ઘરમાં સુખ શાંતિ, સમૃદ્ધિ, ધન વૈભવ તેમજ ખુશહાલી ઈચ્છો છો તો વાસ્તુના અમુક નિયમોનું પાલન કરો અને ઘરને નકારાત્મક ઉર્જાથી બચાવો.
- 1. મુખ્યદ્વાર દક્ષિણ દિશામાં હોય તો આર્થિક તકલીફ હંમેશા ઘેરાયેલી રહે છે. બની શકે ત્યાં સુધી એવું ઘર પસંદ ન કરો.
- 2. ઈશાન (ઉત્તર- પૂર્વ)માં સાતની સંખ્યામાં ક્રિસ્ટલ રાખો. ઘરમાં પોઝિટિવ ઉર્જા વધશે અને ધનલાભ થશે.
- 3. અમાસના દિવસે ઘરની સફાઈનો નિયમ બનાવો તો તમે અનુભવશો કે ઘરમાં પોઝિટિવ એનર્જી વધી રહી છે.
- 4. રોજ જ્યારે પણ ઘરમાં પોતું કરો તો પાણીમાં થોડી હળદર જરૂર નાખો. એવું કરવાથી તમને જરૂર ફાયદો થશે.
- 5. ઉત્તર દિશામાં પુષ્પ નક્ષત્રમાં પૂજા કરાવીને કનક ધારા યંત્ર લગાવો, ઘરમાં ધનની વૃદ્ધિ થશે.
- 6.ઘરની અંદર પ્લાસ્ટિકના ફૂલ તેમજ છોડ ન રાખો, એનાથી દરિદ્રતા આવે છે અને નેગીટિવ એનર્જીની અસર વધે છે.
- 7.ગુરુવારના દિવસે ઉત્તર દિશામાં કમળનું ફૂલ રાખવાથી ધનમાં વૃદ્ધિ થાય છે.
- 8. પૂર્વ દિશામાં ઘણો બધો સામાન રાખવાથી એનર્જી ફ્લો નથી થઈ શકતી, જેનાથી ઘરમાં બાધાઓ આવે છે. એ દિશામાં મુકેલો સામાન હટાવી લો, તરત પૈસા સંબંધિત ચિંતા ઓછી થવા લાગશે.
- 9. કિચનમાં રાત્રે એઠા વાસણ રાખવાથી બિઝનેસમાં નુકશાન થાય છે. એટલે એવું ન કરો. રાત્રે જ કિચન સાફ કરી લો.
- 10. બુધવારના દિવસે પૈસાની લેવડ દેવડથી ધનની કમી આવે છે તેમજ હાનિ થાય છે. એટલે એવું ન કરો.
- 11.બેડરૂમમાં પાણી રાખવું વર્જિત છે. એવું કરવાથી વ્યક્તિ હંમેશા કરજ અને ઉધારમાં ફસાયેલો રહે છે. એટલે બેડરૂમમાં પાણી ભરીને ન રાખો.
- 12. અગ્નિ કોણ એટલે કે દક્ષિણ પૂર્વ દિશામાં રોજ સાંજે કપૂર સદગાવવાથી ધનના વૃદ્ધિ થાય છે.
- 13. દક્ષિણની દીવાલ પર તિજોરી રાખવાથી ધન વધે છે. એના સિવાય કોઈપણ દિશામાં રાખવાથી આવક વધતી ઘટતી રહે છે.
- 14. તિજોરીમાં પરફ્યુમ ન રાખો, એનાથી ખૂબ જ નુકશાન થાય છે.
- 15. પ્રત્યેક પૂનમના દિવસે ઉંબરા પર હળદરથી સ્વસ્તિક બનાવો. એવું કરવાથી કરજ ઓછો થાય છે
- 16. પુષ્ય નક્ષત્રમાં પણ ઉંબરા પર હળદરથી સ્વસ્તિક બનાવવાથી ધનમાં વૃદ્ધિ થાય છે
- 17. ઘરનો મુખ્ય દરવાજો જો ખરાબ હોય કે આખો ખુલતો ન હોય તો એનાથી ધનહાની થાય છે. એને તરત સરખો કરાવો અને નેગેટિવ એનર્જીથી બચો.
- 18. રવિવારના દિવસે ઉત્તર દિશામાં કુબેર યંત્ર સ્થાપિત કરવું શુભ હોય છે. એવું કરવાથી કરજ ઓછું થાય છે..
- 19. દક્ષિણની દીવાલ પર મંદિર હોવાથી મોટા મોટા સંઘર્ષ સામે આવે છે તેમજ ક્યારેય ક્યારેક વ્યક્તિનું દેવાડિયું પણ થઈ જાય છે. એટલે મંદિર હમેશા ઈશાન ખૂણામાં જ રાખો.
- 20.ઘરની તિજોરીમાં બુધવારે પૈસા રાખવાથી ઘણા હદ સુધી ધન વધે છે અને વ્યક્તિ સાચી દિશામાં ખર્ચ પણ કરે છે.
- 21. ઘરમાં વર્ષમાં બે વાર કોઈ પણ પૂજા કે હવન કરાવો. એવું કરવાથી કરજને પ્રભાવિત કરતી ઉર્જા ખતમ થઈને ધન ઉર્જા વધે છે. એનાથી વાસ્તુ દેવતા પણ પ્રસન્ન થાય છે.
- 22. ઉત્તર દિશાની મધ્યમાં કોઈ સારા મુહૂર્તમાં ચાંદીની વાટકીમાં મોટી રાખવાથી ચમત્કારિક રીતે ધનમાં વૃદ્ધિ થાય છે.
- 23. જે ઘરમાં વધુ ક્લેશ થાય છે ત્યાં ધન સંબંધિત ચિંતાઓ વધે છે.
- 24. ગુરુવારે વાસ્તુમાં મહાલક્ષ્મી અષ્ટકમ વાંચવાથી ધનમાં વૃદ્ધિ થાય છે.
- 25. વાંસના એક જોડી તનાને લાલ દોરાથી બાંધીને એને મુખ્ય દ્વારની સામે વાળી દીવાલ પર લટકાવી દો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!