વિટામિન-સી ની આડઅસરોમા તમે હાર્ટબર્નની સમસ્યાનો પણ સમાવેશ કરી શકો છો.

image source

ઘણીવાર વિટામીન-સી ના વધુ પડતા સેવનના કારણે છાતીના નીચેના અને ઉપરના બંને ભાગમા બળતરા શરૂ થાય છે. આ ઉપરાંત ગળામાં બળતરાની સમસ્યા પણ વધી શકે છે માટે તેના સપ્લિમેન્ટ્સ લેતા પહેલા એક વાર ડૉક્ટરની સલાહ અવશ્યપણે લેવી. વિટામિન-સી નુ વધારે પડતુ સેવન એ ઉબકાની સમસ્યાનુ કારણ પણ બની શકે છે.

image source

માટે જો શક્ય બને તો બજારમા મળતા વિટામિન-સીના સપ્લિમેન્ટ્સ ઓછા લો કારણકે, મોટી માત્રામા વિટામિન-સીનુ સેવન કરવાથી પેટમા મરોડ જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ ઉપરાંત વિટામિન-સીના વધારે પડતા સેવનથી તમને અનિદ્રા અને માથાનો દુ:ખાવો પણ થઈ શકે છે. આ સિવાય રાત્રે સૂતી વખતે અસ્વસ્થતા પણ અનુભવી શકાય છે માટે રાત્રે સૂતા પહેલા આ પ્રકારની વસ્તુઓનુ સેવન કરવુ નહી.

image source

અમુક અભ્યાસો મુજબ, લોકોને દરરોજ ૬૫-૯૦ મિલિગ્રામ વિટામિન-સી લેવાની સલાહ આપવામા આવે છે. જો દિવસમા ૨૦૦૦ ગ્રામ કરતા વધુ વિટામિન-સી લેવામા આવે તો તે સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. જેમકે, નારંગીમા લગભગ ૫૧ મિલિગ્રામ વિટામિન-સી સમાવિષ્ટ હોય છે એટલે કે તમે દિવસમા બે સંતરા આરામથી ખાઈ શકો છો પરંતુ, જો તેના કરતા વધારે તમે સેવન કરો છો તો તમારે સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ અનેકવિધ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત